SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષત પૂજા વ૨ શુકશજની કથા | ભેગા કરીને આપવા." મહાપ્રસાદ ? કહી બન્ને પક્ષી ઉડી ગયા. કેટલાક કાળ વ્યતિત થતાં જેનો દોહદ સંપૂર્ણ થયો છે. એવી પોપટીએ ઈંડા પોતાના માળામાં પ્રસવ્યાં. તેની સપત્નિ પોપટીએ તેજ વૃક્ષની બીજી શાખા પર માળે બાંધી એક ઈંડુ પ્રાવ્યું. એકદા ચણ માટે તે સપત્નિ પોપટી બહાર જતાં ઈર્ષ્યાથી પેલી પોપટીએ તેનું ઈડું બીજે મુકી દીધું. ચણા લઈ પાછી આવતાં ઈંડુ ન જોવાથી તે દુઃખથી ભૂમિ પર આળોટવા લાગી. તેને વિલાપ કરતી જોઈ, તેનું ઈંડુ ફરી ત્યાં મુકી દીધું. સપત્નિ પોપટી માળો જોવા આવતાં ઇંડુ જોઈ રાજી થઈ પેલી પોપટીએ પાશ્વતાંપ કરી ઘણું કર્મ ખપાવ્યું. છતાં એક ભવમાં ભોગવવા યોગ્ય કર્મ બાકી ગયુ. હવે તે બે ઇંડામાંથી પોપટ અને પોપટી ઉત્પન્ન થયા. | | શ્રી જૈન સાશન (અઠવાડિક) * વર્ષ-૧૫ અંક : ૧૩ * તા. ૦૮-૪-૨૦૧૩ ભ્રમ, સ્ફોટક, સોફ (સોજો) મસ્કત પીડા દાહ અજેજવર એ સાત પ્રચંડ રોગ થયા. ઘણા ઔષધોપચાર કરતાં પણ વેદનાશમી નહિ. ત્યારે દેવદેવીની માનતાઓ કરી એક રાત્રે કોઈ રાક્ષસ પ્રગટ થઈ રાજાને કહેવા લાગ્યો કે '' તારી કોઈ સ્ત્રી પોતાના દેહનું તારા પર અવતારણ કરી અગ્નિમાં પડે તો તું જીવી શકીશ.'' રાજાએ સવારે પ્રધાનને આ હકકીત કહી. પ્રધાને રાજાની ઈચ્છા નહિ છતાં બધી રાણીઓને તે હકીકત કહી જયારે બધી રાણીઓ નીચું મુખ કરી બેસી રહી ત્યારે રતી સુંદરીએ એ કહ્યું કે '' જો રાજાજી જીવતા હોય તો અગ્નિમાં પડવા હું કબુલ છું. પ્રધાને અગ્નિ કુંડ તૈયાર કરાવ્યો. રાણી સ્નાનવિલેપન કરી રાજાને પ્રણામ કરી કહેવ લાગી કે ' હે નાથ ? મારા જીવીતવ્યના બદલામાં તમે ચિંરજીવો. હું અગ્નિ કુંડમાં પ્રવેશ કરૂં છું'' રાજાએ કહ્યું કે ' મારા કર્મો હું જ ભોગવીશ. મારા માટે તારે મરવું યોગ્ય નથી. છતાં રાણીએ રાજા ઉપરથી પોતાનું ઉતારણ કરી અગ્નિ કુંડમાં પોતે કુદી પડી તે વખતે રાક્ષસે પ્રસન્ન થઈ રાણીને વરદાન માગવા કહ્યું. રાણીએ કહ્યું કે '' મારા પતિને રોગમાંથી મુકત કરો.'' પછી રાક્ષસે રાજાને રોગ મુકત કરી રાણીને સિંહાસન પર બેસાડી સ્વસ્થાને ગયો. રાણીએ રાજાને પુષ્પ અને અક્ષતથી વધાવ્યા રાજાએ તેને વરદાન આપ્યું'' તેણે કહ્યું ''અવસરે માગીશ'' એમ કહી રાજાનું મન શાંત કર્યું. હવે એક વખત રતી સુંદરીએ પૂર્વ કર્મથી પ્રેરાઈ કુળદેવીને પ્રાર્થના કરીકે હે માતા ? જો તું મને પુત્ર આપી તો હું જય સુંદરીના પુત્રનું બલીદાન આપીશ. દેવયોગે બન્નેને પૂત્રો થયા. રતી સુંદરીને રાજાએ આપેલું વરદાન યાદ આવતાં રાજા પાસે પાંચ દિવસનું રાજય માગ્યું. રાજાએ ખુશી થઈ પાંચ દિવસનું રાજય આપ્યું. પછી શુભઅવસ રૂદન કરતી જય સુંદરી પાસેથી તેના પુત્રને જબરજસ્તીથી મંગાવી બલીદાન દેવા સુંડલામાં મુકાવી પરિવાર સાહત વાજતેગાજતે કુળદેવીના મંદિરે ગઈ. તે અવસદે કાંચનપુરનો સ્વામી સૂર વિદ્યાધર આકાશ માર્ગે જતો હતો. તેણે સૂર્ય જેવા તેજસ્વી બાળકને જોઈ તે બાળક લઈ લીધો ને સુંડલામ શાળીક્ષેત્રમાંથી હંમેશા ચોખા લાવી. તે પોપટનું જોડું પોતાના બચ્ચાઓને ખવરાવવા લાગ્યા. એકદા તે આદીનાથ પ્રાસાદમાં પ્રભુને વંદન કરવા કોઈ જ્ઞાની ચારણ ૠષિ પધાર્યા તે - ખતે રાજા તેમને વંદન કરવા આવ્યો. અને પુજાનું ફળ પુછવા લાગ્યો. મુનિએ કહ્યું કે જિનેશ્વરની આગળ અક્ષતના ત્રણ ઢગ કરતાં અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. તે સાંભળી ઘણા લોકો અક્ષતપૂજામાં પ્રવર્ત્યા. તે અક્ષતપૂજાનું ફળ સાંભળી પોપટી પોપટને કહેવા લાગી કે'' આપણો પણ અક્ષપના પ્રણ પુંજથી જિનેશ્વરની પૂજા હંમેશા કરીએ જેથી અલ્પકાળમાં સિદ્ધિ સુખને પામીએ. પોપટે તે વાત સ્વીકારી પોતાના બચ્ચાંને પણ તે શિખવ્યુ. ચારે પક્ષીઆ પ્રતિદિન શુદ્ધ ભાવથી આક્ષાત પૂજા કરવા લાગ્યા. આય પૂર્ણ થતાં તે ચારે જીવો દેવલોકમાં ગયા. ત્યાંથી રચવીને પોપટને જીવ હેમપુર નગરમાં હેમપ્રભ નામે રાજા થયો, અને / | | | | | પોપટીનો જીવ તેની જય સુંદરી નામે પત્તિ થઈ. બીજી પોપટો પણ સંસારમાં ભમીને હેમપ્રભરાજાની રતી સુંદરી નામે રાણી થઈ તે રાજાને બીજી પણ પાંચસે રાણીઓ હતી પણ પૂર્વભવના સંસ્કારથી આ બે રાણીઓ વધારે વહાલી હતી. એકદ તે રાજાને દાહજવર થયો. અનુક્રમે અંગભંગ, | ૧૨૧૧
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy