SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પુરતા ૧-લું થશે તો ઉપર જણાવેલું વચન તેમને કેઈપણ અંશે પણ દુખ કરનારું થશે નહિ. આત્માના પરિણામને અંગે કર્મના ક્ષયોપશમ આદિનું ફળ થતું હોવાને લીધે ઉપર જણાવ્યું તેમ જીવંત શરીર દ્વારા કે જીવ રહિત શરીર દ્વારા ફળ થઈ શકે છે. વળી તે કરતાં પણ વધારે આશ્ચર્ય તે એ છે કે સિદ્ધ પરમાત્મા કે જેઓ આપણી દૃષ્ટિના વિષયમાં જ નથી, તેઓને પણ નમસ્કાર કરતાં સર્વ–પાપને નાશ થાય અને તે નમસ્કાર સર્વ મંગળમાં પહેલું મંગળ બને, એવી જે આજ્ઞા પંચપરમેષ્ઠિસૂત્રે કરેલી છે, તે પણ અધ્યવસાય-શુદ્ધિ દ્વારા આત્મા ફળ મેળવતા હોય તે બની શકે. ગુણે જાણવા આદિ માટે આકૃતિની અવશ્ય જરૂર છે? - આ બધી વસ્તુ ધ્યાનમાં રાખનારે મનુષ્ય ભગવાનની ભક્તિમાં ઉત્થાપકે તરફથી જે ગાયની આકૃતિનું દષ્ટાન્ત દેવામાં આવે છે, તેમાં તે દષ્ટાન્ત દેનારની અજ્ઞાનદશા સમજી શકશે. કેમકે જેનશાસ્ત્ર પ્રમાણે આત્મ-પરિણામથી ઉત્પન્ન થતી દેવાદિકની આરાધના વિગેરેથી જે ગુણરૂપી ફલે છે તે પિતાના આત્મામાંથી પ્રગટ કરવાના છે. પરંતુ તે બીજે ઉત્પન્ન થાય અને આત્મામાં આવે, એમ જૈનશાસન પ્રમાણે બનતું નથી અને માનેલું પણ નથી. જે તે અજ્ઞાની મનુષ્ય દીધેલા ગાયના દષ્ટાન્ત ઉપર ઘટના કરવા માગીએ તે સ્પષ્ટ માનવું પડે કે-જેમ ગાયને જે વખતે દેહી લઈએ તે વખત પછી તે ગાયમાં દૂધ રહેતું નથી, તેવી રીતે એક કેવલજ્ઞાની મહાત્માથી કોઈ પણ એક ભક્ત જીવનું કલ્યાણ થાય, તે પછી તે કેવલજ્ઞાની મહાત્મા તે કેવલજ્ઞાન
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy