SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ તમને જ આ બધું સાંભળવવા છતાં ય હજી આ સંસારનું સુખ છોડવાનું મન પણ થતું નથી એટલું જ નહિ પણ આ સંસારનું સુખ છોડવા જેવું જ છે એમ પણ લાગતું નથી તેથી લાગે છે કે તમે ભૂતકાળમાં જે ધર્મ કરેલો તે ભૂંડો કરીને આવ્યા છો. સભા ઃ સંસારના સુખ માટે ધર્મ કરાય કે ન કરાય ? ધર્મી જીવ દુર્ગતિમાં જાય નહિ પણ સદ્ગતિમાં જ જાય. |. - ન જ કરાય. જ્ઞાનિઓએ કહ્યું છે કે સંસારના સુખ ત્યાં જે સુખ સામગ્રી મળે તે તાકાત હોય તો છોડી દે અને તાકાત છે માટે ધર્મ કરવો એટલે હાથે કરીને દુર્ગતિ ઊભી કરવી. જે ન હોય અને તે સુખ સામગ્રી ન છોડી શકે તો વિરાગથી ભોગવે પત્ર રાચીમાંચીને કદી ભોગવે નહિ તે માટે શ્રી તીર્થંકરપરમાત્માદિ મહાપુરુષોના જીવનો આપણા માટે દૃષ્ટાન્ત ભૂત છે. શાસ્ત્ર શ્રાવકોને સાકરની માખી કેવા કવાં છે જે ન અવાજ થતાં ઝટ ઉડી જાય. જ્યારે શ્લેષ્મમાં રસાયેલી માખી ન ઉડે. તમે કેવા છો ? સાકરની માખી જેવા છો કે શ્લેષ્મની માખી જેવા છો ? | આજે ઘણા પૂછે છે કે - શ્રી વીતરાગદેવનો ધર્મ સંસારના સુખ મારે ન કરાય તો તે સુખ માટે કૂદેવ પાસે જવાય ? પણ તે ગાંડાને ભગવાનના વચન ઉપર શ્રદ્ધા જ નથી. ધર્મે તો “જે જગતના જીવોને કોલ આપ્યો છે કે - જે જીવ ભગવાનની આશા જબ ધર્મ કરે તે જ્યાં સુધી મોળે ન જાય ત્યાં સુધી હું તેની સાથે ને સાથે રહું. અને તે સંસારમાં રહે ત્યાં સુધી તેની બધી ખબર અંતર હું પૂરી પાડું, તેને જોઈતી સામગ્રી આપ્યા વિના રહે નહિ.’અને કુદેવાદિની સેવા-ભકિત કરશો તો તમને સુખ મલી જ જવાનું છે ? ‘મારે તો દુનિયાનું સુખ જોઈએ છે માટે તે સુખ માટે ભગવાનની પૂજા નહિ કરું પણ બીજા કુદેવાદિની પૂજા કરીશ' આવું માને તે જીવ ધર્મ માટે લાયક કહેવાય કે નાલાયક કહેવાય અજ્ઞાની કહેવાય કે જ્ઞાની કહેવાય ? | આ મુહપત્તિના પચાસ બોલ બરાબર સમજી ગયા ને ? હવે સમજી સમજીને ઉપયોગ પૂર્વક બોલવાના ને ' તે રીતે બોલતા થાવ તો આ પાટ ઉપરથી તમને કોઈ ગમે તેમ નાવી નિહ જાય. વખતે તે જો બગડયો હશે તો તમે તેને સુધારી શકશો. મોક્ષમાર્ગના ઉપાયોની વાત ચાલે છે. વિશેષ વાત આવે સભા : અમારે તે સુખ જોઈએ છે તો શું કરવું ? |. - પાપ ન કરવું. જીવવા માટે ઝેર ખવાય ? શ્રી જૈન શાસન (અઠવાડિક) બચાવવા કહે છે. બાકી તમારે દુર્ગતિમાં જ વું હોય તો કોઈ બચાવનાર નથી. તમને ભગવાનની કરેલી એક વાત ગમે છે ? આજે તો ધણા કહે છે કે - 'અમને અમારા પુછ્યું જે સુખ મળ્યું છે. તે અમે કેમ ન ભોગવીએ ? તે ભોગવીએ તેમાં તમારા બાપનું શું જાય છે ? ' આવાને તો ભગવાન પણ ન સુધારી શકે ! :ખ પાપથી જ મળે. દુનિયાના સુખ માટે ધર્મ કરો તો તે ધર્મ પણ પાપ જ કહેવાય. અને જેને દુઃખી ન થવું હોય તેને પાપનો ત્યાગ જ કરવો જોઈએ.. જેને આ સીધી અને સાદી વાત પણ સમાજવી નથી તે લોકો ઘણું ગાંડપણ કરે છે. પોતે તો ઊંધા માર્ગે છે પણ ભલા અને ભદ્રિક જીવોને પણ ઊંધા માર્ગે લઈ જાય છે. તેવું કામ જો સાધુઓ પન્ન કરતા હોય તો તેઓ ભગવાનના વેષને ઊજવે છે. દુનિયાના સુખને અને મોજમાદિને જે ઈચ્છે તે બધા મ ટેભાગે દુર્ગતિમાં જ જનારા છે. તેવા જીવોને આ સદ્ગતિ પણ વધરે દુર્ગતિ માટે મલી છે. આ દુનિયાનું સુખ મઝેથી ભોગવે તે દુર્ગતિમાં જ જાય. અનંતજ્ઞ નિઓને સંસારીઓની દયા આવે છે માટે તેનાથી un.... સાધુ - સાધ્વીજી તથા જૈન સંઘો સાવધાન કેતનકુમાર કાંતિલાલ નામઢ (ઉં.વ. ૨) નામનો એક ફરેબી જૈન યુવક તેના અનુચિત વ્યવહારના કરણે ધરથી કાઢી મૂકવામાં આવેલ છે. લગભગ ૧ વર્ષથી તે જુડા જુદા આચાર્ય ભગવંતાદિ જૈન સાધુઓ પાસે દીક્ષાર્થી તરીકે રહે છે. તપસ્વી અને કરોડપતિ હોવાનો દેખાવ કરે છે. લોકોમાં વિશ્વાસ જમાવી, લાગ જોઈને જ્ઞાનખાતાની ૨કમ તથા શ્રાવકો પાસેથી બનાવટી વાતો કરીને સોનાના દાગીના તથા રોકડ રકમ ઉધાર માંગીને ભાગી જાય છે. ક્યાંક પ્રતિષ્ઠાદિ મહોત્સવમાં લાખો રૂા.ની બોલ બોલીને ચૂકવ્યા વિના ભાગી જાય છે. તેણે ૧ મહિના પહેલાં માથ ના વાળનો લોચ કરાવેલ છે. તેના જમણા ગાલ ઉપર કાળા રંગન. મસો છે. તેની માયા જાળમાં કોઈ સાધુ કે શ્રાવકો ફસાય નહીં તે માટે આ જાહેરાત કરવામાં આવેલ છે. ગલિ મહોદ સાગર (પુર)
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy