SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોત ૦ ધર્મ દ્વારા ખરચાતા ધનને અંગે ભાઈઓ (કુટુંબીઓ) અનુમોદના ન કરતાં અપમાન કરે, ૦ “ઘરના કામમાં આ ઢીલે છે એમ કહી દુનિયાદારીના સ્વાર્થમાં રાચેલા માત-પિતા લેકેની સમક્ષ પણ તિરસ્કાર કરે, ૦ કુટુંબવર્ગ નેહને લાયકના કોઈપણ સંસ્કાર આચરે નહિ, પણ વિરુદ્ધ પુરુષના જેવા આચારો આચરે, ૦ દાસ-દાસી આદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિં, ૦ અત્યંત લાલન-પાલન કરીને પણ પિષાયેલું શરીર અધમ મનુષ્યની માફક સર્વ ઉપકારને ભુલી જઈ રોગાદિ વિકારોને આગળ કરીને જીવને પરાધીન કરે, - ૦ કેઈ તેવા લાભાન્તરાયના ઉદયથી - પિતાને કે વડીલેને ઉપાર્જન કરેલે ધનસંચય વિજળીના વિલાસની માફક અકાળે નાશ પામી જાય, આવી રીતનાં દસ કારણે એકી સાથે અગર ઓછા-વત્તા બને, તે સિવાયનું બીજુ તેવું રાજ રોગ કે પરાભવ વિગેરેનું આકસ્મિક કારણ મળી જાય ત્યારે પણ સંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી છવને ખીર ખાઈને તૃપ્ત થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુર્ગધી રાબ રીતે અરૂચિ કરનારી થાય. તેવી રીતે આ આખો પણ સંસારને પ્રપંચ જે મોહના ઉદયના લીધે અસાર છતાં સારરૂપ લાગતું હતું, તે અત્યારે મેહરૂપી મદિરાના છાકટાપણને નાશ થવાથી યથાવસ્થિતરૂપે મનમાં ભાસે છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy