SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ઉલ્લેખ આવે છે, તેથી આવશ્યકસૂત્રને અંગપ્રવિણથી દૂર લઈ જઈ શકાય તેમ નથી. ૬. ગણધર મહારાજે કરેલું હોય તે અંગપ્રવિષ્ટ સૂત્ર કહેવાય, એવા પારાવાર્થ વાના પાઠને અનુસરીને જે અધિકાર લેવાય છે, તેમાં અંગપ્રવિષ્ટસૂત્રે ગણધર મહારાજના જ કરેલાં હેય, અર્થાત્ અંગપ્રવિષ્ટ એવા અંગેની રચના ગણધર મહારાજ સિવાય અન્યની ન હોય એવી રીતે અન્યગવ્યવચ્છેદ કરી અર્થ કર વ્યાજબી છે, તેવી જ રીતે સ્થવિરએ કરેલાં જે જે સૂત્ર હોય તે અનંગપ્રવિષ્ટ એટલે અંગ. બાહ્યા જ હેય એમ નિશ્ચય કરે, અને તે નિશ્ચય કરવાથી આવશ્યક સત્ર ભગવાન ગણધરોનું કરેલું છતાં અનંગપ્રવિષ્ટ હોય એમ માનવામાં કંઈપણ અડચણ આવે નહિ ગણધર મહારાજાઓએ જે કરેલું હોય તે બધું અંગપ્રવિષ્ટ હોય એ માન્યતા ભૂલભરેલી છે, પણ અંગપ્રવિષ્ટશા ગણધરના જ કરેલાં હોય એ માન્યતા વ્યાજબી છે, અર્થાત્ અંગબાહા શ્રત ગણધર કે અન્ય સ્થવિરકૃત હોય તેમાં અડચણ નથી. ૭. બાપત્તા સુધારવાનો વાણિએવું જે વિશેષ આવશ્યક ભાષ્યનું વાક્ય અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય સૂત્રોના લક્ષણને અંગે છે તેને પણ શ્રીમાલયગિરિજી મહારાજ એ અર્થ જણાવે છે કેuળા શા વિગેરે ત્રણ નિષદ્યાથી થએલ જે સૂત્રો તે અંગપ્રવિષ્ટ કહેવાય, બાકી તે ત્રણ નિષદ્યા સિવાય ભગવાન્ ગણધર મહારાજના પ્રશ્નપૂર્વક કે પ્રશ્ન સિવાય પિતે ભગવાને વતઃ કહેલું કે અન્ય સ્થવિરેના પ્રશ્નોપૂર્વક કહેલું તે બધું મુલ્કલકથન કહેવાય અને તેની જે રચના થાય, તે બધું અનંગપ્રવિષ્ટ સત્ર કહેવાય. આ. શ્રી મલયગિરિજીનું વચન વિચારતાં આવશ્યક અનંગપ્રવિષ્ટ પણ હોય, અને ગણધર મહારાજનું પણ કરેલું હોય, એમ માનવામાં કઈ જાતની હરકત નથી.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy