SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત નદીના પથરા જેના ધર્મના પ્રભાવે રત્ન થયા છે. બહાર ઝાડ નીચે સૂઈ ગયા, પાંચ દિવ્ય આવી અભિષેક કરી રાજ્ય આપી ગયા. આથી મળેલું રાજ્ય છેટું છે, તેમ કહી શકાય નહિ, કારણથી રાજ્ય મેળવવું હોય તેને લશ્કર, તીજોરી ને ચાલાકી હેવી જોઈએ. તેમ આપણા આત્માને ધર્મથી સંસ્કારિત કરવું હોય તેણે એકવીસ ગુણે મેળવવાને ઉધમ કરવું જ જોઈએ. આથી પાંત્રીસ માર્ગાનુસારીના ગુણે કુટુંબને, એકવીસ ગુણ આપણા આત્માને સંસ્કારિત કરવા માટે છે. એ વચને બીજાના ધર્મના લેપ માટે ન વપરાય ! રકમ ભૂલી જશે તે જેટલે ગોટાળે છે, તે કરતાં રકમ ઉલટી લખી તે બમણે ગોટાળો. પાંચસે જમેને બદલે ઉધારમાં લખ્યા તે હિસાબમાં ડબલ ગેટાળો. પાંત્રીસ કે એકવીસ ગુણ ન જાણ્યા તે કરતાં બીજાના ધર્મરત્નને લેપવામાં લે તે બેવડું નુકસાન છે. તમારા કઢાથી પેલાને ધર્મ જતો નથી. તમારા નહિ ગણવાથી એના આત્માને નુકસાન નથી. બેવડા નુકસાનમાં આવી ન પડે તેટલા માટે આ વિભાગ જણાવવાની જરૂર પડી. પાંત્રીશ ગુણ કુટુંબને સંસ્કારિત કરવા માટે અને એકવીસ ગુણે પિતાના આત્માને ધર્મ માટે તૈયાર કરવાને અંગે છે. હવે આ સાંભળ્યા પછી જે એક વસ્તુ ન આવી તે દસ્તાવેજમાં આખી ઈમારત લખી, પણ એક નામ ફરી જાય તે તમારું લેણું કેટલું રહેશે તેમ અહીં પાંત્રીસ માર્ગાનુસારીએ તથા શ્રાવકના એકવીસ ગુણાએ અનુક્રમે કુટુંબ અને આત્માને સંસ્કારિત કર્યા, છતાં ધમ એ જ રત્ન છે! આ વસ્તુ તમારા ને આખા કુટુંબને હોય તે તે ગુણેને અંગે તમે લાભ મેળવી શકશે ! દીવાળી, માસી, સંવત્સરી સાચવવાં જોઈએ એ દષ્ટિ આવી જાય તે, આ એક વ્યવહાર છે, ત્યાં ભવાંતર માટે જે આત્માને માર્ગની અંદર દેરી જવાને તેમાંનું કાંઈ પણ બની શકે નહિ. એકજ મુદ્દાની ખામીથી. કેમકે-ધર્મ એ જ રત્ન છે, ધર્મ રત્ન જ છે, ધર્મ સિવાય બધી ચીજ ગળે પડેલી ઉપાધિ છે, આ જાતની સમજણની ખામી છે!
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy