SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી - સુલસા શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૧ * તા. ૧૯-૮-૨૦૦૩ મહાસતી – સુલસા લેખાંક- ૧૭મો (ગયા અંકથી ચાલુ) તીર હજી ધરતી પર પડયું, ન પડયું ત્યાં જ જયેષ્ઠ ફુલસાપુત્રના દેહ રજાણે તડિત્પાત થયો. નર્કાગાર જેવી ન લિમ વેદનાથી શરીરની નસેનસ ખેંચાવા લાગી. સાંધા વા માંડ્યાં. બે-પાંચ પળ પણ પૂરી નહિ થઇ હોય, તારવાગ્યાને અને એનો ઘા એવા કાતિલ - જીવલેણ નીવડ્યો કે રાજગૃહીનો એક ભડવીર યોધ્ધો હતપુન્ય બનીને રચની જ ફરસ પર ઢળી ફરસ પર ઢળી પડ્યો. એનો શ્વાસ ઘૂંટાઇ રહ્યો હતો. જીવતરની દોરીને ધવચ્ચેથી તોડી દેનારી આ પળ હતી. એના મુખેથી નીચે ડતી વેળા ‘નમો અરિહંતાણં' પદનો મહાઘોષ પ્રગટયો અને એની આંખો સદાયને માટે મીંચાઇ ગઇ. પૂ. મુનિરાજશ્રી હિતવર્ધનવિજયજી મ. હજી શિકાર તો ઘણો દૂર છે, એનું ભાન થતાં જ વીરાંગદનો વિજયોન્માદ ઠરી ગયો. ગમે તેમ શ્રેણિકની નજીક પહોંચવા તે કટિબધ્ધ બન્યો. ઇતિહાસની એ સૌથી કમભાગી ઘટના હતી. રજગૃહીનો એ વિલાપજનક મુકામ હતો અને મહાસતી લસાના વક્ષ પર તૂટી પડેલો મેરૂ પહાડ હતો. કેમકે જયાં યેષ્ઠ સુલસાપુત્રનું અકાળ મરણ થયું એ જ પળે એકની ગાગળ એક ચાલી રહેલા બાકીના પૂરા એકત્રીશે ભાઇઓ ણ જમીન પર ઢળી પડ્યાં. એમનો જીવનદ્વીપ પણ · બૂઝાઇ ગયો. બત્રીશ-બન્નીશ ભાઇઓની મરણચીસોથી એક વાર તો સુરંગની દીવાલો પણ રડી ઉઠી. ત્યાં આ દશ્ય જોઇને સેનાપતિ વીરાંગદે પ્રચંડ જય ધ્વનિ કર્યું. પણ આ તો રાજવી શ્રેણિકના મહાભડવીર અંગરક્ષકોના મોત હતાં. રાજવી શ્રેણિકનો રથ તો આ બત્રીશે રથોની કઇ કેટલાંય આગળ સૌથી મોખરે હતો. રંગના મુખની નજીક તે પહોંચી ચૂકયો હતો. વચ્ચે બત્રીશ - મહાયોદ્ધાઓના રકતથી અભિશપ્ત બનીને ત્યાંજ થંભી ગયેલાં એમનાં બન્નીશ રથ હતાં એની પેલે પાર રાજવી શ્રેણિકનો રથ એમાં રાજકુમારી ચેલણા. ૧૪૧૬ અફસોસ ! પણ સેનાપતિએ કરેલું પરાક્રમ જ સેનાપતિ માટે હવે બાધા જનક નીવડયું. માર્ગ સુરંગનો હતો. એ સાંકળા પંથમાં આગળ થંભી ગયેલ, બત્રીશ - શહીદોના બત્રીશ રથ હતા. એ રથને ન તો ખમેડી શકાયા કે ન તો એની સમાંતર કોઇ રથ જેવું વાહન લઇને નીકળી શકાયું. સેનાપતિ અધીર બની બેઠો. જમીન પર કૂદી પડ્યો. શસ્ત્ર પૂરવઠો એકઠો કરી રથ પાછળ મૂકયો. રઘુનાજ એક અશ્વને રથથી છૂટો પાડી એની પર આરોહાણ કર્યું. પણ આડમાં પહેલા બત્રીશ - બત્રીશ રથોને વીંધીને પસાર થતાં ખાસ્સો સમય પસાર થઇ ગયો. એ જ્યારે આટલા ભગીરથ પુરૂષાર્થ પછી સુરંગની બહાર નીકળ્યો ત્યારે તો શ્રેણિક રાજવીનો રથ વૈશાલીથી સેંકડો માઇલોનો પંથ કાપીને મગધની નજીક પહોંચી ગયો હતો. શ્રેણિક રાજવીને હવે કોઇ રીતે પકડી શકાય તેમ નથી, એવું જણાઇ આવતાં સેનાપતિ વીરાંગદ પાછો ફર્યો. લેખાંક - ૧૮મો. પોતાના અતૂટ પરાક્રમ પર ગૌરવ અનુભવવું કે શ્રેણિકરાજાના સંકજામાંથી રાજનંદનીને નહિ ઉગારી શકવા બદલ ખેદ અનુભવવો, કોઇને સમજાયું નહિ. ખુદ સેનાપતિને પણ નહિ એના સાથીઓને પણ નહિ. પોતાના કાફલા સાથે જયારે સેનાપતિ રાજવી ચેટકની સભામાં ઉપસ્થિત થયાં અને સુરંગમાં ખેલાયેલાં દિલધક યુદ્ધની દાસ્તાન તેમણે રાજવી અને પ્રજાજનો સમક્ષ કહી
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy