SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર : કલ્યાણકના વરઘોડા કેમ નીકળે છે? ઉ૦ : આમાં ઘણી શિક્ષા છે. ભગવાનને આત્મા માતાના ગર્ભમાં આવે ત્યારથી દેવલેકમાં દેડાદોડ થાય છે. ઈન્દ્ર ત્યાં રહ્ય રહ્યું ભગવાનની સ્તવના કરે છે. આજ | ભગવાનની સેવા કરવા જેવી છે તેમ માને છે. ભગવાનની માતાને ચૌદ સ્વપ્નો આવે છે છે અને ઈન્દ્રાદિ સમ્યગ્દષ્ટિ દે, ભગવાન શું કરે છે તેની તપાસ રાખે છે. ભગવાન ! છે તો માતાના ગર્ભમાં પણ વિરાગીપણે જીવે છે. ગર્ભમાં કેવું દુઃખ છે? છતાં ભગવાન છે. હું ત્યાં સમાધિમાં જીવે છે. ભગવાન જયારે જન્મે છે ત્યારે ઇન્દ્રાદિ દેવ જન્માભિષેક મહે ત્સવ કરે છે. જગત તારક એવા આ ભગવાન માટે જેટલું કરીએ તેટલું ઓછું છે તેમ છે તેઓ માને છે. આજના સુખી જેને જે આજ્ઞા મુજબ ધર્મ કરતા હતા તે આવા એક- આ બે વરઘેડા નીકળત ખરા ? ઘમ ઘટી ગયો છે, મામૂલી થઈ ગયેલ છે. તેનું કારણ સમ્યગ્દર્શન નથી તે છે. 1 સમ્યગ્દશન આવે તે લક્ષમી ભૂંડી લાગે, ભેગવવી તે પાપ લાગે, તેને સંગ્રહ કરે છે છે તે મહાપાપ લાગે. તેમાં મઝા આવે તે નરકગતિ સામે દેખાય. “કયારે છુટે કયારે છુટ { આ તેમ મન થયા કરે, તે સમ્યગ્દર્શનની હાજરીમાં આયુષ્ય બંધાય તે દેવને મનુષ્યનું આ બંધાય અને મનુષ્ય અને તિર્યંચને વૈમાનિક દેવલોકનું જ બંધાય, સદગતિમાં જવા ? 8 માટે પણ સમ્યક્ત્વ જરૂરી છે. તે સમ્યક્ત્વ પામવું છે? સમ્યકત્વ પામવાનું મન હોય તેને આ સુખસંપત્તિ ઉપર ગુસ્સો જ જોઈએ. તે બેના ફંદામાં પડે, તે બે જ જેને મેળવવા જેવા, ભોગવવા જેવા છે સંગ્રહ કરવા જેવા લાગે તેને સમ્યકત્વ કદી થાય નહિ. તે સમ્યક્ત્વ પેદા થયા વિના 8. દુર્ગતિના દરવાજા બંધ ન થાય અને સદ્ગતિના દરવાજા ખુલે નહિ. - તમે સંસારમાં બેઠા છે તેનું મને દુઃખ નથી પણ તમને સુખસંપત્તિ ઉપર રાગ છે છે તેનું મને દુઃખ છે. તેના ઉપર ભારોભાર છેષ થવો જોઈએ કે-આ બે જ મને ખરાબ છે કરનાર છે, પાયમાલ કરનાર છે, દુગતિમાં એકલનાર છે. આવો વિચાર કરે તેને તે બે છે ઉપર રાગ થાય નહિ પણ વિરાગ જ રહે. છે પ્રવ : સંસારમાં સંપત્તિ વગર રહેવું શી રીતે ? છે ઉ૦ : પુણી શ્રાવક કેવી રીતે જીવતે હતે? તેની પાસે માત્ર સાડાબાર (૧ર) ૨ | દોકડાની મૂડી હતી. તે વધારવાનું મન નથી થતું. તેની પત્ની પણ કેવી ઉત્તમ હતી ! છે તે બે મઝેથી જીવતા હતા. તમને કેટલું મળે તો સંતોષ થાય? છે તમને ખબર છે કે, શ્રી શ્રેણિક રાજાને ભગવાને પ્રસંગ પામીને કહ્યું છે કે–તું છે નરકમાં જવાનું છે. તે સાંભળી તેઓ ગભરાઈ ગયા છે અને ભગવાનને પૂછે છે કે-મારું છે નરકનું આયુષ્ય શી રીતે તુટે ? ત્યારે તેના મનના સમાધાન માટે જ ભગવાનને કહ્યું
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy