SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જી ૪ ૧૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મ વિશેષાંક - જિન આણુ વિનાના મહાતપ-ત્યાગ સામે જિનઆણપૂર્વકની નવકારશી પણ ઘણી છે. # ઘણુ કમ નિર્જ કરાવે છે. આજે ભેળી–અજ્ઞાન દુનિયા બહારના તેવા તેવા પ્રકારના તપ-ત્યાગ-જ્ઞાન–વ્યાખ્યાન શકિત વગેરે જોઈ–નિરખી–તેઓ પ્રત્યે આકર્ષાઈ જાય છે, ખેંચાઈ જાય છે. ને ટેળેટેળા ઉભરાઈ જાઈ છે. પણ તેમાં તેઓની તેટલી પારખવાની શકિત છે.? કે આ બધું જિનાજ્ઞાથી–જિનઆણથી સુવાસિત છે ? આવું મોટા ભાગના લોકે તપાસતાં નથી. એટલે કે ઘણાં બાળજી-ખોટા માર્ગે દોરાઈ આત્માની અવનતિ કરે છે. માટે સમ્યગજ્ઞાન-સમ્ય દર્શનના અભ્યાસી બની-જિનાજ્ઞાના જ પક્ષપાતી બની છે આત્માના કલ્યાણના ભાગી બને ! “આણા એ ધમે” સદગુરૂના સમાગમ સિવાય અંતરના ઉંડાણમાં આ વાત નહિં રૂચે–નહિ જશે. માટે સદ્દગુરુને પરીચય કેળવી આણું સમજી અનાદિના આમા પર લાગેલા કર્મમળના જામી ગયેલા થરના થરને મૂળથી છે R ઉખેડી પોતાના શુદધ–વિશુધ–પ્રકાશના અજવાળાને પ્રગટ કરે ! એ જ અભ્યર્થના, આજ્ઞા બદ્ધ સંઘ પૂજય. શ્રી સંઘ એટલે સમુદાય. સમુદાય સાધુઓનાં પણ હોય, શાહુકારોને પણ છે હોય અને લુંટારાઓને પણ સમુદાય હાય ને ! આવા સમુદાયને કઈ માનવી એકદમ સારો કે બેટે કહી દે તે એ શું ભયકંર નથી ? ત્યાં તરત જ જરૂર કહેવું પડે કે – સાધુઓનો સમુદાય સારે. સાધુઓને સમુદાય આવતું હોય તે સામે જવું જોઈએ. જે ગૌરવપૂર્વક સન્માન કરવું જોઈએ કારણ કે આ સમુદાય આત્માની ઉન્નતિ કરવાને છે માર્ગ બતાવે છે અને દુનિયાને સન્માર્ગે જોડે છે. શાહુકારોનો સમુદાય પણ આબાદી કરનારે છે તે આવે તે ઉચીત આદર સત્કાર ! કરાય છે. પરંતુ લુંટારાને સમુદાય તે ગાબડાં જ પાડનાર છે. તે આવતું હોય તે ઉચીત ! કરવું પડે તે જરૂરથી કરે ને ! તેવી જ રીતે શાસ્ત્ર કહે છે કે, શ્રી સંઘ એ સમુદાય છે. તે પૂજક પણ છે અને ૪ ભયંકર સ૫ જે પણ છે. આ વાંચી તમને તરત જ પ્રકન થશે કે પૂજય કઈ રીતે છે અને ભયંકર સર્પ જે કઈ રીતે ? તે, મનના પ્રશ્નનું નિરાકરણ કરી લે અને જાણી લે કે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા યુક્ત હોય તે શ્રી સંઘ પૂજય છે અને આજ્ઞાયુકત જે સંઘ ન હોય તે ભયકંર છે સર્પ જેવો છે. 8 માટે જ આજ્ઞામાં વિચરતે શ્રી સંઘ પૂજ્ય છે. -અમીષ આર. શાહ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy