SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તેજિ શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ: ૧૪ : અંક૪૦ : તા. ૧૬-૯-૨૦૦૨ તેબિન્દુ (વીર શાસન વર્ષ -૧૪, અંક - ૩૨, પૃ. ૪૮૧-૪૮૨ માંથી સાભાર) પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિવરનું કોઈ અજ્ઞાતે આલેખેલું રેખાચિત્ર અનુવાદ આ લેખક : શ્રી ચીમનલાલ સંઘવી. "Striking features of the world" 'તેજની પ્રતિમાઓ’નામના અપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રન્થના આધારે. (આ નીચે પ્રગટ કરાતી બીના, ‘મુંબઇ સમાચાર’, શનિવાર, તા. ૯-૫-૩૬ ના અંકમાંથી અક્ષરશ: પ્રગટ કરાય છે. શ્રી ચીમનલાલ સંઘવીએ પોતાનું નામ અનુવાદ આ લેખક તરીકે આપેલું હોવાથી, આના મૂળ લેખક તે ભાઇ છે અગર બીજા કોઇ છે, અને બીજા છે તો કોણ છે, એની મા હતી અમને નથી. એ ભાઇ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કયી દષ્ટિએ જૂએ છે એ એમના શબ્દો ધ્યાનપૂર્વક વાંચતા આપોઆપ સમજાય તેમ હોવાથી, કેવળ વાયકોની જાણને માટે જ અત્રે તેનો ઉતારો આપવામાં આવે છે. * તંત્રી, શ્રી વીરશાસન) "यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत !! अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥" શ્રી કૃષ્ણની ગીતાની એ વિખ્યાત પંક્તિઓના સ્મરણ સાથે દૃષ્ટિપટ પર જે તેજમય પ્રતિમા પ્રકાશી ઊઠે તેનું કાંઇક આછું સ્વરૂપ તે મુનિશ્રી રાષ્ટ્રવિજય. અંગ પર એક પ્રકારનો ભાવનાનો રસ વહે છે, જે તેમની પ્રેરક શક્તિને પ્રકાશ આપે છે. તેમના મુખ પર સ્મિતની રેખાઓ હર -હંમેશ પથરાયેલી જ રહે છે, છતાં તેમના હૃદયમાં ઘુઘવતા આછા અવ્યક્ત : :ખની જળતી ચિનગારી કુશળ જોનારની દૃષ્ટિથી રહેતી. સામાન્ય માનવીથી આ દ્વન્દ્વ સમજાવું અશક્ય છે. કોઇક તે ધંધને ચાલાકીનું સ્વરૂપ પણ હીએ, પણ હૃદયના સૂક્ષ્મ પરીક્ષક મહાકવિ ભવભૂતિએ તો ગાયું છે કે નથી "वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि । હોìત્તરાળાં ચેતાંસિ, ો દિ વિજ્ઞાતુમર્દ તે ।।’’ | તેજમૂર્તિઓનાં હ્રદય અને વ્યક્તિત્વ હંમેશા અગમ્ય જ હોય છે. તેમના હૃદયમાં પુષ્પની કામળતા હોય છે. કોઇક સમયે તેઓ વજસમા કઠણ બને છે. તેમના હૃદયમાં દુ:ખની છાયા હોય છે. મુખ૨ તેઓ સ્મિતની રેખાઓ પાથરે છે. કોઇક ૫. તેઓ કેસીઅસે બ્રુટ્સને સીઝર સંબંધમાં કહ્યું હતું તેન- He bestrides the narrow world liked colosus - સમા બની જાય છે. પ્રત્યેક માનવી આ વૈવિવ્યતા સમજવાને અશકત હોય છે. ૫ રેણામે કોઇક અંજાઇને તેમને પૂજે છે, કોઇક અણ સમજ્યું ધિક્કારે છે. તેમને સમજનારાઓ તો દૂર દૂરી તેમને હ્રદયનાં વંદન કરે છે ને તેમના પન્થની સફળતાની ભાવના ભાવી, તે પર મૂક આશિષ વેરે છે. | | મુનિશ્રી રામવિજયમાં તેજ છે, પ્રતિભા છે, વ્યક્તિત્વ છે. તેમની આંખોમાં ઉંડાણ છે, ચાપલ્ય છે તેજનો ચમકાર છે. તેમની ભ્રૂકુટિમાં સ્વ સિદ્ધાંતનું રક્ષણ કરવાની તત્પરતા છે. તેમના અંગે ૬૫૬
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy