SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ વિ.સં. ૨૦૧૬ના ચાતુર્માસ માટે અમારા શાંતાક્રુઝના સંઘે જ્યારે દાદર-મુંબઈ-જૈન જ્ઞાનમંદિરમાં પૂ. વયેવૃદ્ધ પરમોપકારી ધર્મધુરંધર પરમગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે, દક્ષિણ દેશદ્વારક પરમપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષમણુસૂરીશ્વરજી મહારાજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન શતાવધાની પૂ.પાદ પંન્યાસજી મહારાજશ્રી કીતિવિજયજી ગણિવરશ્રી માટે ચાતુર્માસને અને | વિનંતિ કરી, ત્યારે તેઓશ્રીએ કૃપાપૂર્વક અમારી વિનંતિ | સ્વીકારી, ને ૫. પાદ પચાસજી મહારાજશ્રીને ચાતુર્માસ મોકલવા કપ દર્શાવી. જે ચાતુર્માસમાં તેઓશ્રીની પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં અમારા જેવા અનેક આત્માએ તેમની વિદ્વત્તાભરી વાણુનું શ્રવણ કરી ધમમાં સ્થિર થયા. અને એ રીતે અમારા ઉપર તથા શ્રી સંઘ ઉપર તેઓશ્રીએ મહાન ઉપકાર કર્યો છે? આ બધે મૂલ ઉપકાર પૂ. પાદ પરમગુરૂદેવ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીને છે, તેઓશ્રીને આ રીતે અમારા પર અગણિત ઉપકાર છે; તેઓશ્રી ખરેખર શાસનના મહાન સ્થંભ હતા. સમર્થ ગીતા અને પ્રકાંડ વિદ્વાન હતા. ધમધુરંધર બહુશ્રુત સૂરિપુંગવ હતા. તેઓશ્રીએ જનશાસનની અસાધારણુ પ્રભાવના કરી છે. આવા મહાન સૂરિદેવનાં ચરણેમાં કટિ કટિ વંદના સેવક: ચીમનલાલ નાથાલાલ શાંતા. શા. લાલચંદ એન. ગાંધી એન્ડ કાં. ઠે. કૃષ્ણનિવાસ. મજીદ બંદર : મુંબઈ-૩
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy