________________
આગમત સંકેત છે. છતાં શું સમજુ મનુષ્ય તે ભવિતવ્યતાને આધાર લઈને દરિયામાં ડૂબી જાય ખરો?
કહેવું પડશે કે ભવિતવ્યતાને વેગે દરિયામાં ડુબેલે કદી કોઈક આકસ્મિક-સંજોગે બચી જાય, તે પણ તે બચવાને ભરેસે રાખી શકાય જ નહિ, તે પછી ભવિતવ્યતાને જોરે કદાચિત સૂક્ષ્મ-નિગદમાંથી બાદર-નિગેદપણું કે બાદર–પૃથ્વીકાયાદિપણું મળી જાય, તે તે પણ તે ભવિતવ્યતાને ભરોસે ન રખાય તે સ્વાભાવિક છે.
વળી જેમ અગ્નિએ સળગેલા મકાનમાંથી ભવિતવ્યતાને જેરે સેંકડે બે – કે - પાંચ આદમી બચી પણ જાય, તે પણ વિચક્ષણ પુરૂષ સેંકડે બે – પાંચ બચી ગયેલાના ભરોસે આગમાં ઝંપલાવતો નથી. તેમજ આગથી નિર્ભય પણ બનતું નથી.
તે પછી અહીં તે સેંકડે બે પાંચ નહિ, હજારે બે પાંચ નહિ, લાખેએ બે – પાંચ નહિ, ક્રોડેએ બે – પાંચ નહિ, અસંખ્યાતાએ બે-પાંચ નહિ, પણ માત્ર અનંતાએ બે-પાંચના નિયમ પ્રમાણે તે નહિ, પરંતુ કોઈક જ વખત કેઈક અનંતાના ઢગલામાંથી કેઈક એક, બે, પાંચ માત્ર બહાર નિકળે તેમાં જે ભવિતવ્યતા કારણ છે. તે ભવિતવ્યતાને આધાર શી રીતે રાખવો?
મિઠેએ ધ્યાન રાખવાની જરૂર છે કે
આ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણમાં તમે વર્તે છે, તેથી તમે તે સ્વતંત્રતાવાળા અને સ્વાધીન છે અને એ સ્વતંત્રતા અને સ્વાધીનતાને ઉપયોગ રત્નત્રયીની આરાધના અને તત્વત્રયીની સેવામાં ન કર્યો તે દિવસની પાછળ જેમ રાત્રિ લાગેલી જ છે, તેવી રીતે વેડફી દેવાતી સ્વતંત્રતા પછી તે નિમેદની ભવિતવ્યતાને જ વારે છે, અને તે ભવિતવ્યતાની કેવી મુશ્કેલી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ.