SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું આટલી વાત તે સાચી જ છે કે- ભગવાન નષભદેવજી મહારાજના જીવે કોઈપણ ભવમાં કેઈપણ કારણથી લાલાન્તરાય કર્મ તે બાંધેલું જ હતું કે જે કર્મના ઉદયથી ભગવાન રાષભદેવજી મહારાજ સરખા મહાપુરુષને બાર માસ સુધી ભિક્ષા માટે ફરવા છતાં પણ ભિક્ષા મળી નહી. ધ્યાન રાખવા જેવું એ છે કે ભગવાન ગઢષભદેવજી મહારાજ ૮૩ લાખ પૂર્વ જેટલા લાંબા વખત સુધી ગૃહસ્થપણામાં રહ્યા પણ ત્યાં આ કર્મને ઉદય આવવાને વખત ન આવ્યું, પરંતુ જાણે અન્તરાયે જ એમ વિચાર્યું હોય કે- હવે તે આ મહાતમા મારો સર્વથા ક્ષય કરવા કટિબદ્ધ થએલા છે, માટે મારું જોર અજમાઉં! એમ ધારી સર્વવિરતિ લેવાની સાથે જ તે ઉદય આવ્યું, ભગવાન ગઢષભદેવજી મહારાજના આ વૃત્તાન્ત ઉપરથી ધમિઠ છો એ બરાબર ખ્યાલ કરે જોઈએ કે ધર્મને આચરતાં આદિમાં મધ્યમાં કે અંતમાં કઈ પણ જગાએ વિન આવે તે પણ તે વિનથી એક અંશે પણ હતેત્સાહ ન થવું, પણ સર્વથી કર્મના ક્ષય માટે કટિબદ્ધ થવું. -ભગવાન ગઢષભદેવજીને ગૃહસ્થપણને સમય અને અન્તરાયની સ્થિતિ ભગવાન ઋષભદેવજી મહારાજ ત્યાશી લાખ પૂર્વ એટલે વખત ગૃહસ્થપણામાં રહ્યા, એટલે ચારાશી લાખને ચારાશી લાખ ગુણા કર્યા પછી, ત્યાશી લાખે ફરીથી ગુણીએ તેટલા બધા વર્ષો સુધી ભગવાન ઋષભદેવજી મહારાજ ગૃહસ્થપણે રહ્યા, પણ એક
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy