SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ આગમત આવી દશામાં જે ઓગણસિત્તેરથી કંઈક અધિક સાગરોપમની સ્થિતિ જે તે વખતે તેડવામાં આવે છે તે કેવળ અકામ નિર્જરાને પ્રભાવ છે. સમ્યક્ત્વ પ્રાપ્તિના કારણે સાથે અકામ-નિજરને સમન્વય આ સ્થાને જરૂર શંકા થશે કે ઉપર જણાવેલા હિસાબે તે દરેક સમ્યકત્વ પામનારે જીવ અકામ નિર્જરાના પ્રતાપે જ સમ્ય. દર્શનને પામે છે પણ વિવેક પૂર્વક જ્ઞાની ગુરૂના ચરણમાં બેસીને વિચારતાં સમજાય તેમ છે કે-શાસ્ત્રકારોએ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અનુકંપા, બાહા તપ, વિનયવિભંગ વિગેરે અનેક કારણે જણાવેલાં છે, તે અનુકંપાદિક સર્વ કારણે અકામનિર્જરા દ્વારા થતા યથાપ્રવૃત્તિ કરણના પ્રભાવે સમ્યકત્વને પમાડનારા બને છે. આ ઉપરથી એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે “ Sામળિsi' વિગેરે જણાવેલા કારણે સર્વથા પરસ્પર ભિન્નરૂપે માની શકાય તેમ નથી, કેમકે જે એમ માનવા જઈએ તે અનુ કંપા દ્વારા થતા સમ્યકત્વમાં યથાપ્રવૃત્તકરણની અકામ નિજારાને સમ્યક્ત્વના કારણ તરીકે માની શકાય નહી. - એવી રીતે દાન અને વિનય એ બે કારણે જે સમ્યકત્વને ઉત્પન્ન કરનારા ભિન્નપણે જણાવ્યાં છે, તેમાં વિનય વગરનું દાન માનવું પડશે અને વિનય અને દાનથી સર્વત્ર સમ્યક્ત્વ પામ્યા પહેલાં સકામનિર્જરા થાય પણ અકામનિજર ન થાય એમ સ્પષ્ટપણે માનવું પડે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy