SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1038
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૭૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) દુનિયા પાસાને અગિયારમે પ્રાણ માને છે, પૈસા ઉપરના પ્રેમને ખાતર પૈસે મેળવવા શું શું નથી કરતા તે જ સવાલ છે. પૈસે મળ્યા પછી તેને ભોગવવા અને સાચવવા પણ શું શું કરે છે તે સૌના અનુભવમાં છે. પણ તેના ઉપરના આંધળા રાગે તેને એક કષ્ટ-કચ્છ લાગતું નથી. પૈસામાં જ પાગલ બને તે નથી શાંતિથી ખાઈ-પી શકતે કે સુખે સૂઈ શકતો કે ચેન પણ પામી શકતું નથી. પોતાના જીવતા પણ તે ધન ચાલ્યું જાય છે મર્યા બાદ બીજાઓના હાથમાં જાય છે? આ દુનિયાને વ્યવહાર નજરે જેવા છતાં પણ મુરખ શિરોમણિ તે પોતાને “સમજણને બેતાજ બાદશાહ માનતે પાપના પોટલાં જ માથે ચઢાવી દુર્ગતિને મહેમાન થાય છે. ૧૮ “ભારેપણું” ડૂબાડે જ તે વાત સમજાવે છે... . જહ જહ અન્નવસા, ધણધન પરિગ્રહ બહુ કુણસિ; આ તહ તહ લહું નિમજજસિ, ભવે ભવે ભારિતરિવ ૧લા , .. હે જીવ! અજ્ઞાનને વશ પડી તું જેમ જેમ ધન-ધાન્યાદિ નવ પ્રકારને પરિગ્રહ વને એકઠે કરે છે તેમ તેમ પ્રમાણુથી અધિક ભાર ભરેલા નાવની માફક તું તરત જ ભવભવમાં ડુબે છે. પરિગ્રહને પાંચમું પાપ (૧૮ પાપ સ્થાનકમાં) કહેલું છે. મૂછીને પરિગ્રહ કહ્યો છે. “અતિ હંમેશા ત્યાગ કરવા જેવું છે. વસ્તુને અતિરેક જ માણસને ડુબાડનાર બને છે આ અનુભવ સિદધ વાત છે. આજ્ઞા મુજબની “ગુરૂતા” તારનારી છે પણ દુનિયાની ગુરૂતા ડુબાડનારી બને છે. જેમાં ઓવરહેડ પોતાની શક્તિ ગજ હદ ઉપરાંત કરવામાં આવે તે તે વિનાશને જ સજે તેમાં બે મત નથી. ભૌતિક વિનાશ તે એકાદ વાર નુકશાન કરે પણ પરિગ્રહના ગુરૂતાના ભારથી થતે આત્મ વિનાશ ભવના વિનાશનું કારણ બને છે. ૧૯ અરિહંતની કૃપા લક્ષ્મી શ્રેન્ન સરસ્વતી તદભર્યા તવ નેદારતા તાપિ તૃતીચ ઘટે યદિ પુનઃ પુણ્ય રગણ્ય રપિti સૌજન્યું ન વિભતે તદપિ ન ચેતૂ નાટ્ય ધમે રતિઃ તત્સવ અરિહન્દ કૃપયા વચ્ચેવ સંદશ્યતે | લક્ષમી હોય ત્યાં સરસવતિ ન હોય- લક્ષમી અને સરસ્વતિ બને હોય ત્યાં ઉદા૨તા કોઈ પૂર્વના પૂર્ણ પૂછ્યું હોય તે જ હેય. લક્ષમી સરસ્વતી ઔદાર્ય આ ત્રણે હેય ત્યાં સૌજન્ય ન હોય અને સાત જન્ય હેય તે ધર્મે રતિ ન હોય લક્ષમી સરસ્વતિ ઔદાય સૌજન્ય અને ધર્મરતિ આ પાંચ ત્યાં પરમેશ્વર, ભગવાન અરિહંતની કૃપાથી આ પચે આપશ્રીમાં મૂર્તિમંત દર્શન થાય છે.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy