SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૪--૧૯૮૮ માનવ કલહના કીચડમાં આખડયા કરે તે અહિંસાને વિજય અરે લેખાય, જ્યાં અહિંસાની સાચી પ્રતિષ્ઠા થાય ત્યાં તે સમગ્ર વેર વિરોધનું શમન થવું જોઈએ અને જીવમાત્ર સાથેની મૈત્રીની ભાવના જાગૃત થવી જોઈએ. ભગવાને જોયું કે આ રીતે માનવકુળ આથડતાં રહે તો અહિંસા કલંકિત થાય. અહિંસા ઉપરનું એ કલંક દૂર, કરવા અથવા તે અહિંસાના અધૂરા વિશ્વવિજયને પૂર્ણ કરવા ભગવાન, અનેકાન્તવાદની પ્રતિષ્ઠા કરી. ખરી રીતે તે અનેકાંતવાદ એ કાઈ સ્વતંત્રવાદ નહી પણું અહિંસાને એક પ્રકારને વિકાસ જ લેખવો જોઈએ. સૌ કોથળામાંથી પાંચશેરીની જેમ પોતપોતાની વાત જ કહા કરે અને સામાની વાતનેય સાંભળવા કે સમજવા જેટલી પણ તૈયારી ન દાખવે તે કલહ થયા વગર ન જ રહે. ભગવાને કહ્યું: તમારી વાત જેમ તમારા દષ્ટિએ સાચી છે એમ બીજ ની વાત એની દષ્ટિએ સાચી હોવાનો સંભવ છે. કઈ પણ વાતને એકાંત સત્ય તરીકે માની ન લેતાં એના જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ પ્રમાણે અનેક અંશેને સ્વીકાર કરીએ તે જ સંપૂર્ણ સત્યને અથવા સત્યના વધારેમાં વધારે અંશને સાક્ષાત્કાર થઈ શકે. અને આ વાદને-અનેકાંતવાદ–ઉપયોગ કેવળ તત્વજ્ઞાનની કે કઈ પણ બાબતની તાત્વિક ચર્ચામાં જ સીમિત નથી થતે; એ તે જીવનની સમગ્ર પ્રવૃત્તિને આવરી શકે છે. અને જીવનમાં જેટલા વધારે પ્રમાણમાં અનેકાતવાદનું અવતરણ થાય છે એટલા પ્રમાણમાં જીવન અમૃતમય બની જાય છે. એમ કહેવું જોઈએ કે અનેકાન્તવાદ એ અહિંસાનું સૂમમાં સૂથમ છતાં ઉત્કટમાં ઉત્કટ સ્વરૂપ છે. અને વાઘ અને બકરી એક આરે પાણી પીતાં કરવાની અદ્દભુત શક્તિ . એમાં રહેલી છે. ભગવાન મહાવીરની જીવનસાધનાનું આ તે માત્ર અકલ્પતિઅ દર્શન છે. બાકી છે ત્યાં કંઈ કંઈ એવા અસાધારાણુ તો રહેલા છે કે જેનો પાર પામ બહુ અઘરો છે. કરવા જેવો છે. અનેકાન્તવાદ જેવું અમૃત માપણી પાસે હોવા છતાં આપણે જેને નજીવા મતભેદને લઈને આપસઆપસમાં કલહ કરીએ છીએ ત્યારે નથી લાગતું કે આપણે ભગવાનને ધર્મમાગ જ ચૂકી ગયા છીએ? એટલે ભગવાનના જન્મદિન નિમિત્તે, ભવાન મહાવીરની સાક્ષીએ અને આપણી પોતાની સાર એ આપણે આપણુ અંતરનું સંશોધન કરીએ; અને અહિંસા, અનેકાંત અને અપરિગ્રહની રત્નત્રયીથી દીપતા ધર્મમાગ અનુસરણ કરીને આપણું અને બીજાનું કલ્યાણ કરીએ. અસ્તુ! મફતનું નહિ ખાઈએ આઠ આઠ વર્ષથી ત્યાં પાણીનું ટીપુંય નહોતું પડયું. તેવા રાજસ્થાનના જેસલમેર જેવા સૂક અઠ્ઠ પ્રદેશમાં લોકોને ખાવા ધાન્ય ન હતું. આઠ આઠ કાર મા દુકાળાએ લોકોની કમ્મર ભાંગી નાખી હતી, પરંતુ તેઓ હિંમત હાર્યા ન હતા. “જેવા આપણા તકદીર” એમ બોલીને તેઓએ કપરાકાળને વધાવી લીધેલું. | દીનદુખીયાના સહારા જેવા બે ઉદાર–નવીર પુરૂષ એક દિવસ એ પ્રદેશમાં આવી ચડયા. સાથે એક મોટો સ્ટાર હતો. જેમાં ખીચોખીચ બાજરો રેલે હતે. તેમણે એ પ્રદેશના લેકને કહ્યું કે, “અમારે પણ પ્રદેશમાં હજી ફરવું છે, આ બાજરો અમે અહીં ખડકી દઈએ છીએ. બાજરાના આ ઢગલામાંથી સૌ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે લઈ જજે. અમે સાત દિવસ બાદ અહીં પાછા આવીશું, ત્યારે આપણે બીજી વ્યવસ્થાની વાત કરીશું.' સાત દિવસ પસાર થઈ ગયા બાદ પેલા નવીર પુરૂષો પાછા ફર્યા, ત્યારે તેમણે જે આશ્ચર્ય જોયું, તે માનવા ઘડીભર તેમનું મન તૈયાર ન થયું. કારણકેH - બાજરાને આખે ઢગલે જેમને તેમ કર્યો હતો, તેમના અચંબાનો કઈ પાર ન રહ્યો. તેમણે યારે ત્યાંના લોકોને આમ થવાનું કારણ પૂછયું, ત્યારે લોકેએ જણાવ્યું કે “ અમે ગરીબ જરૂર છીએ, અમારે અનાજની પણ સખત જરૂરત છે, પરંતુ અમે મફતનું લેવા નો માગતા ” તમે અમને કામ આપો....મજુરી આપે અગમ મજુરીના બદલામાં તમે અમને બાજરો આપજે, પરંતુ ફક્તમાં અન્ન અમે નહિ લઈએ. પણ આ પણે માટે તે, ભગવાનની આટલી જીવનસાધનાના પ્રકારમાં પણ, આપણી પ્રવૃત્તિઓને હિસાબ
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy