SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ 5 વર્ષ ૯ અંક ૩૬ તા. ૬-૫–૯૭ : : ૭૮૧ પ્રતિક્રમણ પૂરું કરીને સાંતનુ શેઠ પિતાના વસ્ત્રાલંકારોને પહેરતા જાય છે. છે પણ એમાં એમને પિતાને નવહખો હાર જડે નહીં. અંધારામાં આસપાસ બધે { તપાસ કરી પણ હાર ન જડે. પરમહંત શ્રેષ્ઠિવ સાંતનુના અંતરમાં ત્યારે “મૂલ્યવાન હાર ચોરા” તેના કરતાં પણ “સાધર્મિકની મેં આ હદ સુધી ઉપેક્ષા કરી એને 4 આઘાત વધ રે લાગ્યો હતો. છેકલિકાલ સર્વજ્ઞના પટ્ટપ્રભાવક પૂજ્યપાઢ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહા૨ { રાજાની સામે પણ બે વિકલ્પ હતા. રાજાજ્ઞાનું પાલન કરીને “રાજગુરૂ” તરીકેનું રે સમાન પાળો અથવા ગુર્વાજ્ઞાનું પાલન કરીને ધગધગતી તેલની કડાઈમાં કૂદી પડે. 8. સૂરીશ્વરજીએ જીવતરને જતું કરીને જિનાજ્ઞાને જાળવી હતી ! જે અદભુત છે તમારી કાવ્યકલા ! કવિવર, સાક્ષાત્ સરસ્વતી પણ રચવા બેસે છે તો આવું રચી શકે. તમારી કવિતાને હું દેશવિદેશમાં પ્રખ્યાત કરી દેવા માંગું છું, છે પણ એક શરત છે. આ કાવ્યમાં ઋષભદેવને સ્થાને શંકરદેવ, વિનીતાનગરીને સ્થાને ધારા નગરી અને ભરત મહારાજાને સ્થાને તમે મારું નામ મૂકી દો !” માલવસમ્રાટ A ભેજની આ આજ્ઞા સામે ધન પાળને જવાબ હતોઃ “આ તમે શું બોલી રહ્યા છો છે રાજન ? કયાં ઋષભદેવ અને કયાં શંકરદેવ ? શું સાગરનું સ્થાન એક સરોવર લઈ ન શકે ? સ્વર્ગ સમી વિનીતાનગરીની પાસે તમારી આ ધારાનગરી તે સાવ રંક દીસે છે. અને | ભરત અને આપની સરખામણી તે સ્વપ્નમાં પણ ન થઈ શકે, રાજન્ ! આ વાત છે છે કે કાળે શકય નહીં બને.” * ગુજરાતનો નાથ સામે ચાલીને બેલાવે છે અને મંત્રી મુદ્રાને સ્વીકાર કરવાની ઓફર કરે છે પણ વસ્તુપાળ તે, મંત્રી મુદ્રાના ઝાષ્પમાળમાં સહેજ પણ છે ને અંજાયા વિના, સામી શરત મૂકે છે: “મારા પ્રભુની આજ્ઞા મારે માટે સર્વોપરિ રહેશે. 8 છે સૌથી પ્રથમ હું મારા પ્રભુની આજ્ઞાને વફાદાર રહીશ, પછી આપની આજ્ઞાને જ્યારે 8 • આપની અને મારા પ્રભુની આજ્ઞા સામસામી આવી ઊભશે ત્યારે રાજન્ ! હું આપની છે આજ્ઞાને નહીં પાળી શકું !” સાંભળ્યું છે કે પરણવા તૈયાર થયેલ ક્ષત્રિય યુવાન, પિતાની પરણેતરને સ્વી4 કાર કરતાં પહેલાં એને કહેતો કે “યાઝ રાખજે, તું મારી બીજી પરણેતર છે. મારી 8 મ કેડે ઝુલી રહેલી આ તલવારને હું પહેલાંથી વરી ચૂક્યો છું ! આ તલવારનો છે પિકાર પડશે ત્યારે હું તારી સામું જોવા પણ ભવાને નથી !' ક્ષત્રિયને પ્રતિજ્ઞામંર હોય છે : “પહેલી તલવાર, પછી પરિવાર ! ” મોક્ષાર્થીને પ્રતિજ્ઞામંત્ર હોય છે. “પહેલે આજ્ઞાવિચાર, પછી સંસારને વ્યવહાર ન છે અને વ્યાપાર ! ” (“શબ કહું બસ એક પરસમાંથી) : * *
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy