SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ૩૯ પામેલા છે, એ દિગમ્બર સાધુઓ માટે તે મેમાન-પરોણા જેવા જ શબ્દ વાપરી શકાય, કેમકે તેઓ એક જ ઘેરે સમગ્ર ભજન લે છે. વિલેકનાથ તીર્થકર ભગવાન શ્રી ગઢષભદેવનું પારણું ઈશુના રસથી વગર પાત્રે થયેલું છે એમ આગળ જણાવાશે, તેથી આટલું વિવેચન કરવાની જરૂર પડી, પ્રકૃતમાં તે માત્ર ભગવાન્ ૩ષભદેવજી સર્વદા પરોપકારમાં પ્રવત્તલા હોવા સાથે સાધુપણું ગ્રહણ કર્યા પછી પણ કેવી રીતે દાતાર ઉપર ઉપકાર કરે છે. ? તે જણાવવા પુરતે છે. હવે પ્રભુ રષભદેવ ભગવંતના દીક્ષા પ્રસંગે મહત્ત્વની વિચારણીય લેચની વાતનું રહસ્ય વિચારવું સંગત હેઈ તેને વિચાર કરાય છે. લેચનું વિધાન . ત્રિલેકનાથ તીર્થકર ભગવાન અને દરેક મહાનુભાવ મહાત્માએ જ્યારે જ્યારે દીક્ષિત થાય છે, ત્યારે ત્યારે પંચ-મુશ્કિને લચ કરે છે. અહીં એક વાત મહત્વની જરૂરી છે કે દરેક તિક્ષિત થનારે પુરુષ દીક્ષાના પ્રસંગે મુડિત થઈ સ્નાન કરે છે. આ દીક્ષા વખતે કરાતું સ્નાન દરેક દીક્ષિતના જીવનનું છેલ્લું સ્નાન હોય છે. કેમકે તેમણે દીક્ષિત થવાને લીધે સર્વ સંસારી સંબંધે છોડી દેવાના હોય છે, દીક્ષિત થયા પછી સંસારી-અવસ્થાના કેઈ પણ સંબંધી કે ચાહે તેવા સગા-સંબંધી મરણ પામે તે પણ તે અંગે ત્યાગી થયેલાને નાન હતું જ નથી, માટે ત્યાગી થતી વખતે કરાતું સ્નાન તે છેલલું સ્નાન જ હોય છે, અને તે છેલ્લું નાન આવશ્યક ગણવામાં આવે છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy