SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું સાધુઓએ શા માટે બીજાઓ પાસેથી દાન ગ્રહણ કરવું? દાન લેવાનું કારણ જણાવતાં માલધારીજી મહારાજ જણાવે છે કે- “જેઓ છ કાયના (પૃથ્વી-અપ-તેઉ–વાઉ–વનસ્પતિ અને ત્રસના) આરંભથી ત્રિવિધે-ત્રિવિધ નિવર્સેલા છે. વળી જેઓને પરિગ્રહ ન હોવાથી વેચાતું લેવાનું નથી, તેમજ બીજાઓની પાસે જેને પિતાના માટે આહાર તૈયાર કરાવવાનું નથી, તેવા મુનિ-મહાત્માએ જ સુપાત્ર કહેવાય છે.' જેમનું મન ધર્મમાં હોય એવા ગૃહસ્થાએ તે ધર્મને માટે તેવા સુપાત્રમાં જ આહારાદિકનું દાન કરવું જોઈએ.” આ સ્થલે જેઓ આરંભ-પરિગ્રહથી નહિ વિરમેલા, શ્રદ્ધહીન, લેકેના ચીલે ચાલનારા ધર્મને હમ્બગ ગણનારા, ધર્મના નિયમને માત્ર ઉપર ઉપરથી ધમની પાસેથી છેતરીને પસા લેવા માટે રાખનારા જે લેકે પેટપૂજાને માટે કેળવણી લેનારાઓને દાન આપવામાં સુપાત્રદાન તરીકે ગણાવી દે છે. તેવાઓથી જૈનશાસનની વૃદ્ધિ તથા રક્ષણ ઇચ્છનારાઓએ પહેલે નંબરે સાવચેત થવાની જરૂર છે. આવા ધર્મને નાશ કરનાર તે અનુકંપાને પાત્ર થવા પણ લાયક નથી. મોક્ષનું અનન્તર કારણુ સુપાત્રદાન છે. _ઉપર જણાવેલા સુપાત્રદાનના અધિકારથી અનુકંપા અને ઉચિતદાનથી કેઈ ખસી ન જાય, માટે મલધારીજી મહારાજ સ્પષ્ટપણે જણાવે છે કે – આ-૧-૭
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy