________________
ભયા પણ ગણ્ય નહિ
શ્રી જેનશાસન (અઠવાડીક)
જે વર્ષ: ૧૫ જે અંક: ૪૩ છે તા. ૯-૯-૨૦૦૩
ભયા પણ ગદ્યાર્નાર
- પૂ. મુનિરાજશ્રી પ્રશાંતદર્શન વિજયજી મહારાજ (હમણાં હમણાં પૂ.સ્વ. આ.ભ. શ્રી વિજય વિચક્ષણ સૂ.માના લખાણ સાથે ‘ગુરુદ્રવ્ય અંગે વિશદ વિચારણા' પત્રિકા એક જ વ્યકિત ઉપર ત્રણ ચાર વખતે આવેલી અનુભવાય છે. તેમાં મોકલનાર તરીકે બીજલ ગાંધી ૭ પ્રેમલ ફલેટ, વિકાસ હિરોડ, પાલડી, અમદાવાદ-૭ છે અને તે પોસ્ટ થઇ છે માલેગામ સીટી (મહારાષ્ટ્ર)થી તે જ બતાવે છે પત્રિકા છપાવ તારે નામ કે પ્રેસનું નામ આપ્યું નથી અને પોસ્ટ કરનારે અમદાવાદથી પોસ્ટ કરવાને બદલે માલેગામ સીટીથી કેમ પેસ્ટ કરી છે? લખાણ અને લખનાર બંને બોગસ છે.
આ પીળ પત્રિકા દ્વારા બોગસ માણસો પોતાની ખોટી વાતને ખોટા પ્રચારને સત્ય બતાવવા પ્રયત્ન કરે છે. નામ સરનામું કે પ્રેસનું નામ લખતાં નથી. કયારેકનામ લખે તો તે ખોટું લખે છે.
તેવી રીતે ‘ગુરુદ્રવ્ય અંગે વિશદ વિચારણા' એ પણ એક પીળી પત્રિકા છે. પૂ.આ.શ્રી વિજય વિચક્ષણ સૂ.મ.સા. નિવેદન કર્યા પણ ઘણો વખત આવ્યા હતાં પણ તે વખતે આ નકલી રામસેવકને પ્રતિકાર કરવાનું સૂઝયું નહિં અને પાછળથી ખં૨ મારવા જેવો આ પીળી પત્રિકાનો પ્રયોગ કર્યો છે.
" એ બતા છે કે રામસેવકે નામથી પત્રિકા છપાવી નથી અને શાસ્ત્રીય પ્રચાર સામે ટકવાની તાકાત નથી તેથી “સ્વપક્ષ સ્થાપન હીન પરપક્ષ ખંડન વિતંડા” એ વિતંડાવાદ અપનાવ્યો છે.
તેમાં વધુ તો શરમની વાત એ છે કે સિદ્ધાંત પક્ષને ખોટો ઠરાવવા અને મૂર્તિનું ગુરુદ્રવ્યને દેવદ્રવ્યમાં જતું અટકાવવાના પ્રયત્નમાં ભાગીદાર એવા શ્રી કાંતિલાલ ચુનીલાલ શાહ મુંબઇવાળા આ પીળી પત્રિકાને એક વડિલ ગીતાર્થ એવા આચાર્ય ભગવંત ઉપર સત્તાવાર ઝેરોક્ષ કરીને મોકલે છે અને તે માટે વિચારણા કરવા ભલામણ કરે છે. તેઓ લખે છે કે:
આ સાવ એક લખાણ મોકલું છું, કોનું છે તે ખબર નથી પણ લખાણ કોઇ સારા અભ્યાસી વિચારકનું જણાય છે. શાસ્ત્રપાઠો સાવ બધા મુદ્દા ચર્ચા છે. ખાસ કરીને સ્વ.પૂ.આ.ભ. શ્રી વિચક્ષણ સૂ. મ.ના લખાણની સમાલોચના છે. ધ્યાનપૂર્વક વાંચીને આપશ્રી તે અંગે કાંઈ જણાવવા યોગ્ય હોય તે જણાવશોજી.’
કાંતિભાઇનું આ લખાણ પીળી પત્રિકાનું સમર્થન કરે છે. કદાચ પીઠ પાછળ ઘા કરવાનો આ એક પ્રકાર હોય. નનામી પત્રિાલખનારને ‘સારા અભ્યાસી વિચારક ગણાવનારાની વિચાર શકિત કયાં ગઈ? મૂર્તિની બોલી દેવદ્રવ્યમાં લઈ જવાને બદલે પોતાના પૂર્વ વિધાનો ગુરદ્રવ્ય દેવદ્રવ્યમાં જાય' તેને ફેરવીને સ્મારકમાં લઇ જવાનો સિદ્ધાંત સ્થાપતા પૂ.આ. શ્રી હેવભૂષણ સૂ.મ., પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સુ.મ. નિવેદન કરે તો તેને શ્રી કાંતિભાઈ સમર્થન આપે તે વાત બેસે, પણ આ આચાર્યોના વિચારોની પુષ્ટિ માટે પીળી પત્રિકાને આગળ ધરાય તે બતાવે છે કે આ આચાર્યો આ વિષયમાં નબળા પૂરવાર થયા છે અને તેમના બચાવ માટે પીળી પત્રિકાને આગળ કરવામાં આવે છે તે સૂચવે છે કે તેમના ઉભા કરેલા સિદ્ધાંત પીળા છે અને ખોટા છે.
એમ તો પૂ.પાદ સ્વ. ગુરુદેવશ્રી શાંતાક્રુઝ હતા ત્યારે પડકાર' નામની પીળી પત્રિકા ઝેર ઓકતી હતી અને આજે = તેને પણ શ્રી કાંતિભાઇ આગળ ધરે તોનાન કહેવાય, અને તેમના આજના વિચારો દ્વારા તે પત્રિકાનો રેલો તેમની નીચે તે ન આવે તે સરૂં.