SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ : આ બાજુ ઘેાડા ખેલાવીને પાછા વળતા એવા શ્રી સૂર્યશા ગજાએ પણ માર્ગોમાં તેના અંતિમધુર ગાનના નાદોને સાંભળ્યા. પેાતાના હાથી, ઘેાડા, પાયદળ અને રથ રૂપ ચતુર'ગી સેન ને પણુ એક પગલું આગળ ચાલવા અસમર્થ જાણીને, રાજાએ પેાતાના અમાત્યને આદરપૂર્વક કહ્યું કે-હે મંત્રી! આ સસારમાં નાદ સમાન કઈને સુખદાયી બીજુ કાંઈ પશુ દેખાતું નથી, જેને પરવશ પડેલા આ પશુએ પણ તેમાં માહિત થયેલા દેખાય છે. મેટેભાગે નાદ વડે દેવ-દાનવ-રાજા-સ્ત્રી આદિ મથા વા થઇ જાય છે. આપણે પણ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામિને નમસ્કાર કરવા આ મંદિરમાં જઇએ અને આ ગીતગાનના સ્વાદને અનુભવીએ.' આ પ્રમાણે તે દેવીએના ગાનમાં મૂંઝાયેલા રાજા પણ મંત્રી સ થે શ્રી જિનાલયમાં ગયા. : Ge ત્યાં હાથમાં વીણાને ધારણ ધરતી જાણે સાક્ષાત્ સરસ્વતી જ ન હોય તેમ ગીતગાનમાં લર્વન બનેલી, કામદેવની જાણે રતિ-પ્રીતિ નામની બે પ્રિયા સમાન દૈવીરૂપ સંપત્તિવાળી કે એ કન્યાને જોઇને, સ્નેહથી તેણીના કામરૂપી કટાક્ષમાણા વડે હૃદયમાં વિધાયેલા તે રાજા પેાતાના મનમાં વિચારવા લાગ્યા કે, આવું અતિ અદ્ભૂત રૂપ કયા પુણ્યશાલીના ભેગને માટે થશે. ખરેખર કામ અતિ ક્રુચ્ છે. કામને પરવશ પડેલા આત્મા સારાસારના વિવેક પણ ભૂલી જાય છે. ખરેખર ચરમશરીરી એવા આત્મા એને જો કામરાગ નુંઝવે છે તેા આજના જીવાએ તેા કેટલા સાવધ-સાવચેત રહેવુ જોઇએ. કેમકે આપ્તપુરૂષએ કહ્યું છે કે—‘મૂળમાંથી ઉખેડી નાખ્યા છે આચાર અને વિચાર રૂપી વૃક્ષને એવા કામવાયુ જયાં સુધી વાર્તા નથી ત્યાં સુધી જ બતાવ્યું।સદ્ધ ને! મા એવા વિવેકરૂપી દીપક હૃદયમાં દૈીપ્યમાન રહે છે, અર્થાત્ કામ એ વિવેકના નાશ કરનાર છે. ત્યારપછી રાજા સાગર્દિષ્ટ વડે તે એને જ જોતા, ભગવાનને પ્રણામ કરી, ચૈત્યમાંથી બહાર આવી, બહારના ઉચિત પ્રદેશમાં બેઠા. તે બને દેવીએ પણ પેાતાની જાળમાં રાજા બરાબર ફસાયેલેા જાણી, ગાન પૂરૂ કરી, બહાર આવી, રાજાના આ દેશથી મંત્રી તેમની પાસે જઇ સુધા સમાન મધુરવાણી વડે તેમના કુલાર્દિકને પૂછવા લાગ્યું, તે બ'નેએ કહ્યુ` કે—અમે બંને મણિચૂડ વિદ્યાધર રાજાની પુત્રીએ છીએ. બાલ્યકાળથી જ ગીત-ગાનની કલામાં રસવાળી છીએ અને ક્રમે કરીને યૌવનને પામેલી અમારા માટે અમારા પિતાએ વરની શેાધ કરવા માંડી પણ અમારા રસ-રુચિ સમાન પતિને હજી પામી નહિ તેથી સ્થાને સ્થાને તીથ ભૂમિઓમાં જઈ ભગવાનના જિનાલયૈાને નમી અમારા આ જન્મને સફળ કરીએ છીએ. કેમકે, આવા દેવદુર્લભ મનુષ્યભવ ફરી કયારે મળે ? આ K
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy