________________
સમક્તિના સડસઠ બેલની સઝાય ઉપર પ્રશ્નોત્તરી -
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ.
[ ગતાંકથી ચાલુ ] . : ૨૮૩-આ બંને નયને ફલિતાર્થ સમજાવે.
ઉ ? આ પ્રમાણે બંને નયની એકાંત વાત સાંભળ્યા-જાણ્યા પછી તેના પર માથે. ભૂત રહસ્યને નહિ જાણતે આત્મા સંશયને પામે કે આમાં તત્ત્વ શું હશે? તે તેના સમાધાનમાં કહ્યું છે કે
__ 'सव्वेसिपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥'
( આવ. નિ. ગા. ૧૦૬૭) આ પ્રમાણે સઘળાય નયના, સામાન્ય જ, વિશેષ જ, સામાન્ય વિશેષ ઊભાયાત્મક જ એક બીજાની અપેક્ષા રહિત વિવિધ પ્રકારના મંતવ્યને જાણીને, સઘળાય નયને એકી. મતે સંમત એવું જે વચન કે જે જ્ઞાને પાર્જન સાથે ચારિત્રની આરાધનામાં જ તત્પર છે તે જ સાધુ છે તે વાતને સ્વીકાર કર જોઈએ. કારણ કે, બધા જ ન તરવથી તે ભાવ નિક્ષેપાને જ ઈરછે છે-માને છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહી ખુદ શ્રી તત્વાર્થકારે પણ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ ત્રણેની એકરૂપતામાં જ-પણ ભિન્નતામાં નહિ-એક્ષમાર્ગ કહ્યો છે.
તે જ રીતે નિર્યુક્તિકારે પણ પ્રકાશક એવું જે જ્ઞાન સુંદર એ જે તપ અને વિશુદ્ધ એવું જે સંયમ તે ત્રણેની એકરૂપતામાં જ શ્રી જિનશાસનમાં મિક્ષ કહ્યો છે– એમ કહ્યું છે. માટે જ્ઞાન અને ક્રિયા બંનેની પ્રધાનતા જાણે, બંનેમાં પ્રયત્ન કરે જોઈએ જ,
પ્ર : ૨૮૪-શમસુખની પ્રાપ્તિમાં કયું કારણ બતાવ્યું છે?
ઉ૬ આત્માના મોટામાં મોટા શત્રુ રાગ અને દ્વેષને દૂર કરી, સડસઠ (૬૭) બેલને પરમાર્થ જાણી, સમ્યક્ત્વને વિષે જ મન કરી, સમકિતની આરાધના કરે તે જ આત્માએ નિચે કરીને શમસુખને પામે છે.
પ્ર : ૨૮૫-સમકિતમાં નિશ્ચલને કઈ ઉપમા આપી છે?