SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-હું ( આ વાતને સમજવાથી ભગવાન મહાવીર મહારાજના સંવત્સરી દાનને વખતે દરિદ્ર બ્રાહ્મણની સ્ત્રી તે સ્થાને હાજર છતાં સંવત્સરી દાન કેમ ન મેળવી શકી? અને શા માટે દાન સંપૂર્ણ થયા પછી પરદેશથી રખડીને નિર્ધનપણે આવેલા પિતાના ઘણીને દાન વખતે પરદેશ જવા સંબંધી એલ આપે,? તેને ખુલાસે અહિ બરાબર થઈ જશે. કેમ કે સ્ત્રીઓને તે દાન લેવાને અધિકાર નથી. તેમ તેણીઓને તેવી ભાવના પણ થતી નથી.) (૪) સંવછરી દાનને રેગ-નાશ ઉપર પ્રભાવ. જગતમાં અનેક વૈદ્યો અનેક સ્થાને અનેક રોગીઓની દવા કરતા હોય છે, છતાં જે વૈદ્યને યશ કમને ઉદય હેય છે. તેના હાથે દેવાએલી સામાન્ય દવાથી પણ બીજાઓએ ઊંચા પ્રકારના અનેક જાતના ઔષધો આપ્યા છતાં તે બીજાઓના અપયશ કર્મને લીધે જે દરેદે નાશ પામેલા નથી. હતા, તેવા દરદને પણ નાશ થઈ જાય છે તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજના સંવત્સરી દાનને પણ એ અચિંત્ય પ્રભાવ છે કે એ દાન લેનારને છ મહિના સુધી નવે રેગ થતો નથી. અને તે દાન લેવાની વખત પહેલાં છ માસથી થએલા રેગાની શાન્તિ થઈ જાય છે, આવી રીતના અપૂર્વ પ્રભાવવાળા દાનને મહાદાન કહેવામાં સુજ્ઞ મનુષ્ય તે કઈ દિવસ આંચકો ખાય જ નહિ. (ધ્યાન રાખવાની જરૂર છે કે દ્રવ્ય-ક્ષેત્રાદિકને પામીને જેમ તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિક અશુભ હોય તે તે અશુભ દ્રવ્ય-ક્ષેત્રાદિક લીધે અસાતા વેદનીયને પ્રચુર ઉદય થાય છે તેવી જ રીતે શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિકને સંબંધ થતાં તે અસાતવેદનીયને ઉદય રોકાઈને સાતવેદનીયને ઉદય પિતાનું જે દર્શાવે છે. તેથી ભગવાન તીર્થકર મહારાજના હાથથી સ્મશીને આવેલું દ્રવ્ય શુભ દ્રવ્ય રૂપે હોય અને તેથી છ માસ સુધી તેને પ્રભાવ રહે, અને રોગોત્પત્તિ ન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy