SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ યાત સાધુપણામાં અગર ધર્મમાં થતા બારીકમાં બારીક દે પણ પૃથફપણે પ્રાયશ્ચિત્તાદિ કરીને શોધવા જ જોઈએ. એવી જ રીતે સૂક્રમમાં સુમિ પણ અતિચાને બારીક રીતે શેઠે તે જ મહાત્મા શુદ્ધ માર્ગમાં વધવાવાળે થાય, પણ એકલી પ્રતિક્રમણાદિની પ્રતિદિન કરાતી ક્રિયા છે તેવા અતિચારોને સર્વથા. શુદ્ધ કરવાને સમર્થ નથી. આ ઉપરથી પ્રતિકમણાદિ ક્રિયાએ નિષ્ફળ છે, એમ કહેવાની મતલબ નથી, પણ અતિચારેની વાસ્તવિક શુદ્ધિ માટે પ્રતિદિન કરાતી ક્રિયા વખતે અંતરની જાગૃતિ માટેના વિશેષ પ્રયત્નની આવશ્યક્તા છે. આ વાત ધ્યાનમાં રાખવાથી ભવ્યત્વને પરિપાક કરનારૂં જે બીજું સાધન પાપ-જુગુપ્સા નામનું છે, તે વાસ્તવિક રીતે અમલમાં લીધેલું ગણાય. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે – શાસનમાં નિહાવા તરીકે જાહેર થયેલા જમાલિ આદિ પુરૂષોએ પ્રતિદિન ઉભય વખત પ્રતિક્રમણ નહોતું કર્યું એમ નહિ, પણ તે પડિક્રમણ માત્રથી તેઓને નિહવપણાને દેવ ટળી ગયે, એમ શાસ્ત્રકારોએ પણ માન્યું નથી. માટે દરેક મુમુક્ષુએ પિતાના આચાર-વિચાર અને ઉચ્ચારના પાપનું આલેચનાદિ કરવાની સાથે વિપરીત-પ્રરૂપણા કે અશ્રદ્ધાનું આલેચનાદિ કરવાનું કોઈ દિવસ ચૂકવાનું નથી. સુકૃતનું અનુમાન આ સ્થાને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે કે – શાસકારે ભવ્યત્વ કે તથાભવ્યત્વના પરિપાક માટે સુકૃત કાર્યોની અનુમોદના રૂપ ત્રીજું સાધન બતાવે છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy