SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બોધકથા લાલસા માણસને કંગાળ બનાવે છે CHષણ અને દૂષણ છે - પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. મહાપુણ્યોદયે આવી સુંદર સમજ - સામગ્રીવાળો દોહિલ એવો મનખાદેહ મળ્યો છે. તો તેને શું ઝિી કરવો છે? ભૂષિત કે દૂષિત ! એકવાર એક જિજ્ઞાસુએ એક સાચા તત્ત્વજ્ઞાની મહાતાની પાસે આવી અવસર પામી પૂછયું કેદેહમાં ઉત્તમ અંગ કર્યું !' ત્યારે મલકાતા મહાત્માએ જવાબ આપ્યો કે- ““અંત:કરણ અને જીભ.'' કરૂણા - દયાથી છલકાતું અને પાપભીરુ હૃદય અને હિત - મિત - પપ્પા અને સત્યના નિવાસરૂપ જીવા – એ બે દેહમાં ઉત્તમ અંગ છે. પછી તેણે પ્રશ્ન પૂછયો કે- “દેહમાં અધમ અંગ કર્યું ? ' તો સહજતાથી મહાત્માએ કહ્યાં કે- “રત:કરણ અને જીભ” આ જવાબ સાંભળતાં જ તેના મોઢામાંથી આશ્ચર્ય “હે” નીકળી ગયું. જેને આપે સિી ઉત્તમ કહ્યા તે જ અધમ. આર્ષ અને અનુભવી પુરૂષો ! વાણી કયારે પણ ખોટી હોતી નથી. પણ શ આજે આપણને આર્ષદ્રષ્ટા પુરૂષો પર સભા ક-વિસ્વાસ નથી. ' તથી તેના આશ્ચર્યનું સમાધાન આપતાં મહાત્માએ કહ્યું કે- ““ભદ્ર ! સાંભળ. અંતઃકરણમાં ક્રૂરતા અને જીભ પર અસભ્ય અસત્ય - પાપની પુષ્ટિ કરવામાં નિવાસ કરે તે અધમ છે. ક્રૂરતા અને અસત્ય એ બધા જ પાપોની જનની બને છે તેથી જ તે ભૂષણને પણ ઈમણ કરે છે. જ્યારે કરૂણા અને સત્ય આત્માને ભૂષિત બનાવે છે. આપણા દેહને આપણે કેવો બનાવો છે? ભૂષણ રૂપ કે દૂષણ રૂપ ? સુધારવો છે કે બગડવો છે? તત્ત્વજ્ઞાન પચ્યાની પારાશીશી જ આ છે કે સર્ષદ્રષ્ટાઓની અગમ્ય અનુભવવાણી પણ સત્ય જ લા છે. આ સમજનારું આપણું હૃદય થાય તો ય આપણે ગંગા નાહ્યાા . - રતિલાલ ડી. ગુઢકા - લંડન સમ્રાટ સિકંદરે એક વાર તુર્કિસ્તાન ઉ ૨ ચડાઈ લઈને ગયો પણ ત્યાનો રાજા શાંતિથી બેઠો છે પ્રધાન સમજાવે છે મહારાજાને તો કહે સિકંદરને આવા એમ કરતા આવી ગયો ત્યારે પ્રધાન મંત્રી કે, સીમાડે સિકંદર આવી ગયો ત્યારે રાજા કહે હું ઉંઘમા નથી એ આવશે તેવો ચાલ્યો જશે તમે જરા પણ ગભરાશો નહિ. રાજા તૂર્કિસ્તાનનો. સિકંદરનું સન્માન કરવા ગયો બંને ભેટયા સિકંદરના મનમાં થયું આદર - સત્કાર પાછળ કંઈ માયા તો નહિ હોય ને ખૂબ સાવચેતીથી જાય છે. બધા સૌ સૌના સ્થાને જમવા બેઠા છે દરેકને જગ્યાએ રેશમી રૂમાલ ઢાંકેલી સોનાની થાળીઓ આવી ગઈ રાજાએ સિકંદરને ભોજન કરવા વિનંતી કરી. દરેકે પોતાના ભાણા ઉપરથી રૂમાલ લઈ લીધા છે તો દરેકના ભાણામાં ભોજનને બદલે જાદી જાડી ચીજો હતી સેનાધિપતિના થાળમાં સોનાના સિક્કા સેનાપતિના થાળમાં ચલણી નાણાંના સિકકા અને સિકંદરના થાળમાં હીરા - મોતી અને માણે ભરેલા હતા. આ જોઈને સિકંદરને ગુસ્સો આવ્યો ને માવેશમાં હિ કડવા શબ્દો બોલ્યો કે તમે આ શું કર્યું છે? તમે મને છે જમવા બોલાવ્યો છે કે મારી મશ્કરી કરવા ! ત્યારે કી તુર્કિસ્તાનના રાજાએ કહ્યું કે કેમ ભોજનમાં ખામી છે. આપ જેવું ભોજન ઈચ્છો છો તેવું મેં પીરસ્યું છે. આપ હું દરરોજ જેવું ભોજન જમો છો તે તો ગ્રીસમાં બેઠા બેઠા છે પણ જમી શકો છો તમને જેની ભૂખ લાલસા લાગી છે ? તેને માટે તમો આટલું કષ્ટ વેઠીને અહી અ ,વ્યા છો , એનુ લક્ષ ખેચીને મે આવું ભોજન પીરસ્યું છે. બાકી તો મશ્કરી કરવાનો મારો ઈરાદો નથી, સિકંદર ૨૨માઈને ગ્રીસ પડાવ ઉઠાવી ચાલ્યો ગયો.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy