SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વૉરને નામ ? પણ સાચો ! તો પછી ધર્મ અને અધર્મની વ્યવસ્થાની કોઇ જરૂર ખરી ? અનેકાન્તના ઓથા હેઠળ દરેક માણસને સત્યવાદીમાં ખપાવવા થનાર લેખકની અસત્યપ્રિયતા હેઘાડી પડી જાય છે. જૈન શાસનના અનેકાન્ત તત્વને સત્ય સ્વરૂપે સમજવા માટે લેખકને હજી બીજો જન્મ લેવાની જરૂર છે. બાવાઓ અને ફકીરો સાથે વધુ પડતી બેઠક-ઉઠક ધરાવતા અને અવસરે એક મંચ ઉપરથી ભાષણો ગીંકતા આ મહાનુભાવને ખોટા માણસને પણ સાચા તરીકે જાહેર કરવા પડે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી. આખી દુનિયાને માખણ લગાવવાના શોખીનોને ‘દરેક માણસો પોતાની અપેક્ષાએ સાચા પણ હોઇ શકે ’ એમ માનવું જ પડે પ્રેમની ભૌતિક દુનિયાનું સર્વોત્કૃષ્ટ વાક્ય ગણાય છે, *** Love You.'' આધ્યાત્મિક જગતનું સર્વોત્કૃષ્ટ વાક્ય (અપેક્ષાએ) આ છે “કદાચ તમે પણ સાચા હ.' (પેજ – ૧૫૦) શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૪ પણ આધ્યાત્મિક જગતનું સર્વોત્કૃષ્ટ વાકય શોધવાનું કામ સતત સમસ્યાઓથી ઘેરાયલા માણસનું તો નથી જ. ‘કદાચ તમે પણ સાચા હો.' આ વાક્ય સંશયાત્મક વાક્ય છે. આવા સંશયાત્મક વાક્યને આધ્યાત્મિક જગતના સર્વોત્કૃષ્ટ. વાક્ય તરીકે ગણાવતા આ લેખકની આધ્યાત્મિકતા પૂરી શંકાસ્પદ બને છે. ‘કદાચ તમે પણ સાચા હો' આ વાક્ય તો અનિશ્ચિતતામાં અટવાતા માણસના મોઢેથી જ નીકળે છે. આવા અનિશ્ચિતતામાં અટવાતા અને છતાં આધ્યાત્મિક જગતના સર્વોત્કૃષ્ટ ! વાક્યના લેબલ લગાવનારા સમાજને ઉભો કરવા પાછળ પાગલોની વસ્તી વધારો કરવા સિવાય બીજો ક્યો ઉમદા ! આશય હોય શકે ? આવા ઉમદા આશયો (દિવાસ્વપ્નો એમ વાંચો) ધરાવતા માણસને વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાં ભરતી કરવા જોઇએ એમ નથી લાગતું ? સમાલોચના: તમે અક્કલનું ‘સથાણું’ બનતું ક્યારે પણ જોયુ કે ચા ખ્યું છે ? આ અથાણું કોઇ બજારમાં વેચાતું નથી. આવા પુસ્તકોમાં એ ક્યારેક જોવા મળે છે. ‘આઇ લવ યુ’ આ વાક્ય પ્રેમની ભૌતિક દુનિયાનું સર્વાંત્કૃષ્ટ વાક્ય છે કે નહિ ? તે ‘મજનૂ’ ઓને પુછવાનો વિષય છે. સમાધિ, સમાધાન, શાંતિ વગેરે સત્ય છે; માટે તેમને જે પેદા કરે તે જ સત્યો સત્ય છે. તેમને જ સ્વીકારવાં જોઈએ. (પેજ-૧૫૦) સમાલોચના; અત્યાર સુધી તો અમે એવું માનતા હતા કે દુનિયાને ઉધા ચશ્મા પહેરાવવાની મોનોપોલી કેવળ તારક મહેતાની જ છે. પણ આ લેખકે પણ આ વ્યવસાયમાં ઝંપલાવ્યું છે તેની હવે જ જાણ થઇ છે. લેખક અત્રે ઉધા ચશ્મા પહેરાવતાં તમને ७०८ અંક ૪૪ ૭ તા. ૧૩-૮-૨૦૦૨ સમજાવવાનો પ્રયાર કરે છે કે ‘તમે જેકહેતા હો કે આચતા હો એનાથી સામો માણસ અસમા ધિમાં પડી જાય, તેના મનનું સમાધાન ન થાય કે તેને અશાંતિનો અનુભવ થાય તો તમારું કહેલું કે આચરેલું સત્ય હોય તો પણ અસત્ય બની જાય છે.’ આનુ નામ ‘દુનિયાને ઉધા ચશ્મા’ કહેવાય ! હવેથી સૌએ ચેતીને ચાલવા જેવું છે. ભુલે-ચૂકે પણ કોઇ માણસ આ લેખકશ્રી પાસે પહોંચી જાય અને કહે કે તમારા સાધુપણાંથી મને ખૂબ જ અસમાધિ થાય છે . અશાંતિનો અનુભવ થાય છે. તે તરત જ આ લેખકશ્રી પોતાના રિધ્ધાન્ત મુજબ સત્ય ! ની સુરક્ષા માટે સાધુવેશ ઉતારવાની શરૂઆત કરવા માંડશે. એમના માટે તો સમા ધ, સમાધાન અને શાંતિ (લોકોની) હત્વની ચીજ છે. લોકોની શાંતિ માટે તેઓ સાધુવેશ ઉતારવો પડે તો પણ તૈયાર છે. એમને મન લોકો ખુશરાખવા એજ સત્ય છે ! અસલમાં જ્ઞાની બોની સત્યની વ્યાખ્યા અલગ છે. જ્ઞ નીઓને મન સત્ય આટલું માટીપણું નથી. સત્ય કોઇની અસમાધિ, સમાધાન કે અશાંતિથી અસત્ય બ ી જાય એટલું તકલાદી નથી. આી દુનિયાનાં વિરોધ વચ્ચે પણ સ સૂર્યની જેમ પોતાના તેજસ્વી કિર ગો રેલાવતો સદા પ્રકાશિત જ રહે છે. લોકોની શાંતિ-અશાંતિમાં તણાનારો માણસ કદી સત્યને પામી શકતો નથી. સત્યની
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy