SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 纸箱 卐 $$$$$$$ 纸箱過過過過 過 過 શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૨ વર્ષ: ૧૫૦ અંક: ૮ ૯ તા. ૨૧-૧૧-૨૦૦ જૈન શાસનના પ્રતાપી પુરૂષી જૈન શાસનના પ્રતાપી પુરૂષો - ‘ભક્તિ પરાગ’ અનાદિથી અવળી ચાલમાં મજા માનનાર, દોષોની સાથે ગાઢ દો તી કરનાર, પાપીઓનો જ સંગ કરનાર અને અકશનં ય ચેષ્ટાઓને કરનાર એવા આત્માને સમજાવીને સુધારનાર હોય તો એક માત્ર શ્રી જૈન શાસન છે. તેના પર ાર્થને પામી દોષોને દૂર કરી, ગુણોની સન્મુખ કરના ડા પ્રતાપી પુરૂષો છે. પ્રતાપ શબ્દ જ શૂરવીરતા વાચી છે. તે સાંભળતાં જ કાન ઊંચા થાય, હૈયાના રૂંવાડે રૂંવાડા ખડા થઈ જાય, હું પણ ‘પ્રતા ધી’ બની જાઉં તેવો વિચાર પણ આવી જાય તે સહજ છે. અનાદિની ઊંધી ચાલ શીખેલા આત્માને સીધાં રસ્તે લાવવો તે સરળ કામ નથી પણ નવ નેજે પાણી ઉતારે તેવું કામ છે. આ કોઈ દ્વીચક્રી કે ચારચક્રી કે ઈ કટ્રીકથી ચાલતું વાહન નથી કે ગિયર આછું-પાછું ! ર્યું-ફેરવ્યું કે વ્હીલ બદલો એટલે દિશા બદલાઈ જાય. અહીં તો દિશા બદલવા માટે પહેલા દશા બદલવી પડે. · શા બદલવી એટલે જગતને બદલવાનું નથી પણ જાત બદલવાની છે, લોકોમાં પરિવર્તન ને લાવવાનું નથી પણ જાતમાં પરિવર્તન લાવવાનું છે. પહેલા નંબરે પરિસ્થિતિ પલટવાને બદલે મનને પલટવાનું છે. મનને બદલવા માટે તારકમાર્ગની ૐ અવિહડ શ્રદ્ધા. આજ્ઞા પ્રત્યેનો પ્રેમ, સંસારની ભીતિ 卐 અને મોક્ષની ીતિ પેદા કરવાની છે. માર્ગ મનોહર મનોદશા કેળવવા માટે રોજ વિચારવું કે – ખાવું પરમતારક શાસન મલ્યું, શાસનને યથાર્થ સમજાવનાર સદ્ગુરુ મલ્યા. તો મને હજી પણ સંસારનો રાગ પીડે છે કે શાસનનો રાગ પેદા થયો છે ? જેમને જાત કરતાં પણ શાસન પ્રાણ પ્યારું વહાલું લાગે, શાસન છે માટે હું છું તેમ લાગે પણ ‘હું છું માટે શાસન’ તેવું તો સ્વપ્ને પણ ન વિચારે, શાસન ખાતર જાત કુરબાન થઈ જાય તો તે ૫ જેવું રૂડું બીજું શું - તેમ લાગે, તેનામાં શાસનનો રાગ પેદા થાય. ના રાગ શ દ ‘રંજ’ ધાતુમાંથી રંજન થવું - રાગી થવું અર્થમાં અભિપ્રેત મનાયો છે. ઘર- બાર કુટુંબ-પરિવાર-પૈસા-ટકાદિ પ્રત્યે જે રાગ છે તેથી વગર પ્રેરણાએ પણ રાગના ખેંચાણ આકર્ષણથી આપોઆપ તે માટેની તે બધી ચીજ વસ્તુ મેળવવા-સાચવવા આદિની પ્રવૃતિ થાય છે. તેમ જો શાસનરાગ પેદા થઈ જાય તો પછી શાસન માટેની પ્રવૃતિ આપોઆપ થઈજ જાય તેમાં નવાઈનથી. પછી તો તે પુણ્યાત્મા શાસનને જ વફાદાર હોય, શાસનને જ પૂરેપૂરા આધીન હોય, લાક હેરતમાં તણાતો ન હોય, માન-પાન-સન્માનાદિમાં મૂંઝાય નહિ, મનિ-પાવર્સ અને મસલ્સ પાવર્સના બળે આજના રીઢા રાજકારણી જેવો તે ન બને, તે તો તારક ગુર્વાદિની આજ્ઞાને, જવાબદારી-જોખમદારીથી મૂકેલા વારસાને પ્રાણની જેમ સાચવે, ‘મારું તે જ સાચું’ તેમ ન માને પણ ‘સાચું તે જ મારું’ તેમ માને, શાસન જ પ્રધાન માને, શાસ્ત્ર તે જતેની આંખ. બોલે-વિચારે-આચરે પણ શાસ્ત્ર પ્રમાણે જ, શાસ્ત્રથી જરાપણ આઘા-પાછા થાય નહિ, ખોટાનો પડછાયો પણ ન લે, સાચાનો સાથ એકલા રહેવું પડે તો પણ ન મૂકે - તો આત્માનું પ્રતાપીપણું પેદા થાય. જેઓ માનપાનમાં મૂંઝાઈ જાય, પોતાના જ ભગત બનાવવામાં પડી જાય, સિદ્ધાંતની વાતમાં.લોચા વાળે, ગોળ-ખોળ બેયને સરખા કહે, અવસર આવે સાચી વાત જાહેર કરવાને બદલે મૌન સેવે, આપણો-પોતાનો સ્વાર્થ ન ઘવાય તેની જ કાળજીરાખે, શ્રાવકની સંસારની - સાવઘ પ્રવૃત્તિમાં પણ અનુમતિ આપે તો પ્રતાપી પણું ક્યાંથી પેદા થાય ? ‘ધર્મ કરશો તો આ આ મળશે’ ‘આવું આવું સુખ જોઈએ તો આ આ કરવું’ આવી વાતો ધર્મોપદેશના નામે શરૂ થઈ તેથી શાસનને ઘણું ઘણું નુકશાન થયું છે. પ્રતાપીપણું તો પેદા ન થાય પણ આત્મા આવો સુંદરભવ હારી જાય છે. ગમે તે કારણે આજે યથાર્થ વાત કરનારા પણ ગમતા નથી. તે આત્માની કેવી દુર્દશા છે તે વિચારવું જરૂરી છે. પણ ખરેખર પ્રતાપી પુરૂષો તો આત્માના હિતની 666 原 1000 - 過
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy