SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત અવકાશ નથી, તેવી રીતે અહીં પણ દુર્ગતિનું વારણ કે સદ્ગતિની પ્રાપ્તિ એ બંને કે બંનેમાંથી કેઈપણ એક કહેવામાં વિરોધની શંકાને અવકાશ નથી. દુર્ગતિના નિવારક તરીકે ધર્મનું મહત્વ એટલી શંકા જરૂર થાય કે દુર્ગતિનું નિવારણ કહેવાથી જેમ સદ્ગતિની પ્રાપ્તિ સૂચિત થાય તેમ સગતિની પ્રાપ્તિ કહેવાથી દુર્ગતિનું નિવારણ પણ સપષ્ટપણે ઇવનિત થતું હતું તે પછી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ દુર્ગતિના નિવારણના કથનથી ગતિની પ્રાપ્તિનું ધ્વનિતાણું કર્યું પણ સદ્દગતિની પ્રાપ્તિના કથનથી દુર્ગતિના નિવારણનું વનિતાણું કેમ કર્યું નહિ? આના ખુલાસામાં એ સમજવાનું કે આ આત્મા અનાદિના વિવિધ કર્મસંગથી અજ્ઞાની હાઈ દુર્ગતિ તરફ દોરાએ રહેલ છે, માટે તે દુર્ગતિથી બચવાના સાપને તરફ સહેજે તેની વૃત્તિ થઈ આવે, અને તેથી દુર્ગતિની પ્રાપ્તિના સાધનેને દૂર કરવાને ઉપદેશ કરવા તૈયાર થાય તેમાં આશ્ચર્ય નથી. જગતના નિયમ પ્રમાણે સારું પ્રાપ્ત કરવા પહેલાં બેટાથી દૂર રહેવાની પ્રાથમિક જરૂર ગણીને પણ દુર્ગતિનિવારણ દ્વારા ધર્મશબ્દના “” ધાતુને ધારણરૂપ અર્થ જણાવ્યો હોય તે પણ નવાઈ નથી. આ બધી હકીકત સદ્દગતિ શબ્દ દેવ અને મનુષ્યગતિરૂપ સાંસારિક શુભ ગતિને ઉદેશીને કહેવામાં આવી છે, પણ જે માણારૂપ અસાંસારિક શુભ ગતિની પ્રાપ્તિને અને જે પિષણ અર્થ લઇ વાત કરવામાં આવે તે પૂર્વે જણાવેલ તુલાનમને ન્યાય તે નહિ અને મેશરૂપ સદ્દગતિની પ્રાપ્તિ કરાવનાર સદનુષ્ઠાન પણ ધર્મ છે એમ ગણી રોગશાસાદિકમાં કહેલે મોક્ષ સુધીની સદ્ગતિને માર્ગ છે. વધુ આ સંબંધી ગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરૂની નિશ્રાએ સમજવા પ્રયત્ન કર.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy