SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોત જેને દશ પૂર્વ સંપૂર્ણ ન થયાં હય, તે આચાર્યને જિનકલ્પ લે હોય તે પણ સાથ્વીની સંભાળ કરનારા કેઈન દેખાય તે તેનાથી જિનકલ્પ લેવાય? જિનકલ્પ સરખી ઉત્કૃષ્ટ ક્રિયા, તે પણ સાવીને સંભાળનાર ન હોય તે લેવાય નહિ. ગણધર શબ્દને વિશિષ્ટ અર્થ જે પદવી બાર અંગેના રચનાર, ચૌદ પૂર્વના રચનાર મળે છે, તે પદવી સાથ્વીને સંભાળનારને મળે છે. એટલે કે જેમ દ્વાદશાંગીના રચયિતા મહાપુરુષોને ગણધર કહેવાય છે, તેમ આખા સંઘની રત્નત્રયીને અનુકૂળ યોગ્ય જવાબદારી સાચવનારને પણ ગણધર શબ્દથી સંબેધાય છે. તેથી શ્રી ભદ્રબાહુ સ્વામી વગેરેએ શ્રી કલપસૂત્રમાં અને શ્રી સુધર્માસ્વામીજી વગેરેએ શ્રી આચારાંગમાં આચાર્ય–ગણધર જુદા કહ્યા. શ્રી સુધર્માસ્વામી વખતે ગણધર હતા, પણ શ્રીભદ્રબાહુસ્વામીજીના સમયમાં રુઢ અર્થવાળા ગણધર ન હતા, તે પછી. જે આચાર્ય, ઉપાધ્યાય કે ગણધરને આગળ કરીને વિહરતા હોય, તેને પૂછીને સર્વ કાર્ય કરી શકાય, આંખ ઊઘાડવા, મીંચવા સિવાય બધું કાર્ય પૂછીને જ કરાય, તપ, અણસણ વગેરે બધું ગણધરને પૂછીને કરાય, એમ કેમ કહ્યું? - પૂ. આ. શ્રી ભદ્રબાહુવામીજીએ જણાવ્યું કે સાધુ–સાવીને, ઉપાધ્યાય, ગણધર, આચાર્ય વગેરેને પૂછ્યા વિના કંઈ થાય નહિ, જ્યારે ગણધરને સંભવ નહોતો તે ગણધર લીધા કયાંથી? ગણધરને આગળ કરી વિચરનાર સાધુ” એમ કેમ કહ્યું, પૂ. શ્રી સુધર્માસ્વામીએ ગણધર લખ્યું તેમાં સમજીએ કે તે વખતે ગણધર હાજર હતા, પણ પૂ. આ. ભદ્રબાહુસ્વામી વખતે ગણધર ન હતા, થવાના ન હતા, ગણધર શબ્દ આચાર્ય
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy