SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મરક ૨-૪ જેને એકલું સમ્યકત્વ હોય તે ભલે! શ્રાવક કહેવાય! બાર વતેમાંથી બે-ત્રણ વ્રત હોય તે પણ શ્રાવક કહેવાય! પણ મહાશ્રાવક તે તે કે નિર્મળ સમ્યકત્વ સાથે નિરતિચારપણે બાર વતને પાલવાની યથાશકય તત્પરતા ધરાવતું હોય! મહાશ્રાવકની વિશેષતા ! અહીં કદાચ કેઈને એ સવાલ થાય કે મહાશ્રાવકને બાર વ્રતે પાળવાના ને ! યા તે શ્રાવકની ઉંચી દશા જ ને! કે બીજુ કંઇ? તે તેના ખુલાસામાં જણાવ્યું કે “મા” એટલે કે બરવ્રતનું પાલન પણ ભક્તિ-અંતરના વિશિષ્ટ ઉમળકા સાથે હોય તે ભક્તિ કેવી? હાડોહાડ સંસારની વિષમતાના સજાગ ભાન સાથે આત્માના અખૂટ જ્ઞાનાદિ ગુણોને મેળવવાની ઉત્કટ તમનાથી ભરપૂર જે લાગણી તેનાથી ભાવિત પણું તે અહીં “ભક્તિ પદથી જણાવેલ છે, તે માટે વ્યવહારૂ દષ્ટાંત જણાવાય છે કે ભક્તિ એટલે તમન્ના ! એક વખતે સામા કાંઠે પિતાની માતા કે કરે છે. તે ધાર્યું અને વચમાં નદીનું પૂર હોય. તે વખતે પૂરને ઓળંગીને સામે કાંઠે જવા કેવા તલપાપડ હેય? સામા કાંઠે પિતાનું વતન, માતા, પિતા, પુત્ર છે એમ માલુમ પડે તે જેવી તાલાવેલી થાય. તેવી ભવ્ય જીવ જે વખતે અનાદિની મિથ્યાત્વનિદ્રાથી જાગે ત્યારે હય, અનાદિકાલથી સર્વ જ ઊંઘી રહેલ છે. ભવ્ય જીવ હાય હાય કે અભવ્ય હાય! જે સમ્યક્ત્વ પામ્યા વગરના, દેવગુરુ, ધર્મની શ્રદ્ધા વગરના તેને જ્ઞાનીઓ ભાવસુપ્ત જણાવે છે. જેમ ઊંઘમાં પડેલ પાસેની સંપત્તિ-વિપત્તિને ન સમજે. તેવી રીતે આ જીવ અનાદિથી સંપત્તિવાળો છે. એક ક્ષણ કે સમય પણ આ આત્માને એ વખત નથી કે જેમાં પિતાની પાસે સંપત્તિ ન હોય! અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગપણું અને અનંતવીર્ય આત્માની પાસે નહોતું. એ વખત નહિતે જેની પાસે અનંતજ્ઞાન વિગેરે નથી તે જીવ જ નથી.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy