SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ૯૪ જેનું ચિરસ્મરણ શાસકારોએ તીર્થકર ભગવાનની સામાન્ય પ્રતિમા ઓમાં પણ ગઠવ્યું છે. કારણકે સામાન્ય રીતે કેટલાક આચાર્યો તીર્થકર ભગવાનની જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા અને સામાન્ય છદ્મસ્થ અવસ્થા માનવાનું મનાત્રાદિકે કરીને જણાવે છે. ત્યારે કેટલાક આચાર્યો જન્મ અવસ્થા અને રાજ્ય અવસ્થાને છોડી દઈને નપન અને અર્ચાએ કરીને એકલી છદ્મસ્થ અવસ્થા વિચારવાનું જણાવે છે. અને તે વખતે સ્નાન અને અર્ચન કરનારા તે બીજા કેઈ નહિ, પરંતુ દીક્ષા મહોત્સવને પ્રસંગે અભિષેક કાવનારા અને અર્ચન કરનારા દેવેન્દ્રો અને નરેન્દ્રો લેવા. અગર છવસ્થ અવસ્થામાં શ્રી કષભદેવજી ભગવાનની બે પડખે રહેલા નમિ અને વિનમિ લઈને ભગવાનની છઘસ્થ અવસ્થા વિચારવી. એ રીતિએ પરિકરવાળી પ્રતિમાઓનો છદ્મસ્થ ભાવ વિચારવાનું કેટલાક શાસ્ત્રકારોએ જણાવ્યું છે. આદ્ય પ્રભુની દાન પ્રવૃત્તિ સર્વત્ર પ્રસરેલી રહી છે. ત્રિલેકનાથ તીર્થકર ભગવાન શ્રી કષભદેવજી મહારાજે સર્વસાવદ્ય ત્યાગ કરવા પહેલાં શિલ૫-કર્મ વિગેરેની પ્રવૃત્તિ તથા તે દ્વારા વર્ણ–વ્યવસ્થા કરી હાથી વિગેરેને સંગ્રહ કરવા સાથે ઉગ્ર, ગ અને રાજન્યાદિકને સંગ્રહ કર્યો, સવ-રાજ્યનો વિભાગ કરી ૧૦૦ પુત્રોને વહેંચી દીધા. ત્યાં સુધી કોઈ પણ યાચક (માગણ) જે વર્ગ દુનિયામાં ઊભું થયેલું જ નહોતે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy