SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં પણ તેમાં આત્માના વાસ હાય છે. કીડી કરતાં ઘણા ઘણા પ્રમાણમાં નાનાં અને કુંજર કરતાં ઘણા ઘણા પ્રમાણમાં મોટાં શરીર પણ હોઇ શકે છે; પરન્તુ જે આત્મા અતિ નાના શરીરમાં જેમ સત્ર વ્યાપક રહી શકે છે. તે જ આત્મા અતિ મોટા શરીરમાં પણ તેમ જ સત્ર વ્યાપક રહી શકે છે. આત્મા, એ એવું દ્રવ્ય છે કે-તે અતિશય સંકુચિતપણે પણ રહી શકે છે અને અતિશય વ્યાપકપણે પણ રહી શકે છે. એ વખતે આત્માનુ પેાતાનું જે પ્રમાણ છે, તે પ્રમાણમાં કશી જ ન્યૂના ધકતા નથી થતી. મૂળભૂત જે પ્રમાણુ, તેમાં ન્યૂનાધિકતા થવી-એ અસ‘ભવિત વતુ છે. તમને જિજ્ઞાસા થશે કે આત્માનું પ્રમાણ કેટલું? આત્મા એ એવુ' કાઈ દ્રવ્ય છે જ નહિં કે, જેને ચ ચક્ષુર્થી જોઇ શકાય. એને સ્વતંત્રપણે રૂપ-રંગ આદિ કાંઇ હેતું જ નથી જ્ઞાનથી . જ જાણી શકાય, એવુ એ દ્રવ્ય છે; અને જ્ઞાનગુણુ પાતે જ એન અસ્તિત્વને જણાવનાર છે. જેમ આપણે જ્ઞાન છે કે નહિ-તેને જાણી શકીએ છીએ ખરા, પણ જ્ઞાનને જોઈ શકતા નથી; તેમ આપણે આત્માને જાણી શકીએ છીએ ખરા, પણુ આત્માને જોઇ શકતા નથી. આત્મા એવા આપશે, આજે, શરીરમાં રહેલા છીએ, શરીરમાં કેવી રીતેએ રહેલા છીએ ? શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલા છીએ. શરીર જડ છે અને આમ ચેતન છે, છતાં પણ જડના અને ચેતનને આવા એકમેક જેવા ચૈાગ હાઇ શકે છે, એ' વાત આપણે આપણા અનુભવથી જાણી શકીએ છીએ. ભાગમાં અગ્નિ વ્યાપી કેાઈ લે ઢા ત્રી ભિન્ન ઉમેરવામાં આવે છે, અને પાણી બન્ને સાથે લેાઢાને જો ખૂબ ખૂબ તપાવવામાં આવે, તા એ લેાઢાના જાય છે, છતાં પણ લાઢાથી ભિન્ન એવા એ અગ્નિને તરીકે બતાવવાને સમર્થ બની શકતુ નથી. દૂધમાં પાણી ત્યારે એ પાણીવાળા દૂધમાં નાનામાં નાના બિન્દુમાં પણ દૂધ જ આવે છે, આ રીતિએ એકમેકતા આવી જાય છે, તે પણ લેાઢું' અને અગ્નિ તથા દૂધ અને પાણી ભિન્ન ભિન્ન છે એ વાતના તમારાથી ઇન્કાર કરી શકા, નહિ, એ બન્ને એકમેક જેવાં બની જવા છતાં પણ, પરસ્પર યાગથી રહિત ખન શકે છે, એ વાતના પણ તમરાથી ઇન્કાર કરી શકાશે નહિ. એવી જ રીતિએ શરીમાં, સત્ર વ્યાપ્ત એવા આત્મા, શરીરથી ભિન્ન છે અને શરીરના યાગથી રહિત બની શકે છે, એ વાતના પણ તમારાથી ઇન્કાર કરી શકાશે નહિ. આત્માના અને જડના એકમેક જેવા યેાગ-એ જેમ સંભવિત છે, તેમ આત્મા અને જડ એ મને ય પરસ્પરના યાગથી સર્વથા મુક્ત બની જાય, એ પણ સુસંભવિત છે. આપણે પણ જડના ચેાગથી સથા મુક્ત બની જઈએ; એ માટે જ પ્રયત્ન કરવાના છે અને એ જ સાચા હિસા“ પ્રયત્ન છે. આત્માને, કમ રૂપ જડના યાગ છે અને માટે જ સ્થૂલ શરીરના યાગ થયા કરે છે. એટલે મૃત્યુ માત્રથી કાંઇ આત્માને ને જડના જે યાગ છે, તેના અન્ત આવી શકે તેમ નથી. [જૈન પ્રવચનમાંથી]
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy