SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ PATDI ODIA H ભણ્યા પણ ગણ્યા નહિ શ્રી દશરથ મહારાજાએ શ્રી રામચંદ્રજીને, રાજગાદી મે ભરતને આપી તેમ કહ્યું ત્યારનો પ્રસંગ બધા ભૂલી ગયા લાગે છે? શ્રી રામચંદ્રજીનો મનનીય ખુલાસો આપણને વિઘ્નરૂપ બને માટે તે યાદ નહિં કરવાનો! પિતાજીને રાજગાદી માટે મારો પણ અભિપ્રાય પૂછવો પડયો તે ભાવિ ઇતિહાસમાં મારો અવિનય ગણાશે તે વાત આજે ગૌણ કરવાની ? શ્રી જૈનશાસન (અઠવાડીક) જેમ આજના રાજકારણીઓની ભાષા કઇ? પોતાના પદ્મમાંથી બીજાના પક્ષમાં જાય તે ‘પક્ષપલટો” કહેવાય. અને બીજાના પક્ષમાંથી પોતાના પક્ષમાં આવે તે ‘હૃદય પરિવર્તન’ કહેવાય. તેમ જૈન શાસનમાં ક્ષમાધર્મના પરમાર્થમાં શું વાત જણાવી તે આ લેખકશ્રીના ખ્યાલમાં તો હશે જ પણ પોતાને અનુકુળ નહિં, માટે ગીતાર્થ એવા પૂ આચાર્ય ભગવંતો માટે પણ લખવાની આવી ધૃષ્ટતા કરી હશે ને? પોતાને ખોટી માન્યતા ગણાય તે સુધારવી તે ભલ ગણાય તેવી આમની મનોદશા છે ને ? જેમને પોતાના તારક ગુરુઓની સેવા ભકિતથી માર્ગનો બોધ થયો હોય તેની દશા કેવી સુંદર હોય? (૧) સં. ૨૦૩૨માં શ્રી સિદ્ધાચલજીમાં નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠા માટે જે લોટરી- નકરા પદ્ધતિ કરાયેલ તેનો સ્વ. સૂરિપુરંદરે સખત વિરોધ કરેલો, ત્યારે ૨૦૩૨માં પૂના કેમ્પના ઉપાશ્રયમાં પોષ વદિ- ૧+૨ ને રવિવાર, તા. ૧૮-૧-૧૯૭૬ના વ્યાખ્યાન પછી જાહેરમાં પૂ.શ્રીને ‘ખેડામાં આપની નિશ્રામાં નકરા પદ્ધતિથી પ્રતિષ્ઠા કરાઇ અને અહીં (શ્રી સિદ્ધગિરિજીમાં) વિરોધ કરો છો?' આ ભાવનો જો પ્રશ્ન પૂછેલ અને પૂ. શ્રીજીએ જેનો સંતોષકારક ઉત્તર આપેલ, જે જાણકારો સારી રીતના જાણે છે. વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા. ૯-૮-૨૦૦૩ હેમચંદભાઇ (બટુકભાઇ) પોતાના આદેશ ખુલ્લુ મૂકી અને પોતે જ વધુ બોલી બોલી તેનો લાભ લીધેલ અને બીજાઓએ તેવું અનુકરણ ન કર્યું તથા પૂ. શ્રીજીએ નિશ્રા આપી તે ભૂલ હતી? (૩) પૂ. શ્રીજીની પૂણ્યનિશ્રામાં મુંબઇના એક પરામાં (વીલેપાર્લે) અંજનશલાકા - પ્રતિષ્ઠા પ્રસંગે મૂળનાયક પ્રતિમાજી શ્રી શ્વેતાંબર માન્યતાને અનુસરત ન હતાં. પૂ.શ્રીએ ધ્યાન ખેંચ્યું તો કાર્યકરોએ તે અમે બલીશું તેમ જણાવી તેની પણ અંજનવિધિ કરાવી દીધી તો ત્યાં શું માનશે? સ્વ. પૂજયશ્રીજીની સંમતિ? (૨) સં. ૨૦૩૫માં સુરેન્દ્રનગરમાં અંજનશલાકા પ્રતિષ્ઠાદિ સમયે પણ જે નકરા પદ્ધતિથી ભગવાનને પ્રતિષ્ઠિત કરવાના આદેશો આપેલા અને પૂ.શ્રીજીએ ખેતાનો અરૂચિભાવ પ્રગટ કરેલ તો તે વખતે બે ભાગ્યશાલીઓ (૧) સુ. નરોત્તમભાઇ મોદી, (૨) સુ. (૪) સં. ૨૦૨૪માં કર્મસાહિત્ય નિપુણમતિ પ.પૂ.આ. શ્રી વિ. પ્રેમસુરીશ્વરજી મહારાજા વૈ વ. ૧૧ના ખંભાતમાં સમાધિથી કાળધર્મ પામ્યા તે વખતે પૂ.શ્રીજીએ પ્રાસંગીક હિતશિક્ષા આપી અને ઘણાં સાધુખો (જેમ આના લેખક પણ માને છે- તે માર્ગ છે તેમ પૂરવાર કરે છે) અગ્નિ સંસ્કાર પછી રાખ લાવેલા તો પૂ. શ્રીજીઅે. તે બધાને ઠપકો આપેલ, તે પ્રવૃત્તિ પ્રત્યે પોતાનો અણગમો બતાવેલ અને ગુણાનુવાદના પ્રવચનમાં જણાવવા જેવું જે જણાવેલ તે પણ જાણકારો સારી રીતના જાણે છે અને હાલ ઘણાં વિદ્યમાન પણ છે. (૫) શ્રી જિનમૂર્તિના દ્રવ્ય અંગે પૂ. શ્રીજીની જે માન્યતા હતી તે પણ નિકટના અંતેવાસીઓ સ રી રીતના જાણે છે. (૬) સંમેલન વખતે પણ પૂ. શ્રીજીએ અગ્નિ સંસ્કારની બોલી અંગે જે જણાવેલ (જેની નોધ મેં પણ કરેલ અને પૂ. શ્રીજીએ જે સુધારેલ) તે ધી વાતો જાણકારોને સુવિદિત છે, છપાઇ ગયેલ છે. (૭) ‘સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયોની સમીક્ષા’ આ પુસ્તકના લેખક કોણ છે તેની મને પૂરેપૂરી ખબર છે કારણ કે તેની પ્રેસકોપી મેં જ કરી છે. માટે વિકૃત વાતોથી લોકોને ભ્રમમાં નાખવાની ભૂલ કરવા જેવી નથી. ITI-૧૪૪૬)
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy