SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ පපපපපපපපපපපපපපපපපපප વાસ્તવિકતાના આરે આવીએ.... ' – શ્રી મુક્તિપંથ પથિક පපපපපපපපපපපපපපපපපපපපපපා વિશ્વતારક શ્રી જિનશાસનની ગૌરવગરિમા ઉજજવલ કેટીની છે. જેન શાસનના " ત કે સિદ્ધાંતે સર્વજ્ઞ કથિત રહેવાના કારણે યથાર્થતા સભર છે, અન્ય શાસનમાં નથી તે આવા તો નથી તે આવા સિધાંતે કે નથી તે આવા તો સિધાંતની સાચી સમજ. જૈન શાસનમાં શાસ્ત્રોના એક એક સૂત્રો કે વચને અનંત અર્થના ગ ભીર્યથી સભર છે અત્યન્ત રહસ્યપૂર્ણ છે અને પૂર્વાપરથી પૂરેપૂરા અબાધિત છે. આગમ શાસ્ત્રોના સૂત્રોની તે શું વાત કરીએ પૂર્વાચાર્યોના શાસ્ત્રોમાં કંડારાયેલા વચન પણ એકબીજા શાસ્ત્રોથી કે પૂર્વાપરના વચનોથી જરા પણ બાધિત નથી માત્ર શાસ્ત્રના સૂત્રો કે વચનેને સમજવા બુધિ શકિત અને શ્રદધા જોઈએ આ બેમાંથી એક ચીજની પણ ખામી હેય તે શાસના સૂત્રો કે વચનોને વિપરીત એ અનર્થકારી અર્થ થઈ જવાને અને એનાથી ઉમાર્ગ પ્રવર્તન પણ થવાનું આવું ન બને માટે જ જૈન શાસનમાં માત્ર આગમના સૂત્રોને જ મહત્વ નથી આપ્યું પણુ પંચાંગીને મહત્વ આપ્યું છે. પાંચગી સિવાય સૂત્રના દંપર્યાથ સુધીના યથાર્થ અર્થને સમજી શકાય નહી. પંચાંગીમાં સૂત્ર-નિયુકિત-ભાષ-ટીકા-ગુણ એ પાંચ આવે. એમાં સત્ર તે તીથ. કર ભગવતેએ અર્થથી પ્રરૂપેલા પદાર્થોને ગણધર ભગવંતોએ રચેલા હોય છે. એ સૂત્રને સમજવા માટે ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ નિર્યુકિતઓની રચના કરેલી છે. એ નિયુકિતને સમજવા માટે શ્રી જિનભદ્રબાહુગણી ક્ષમાશ્રણ ભાષ્યની રચના કરેલી છે એ ત્રણેને સ્પષ્ટ સમજવા માટે પૂર્વાચાર્ય મહાપુરુષેએ ટીકા અને એની રચના કરેલી છે. એના દ્વારા જ અંગમ સૂત્રોના અર્થો યથાર્થ રીતે સમજી શકાય. સૂત્રને નિયુકિત આદિથી નિરપેક્ષ યથાશ્રુત (ઉપર છલો) અર્થ કરવાથી દપર્યાય સુધી સાચે અર્થ સમજી શકાય નહી. માટે આગમ સૂત્રના કે પૂર્વાચાર્યોના ગ્રન્થના પંચાંગી સાપેક્ષ પરિશીલન કરવું જોઈએ જેથી બોલવામાં અને લખવામાં જિનેશ્વર ભગવંતેના વચનને અન્યાય આપવાનું ન થાય. અત્રેના અનર્થકારી અથ ન થાય અને ઉત્સત્ર ભાષણને દેષ ન લાગે. . આગમ સૂત્રોના કે પૂર્વાચાર્યોના વચને ૧ યથાશ્રુત (ઉપર છલે) અર્થ કરવામાં આવે તે અર્થને અનર્થ થયા વગર ન રહે. દા. ત. “નમે અરિહંતાણં' પદને અર્થ અરિ=દુશ્મન હતાણું =હણનારા તેમને નમસ્કાર થાઓ.” આવો ઉપર છલ કરવામાં આવે તે ખરેખર અનર્થ થાય જ. પિતાના દુશ્મન માણસોને હણનાર બીજા માણસને
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy