SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૩૩૧ મનસુખલાલ દીપચંદ ( મુંબઈ ) શ્રી પ્રાણલાલ દેવશીભાઇ, શ્રી ચંદ્રકાંત દેવશીભાઇ (મુંબઇ) શ્રી અમૃતલાલ હરખચ ંદ દેશી (વાવ) અને શ્રી જયંતિલાલ ગાંડાભાઈ (નવસારી) ના લાગણીભર્યો સહકાર તથા સાથ માટે અમે ઋણી છીએ. અમારે એક જ કહેવાનું છે કે, વર્ષી દૃમ્યાન વિવિધ વિષયસ્પશી મનનીય, હળવા શિષ્ટ સાહિત્યના રસથાળ પીરસતા ‘કલ્યાણ ’ ને તમે જરૂર સહકાર આપતા રહેશે, વર્ષ દરમ્યાન લગભગ હજાર પેજનુ મનનીય રસપ્રદ વાંચન આપવાની અમારી ભાવના છે. માટેજ ‘ કલ્યાણુ ’ ના પ્રચાર વધુ ને વધુ કેમ થાય? જૈન સંઘમાં ઘેર ઘેર ‘કલ્યાણુ’ કેમ પહોંચતુ થાય ? તે માટેના અમારા પ્રયત્નામાં અમને સહુ કઈ શુભેચ્છકો સાથ તથા સહકાર પૂર્ણ પણે આપતા રહે! તેવી પર્વાધિરાજના પુણ્યપ્રસ ંગે અમારી સ કાઈ ‘કલ્યાણુ ' પ્રેમી પુણ્યવાનાને વિનમ્ર વિન ંતિ છે. મત-મતાંતરો સંઘમાં કદાચ હાઇ શકે. પણ જૈન શાસનની સેવા, નિષ્ઠતા તથા તેના પ્રત્યેની શ્રદ્ધા તા જૈનમાત્રના હૈયામાં એક સરખી રહેવી જોઇએ. વમાનકાળ કપરો છે. જડવાદનું વાતાવરણ ચામેર ગાઢ બનતુ જાય છે, આસ્તિકતા, ધમ’પ્રત્યેની દ્રઢતા, શાસનપ્રત્યેની શ્રદ્ધા તેમજ દેવ-ગુરુની ભકિત અને જૈન શાસ્ત્રોએ ફરમાવેલા સદાચાર તથા સદ્વિચાર ઇત્યાદિ મગલ તત્ત્વા તરફ આજે ઉપેક્ષાભાવ તેમજ બેદરકારી વધતી જાય છે, તે પરિસ્થિતિમાં શ્રદ્ધા, સસ્કાર, તેમજ ધપ્રત્યેની નિષ્ઠા, અને આસ્તિકતાનું કલ્યાણકર શ્રધ્ધાત્મપ્રધાન શુભ વાતાવરણ સર્જાય તેમ કરવાની ‘કલ્યાણુ’ ની તેમ છે, તે જ તેના શુભ મનારથ છે, ને તે માટેના તેના પ્રયત્ના સતત ચાલુ છે * રજ માત્ર પણ છૂપાવ્યા વિના અમે એકરાર કરીએ છીએ કે, કલ્યાણ ' દ્વારા એક પાઇની પણ કમાણી કરવાના અમારા ઉદ્દેશ નથી. ‘ કલ્યાણ' સરકારમાં રજીસ્ટર થયેલી ધાર્મીક ટ્રસ્ટની સસ્થા છે. તેના માના ટ્રસ્ટીએ પોતાના તન, મન તથા ધનનો શકય હાય ત્યાં ભોગ આપીને પણ કલ્યાણુ ’ ’ ની સેવા તેઓ કરી રહ્યા છે. ‘કલ્યાણ દ્વારા શિષ્ટ, રસમય મનનીય વાંચનને પ્રચાર કરવાના અમારા શુભ ઉદ્દેશ છે. ‘કલ્યાણ’ માં આજ કારણે જેમ બને તેમ જાહેરાતા વિશેષાંક સિવાય ઓછી લેવાના અમાર સંકલ્પ છે. ચાલુ અંકમાં ૬ પેજ સિવાય વધારે ન લેવી તેમ અમારી ભાવના છે, વિશેષાંક દળદાર તથા વૈવિધ્યસભર પ્રસિદ્ધ કરવાના હાવાથી તેને આર્થિક દૃષ્ટિએ પહેાંચી વળવા માટે અમારે જાહેરખબરે અનિવાર્યરીતે સારી લેવી પડે છે. જાહેરાતા મેળવવા મહેનત પણ કરવી પડે છે. છતાં પણ લેખાનું પ્રમાણ સ્હેજપણ ઘટાડયા વિના, પાના વધારી ને અમે વિશેષાંકમાં જ વિશેષ જાહેરાતા લેવાનું ધારણ સ્વીકાર્યું છે. રતિ-અતિ, સુખ-દુઃખ, સંપત્તિ-વિપત્તિ, હ-શાક તથા આનંદ-ઉદ્દગ તેમજ સયેાગ-વિયેાગના દ્વંદ્વોથી ઘેરાયેલા આ સંસારમાં સુખપૂર્વક શાંતિમયરીતે જીવન જીવવા માટે આજે ધર્મ પ્રત્યે શ્રદ્ધા તથા જીવનમાં આસ્તિકતા કેળવવાની જરૂર છે,
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy