SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આગામીત ન્યાય-નીતિથી ધનપાનમાં પણ પાપ છે? ન્યાયથી પૈસો પિા કરીને તેમાં વળી પાપની રાશિ કેમ? અન્યાયથી પસે મેળવીએ તેમાં તે પાપની રાશિ કબુલ! તેને ખુલાસે એ છે કે પૈસે ઉપાર્જન કરવા માટે જે ઈચછા થઈ તેનું સ્વરૂપ વિચારી લે. પરપરિણતિને પાટલે આપણે બેઠા કે બીજું કાંઈ થયું? તે કર્યા સિવાય પરપુદ્ગલની ઈચ્છા આત્માને હેય નહિ, આત્મા સ્વભાવમાંથી ખસ્ય, પરસ્વભાવમાં પેઠે તે જ પૈસાની ઈચ્છા થાય, પરસ્વભાવમાં પેસવું તે કેટલું અધમ? બીજી બાજુ પરિગ્રહ સંજ્ઞા થયા વગર પૈસાની ઈચછા થાય ખરી? પરિગ્રહ સંજ્ઞાને આધીન થયે, છતાં પરપુગલનું સ્વામિત્વ પિતે કરવું. મને મળે એ બુદ્ધિ થાય છે ત્યારે કહે લેજ, ન્યાયથી પણ એક પિસે પિદા કરતાં પરપરિણતિ, પરઈચ્છા, લેભ થવાને, એટલે મેળવવાની ઇચ્છા, એ જ પાપ છે, કેમ કે મળે ત્યારે સંતોષ થાય છે. ધન મેળવવામાં આર્તધ્યાન, પણ રક્ષણમાં રોદ્ર ધ્યાન !!! આના કરતાં પણ આગળ ભયંકર દશામાં જઈએ છીએ. પૈસે કેઈ લઈ જાય તો? રક્ષણ કરવાને કટિબદ્ધ, મારી ચીજ છે, હાથ તે ઉગામ! માથું ફાડી નાખું! જેલમાં બેસાડી દઉં ! ન્યાયની છતાં રક્ષણના વખતે પરિણતિ કયાં જાય છે? બીજાને આપત્તિ-નુકસાનમાં ઉતારી દે! લા કરવા સુધી તૈયારી પણ રાખવી પડે! તેથી જ વિષયના સંરક્ષણને, અર્થના સંરક્ષણને ધ્યાન કહ્યું છે. મેળવવાની ઈચ્છા તે આર્તધ્યાન, પાંચમાં ગુણઠાણે -પણ મુખ્યતાએ આરોદ્રછે, કારણ–ચોવીસે કલાક કુટુંબ-કબીલાનું ચિંતવન ! ધર્મધ્યાન ગૌણ હોય! ન્યાયે ઉપાર્જન કરનારે પણ પર પરિણતિ, પરિગ્રહ લેભ કષાયમાં ગયે. પ્રાપ્ત થાય ત્યારે સતેષ, પ્રાપ્ત થયા પછી હથિયાર ગોઠવવામાં ગયે. જેવી મિલકત તે પ્રમાણે હથિયાર રાખે. મારું કાંઈ છે નહિ એ દશાને અને આ દશાને આકાશ-જમીનનું આંતરૂ છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy