SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જયોત કે તેનું મેતી થાય છે, તેમ આવું સંસ્કારી કુટુંબ હેય તે એક ગુરુનું વચન, તીર્થકરનું કથન, એક ધર્મનું આચરણ બધાને આચ રવા-અનુમેદવાલાયક બની જાય. આથી એ અર્થ ન લે કે માર્થાનુસારીના ગુણ ન હોય તે ધર્મ કરે છે તે ખેટે છે. માર્ગાનુસારીના ગુણ ન હેય ને સમ્યમૃત્યુ પામેલા હોય, મહાવતે પામ્યા હોય એવાં સેંકડો દષ્ટાંતે જોઈએ છીએ. પ્રભવે ચાર, સ્થૂલભદ્ર, ઈલાચીકુમાર કયા માર્ગાનુસારી ગુણેથી તયાર હતા? ચેરને, લંપટીને, ઘાતકીને ધર્મ કઈ રીતિએ મળે? આ ધારણા વાસ્તવિક નથી! પણ આપણા કુટુંબમાં ધર્મનાં બીજ અચલ ફળીભૂત કરવાં હોય, તે માર્ગાનુસારીના ગુણથી સંસ્કારિત કરવાની જરૂર છે. ચક્રવતીના ચર્મરત્નમાં બળદ જોડવા પડતા નથી. હળથી ખેડવું પડતું નથી. સવારે વાવે ને સાંજે ઊગે. તે ઉપરથી એમ ન કહેવાય કે એ અનાજ નકામું છે. વગર ખેતી, વગર હળ કે બળદે સવારે વાવેલું સાંજે ઊગે તે ઊગેલું ખોટું નથી. આપણે ખેડૂત હેઈએ ને વાવીએ તે પણ ખોટું નથી.' તે તત્વ એ છે કે ચર્મરત્નમાં વગર ખેતીએ, વગર બળદે કે હળે એક જ દિવસમાં ભલે ખેતી થઈ જતી હોય તે ખેતીને બેટી કહેવા તૈયાર નથી. પણ અમારે અનાજ ઊગાડવું હોય તો અમારી ફરજ છે કે બળદ, હળ, લાવી ખેડવું. આથી વગર પાંત્રીસ ગુણે ધર્મ પ્રાપ્ત કર્યો હોય તેને ધર્મ નથી પામ્યા એમ કહી ના શકાય. માનુસારીના ગુણ આખા કુટુંબને સંસ્કારિત કરવા માટે છે, ઘરમાં સાપ પેઠે કે ડર લાગે. તેમ પહેલેથી આવતે કુસંસ્કાર ન રાક તે ભાવિ વિચિત્ર થાય! માટે પાંત્રીસ ગુણથી કુટુંબ એવું ખેડી નાખે કે જેથી એક નાનું બચ્ચું એક ગુણ વગરનું ન હોય, તેવા વખતમાં ગુરુનું એક વચન અસર કરનારૂં થાય.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy