SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ એક ચિંતન... – પ્રજ્ઞાંગ " कार्यं च किं ते परदोषदृष्टया, कार्यं च किं ते परचिन्तया च” । હે મુમુક્ષુ ! જો તારે સાચું આત્મહિત સાધવું હોય તે પારકાના દોષ તરફ દૃષ્ટિ કરવાની શી જરૂર છે અને પારકી ચિતા કરીને તારે સાધવું પણ શું છે ?” આજે જગતમાં અને શ્રી સંઘમાં પણ જે અરાજકતા ફેલાઈ છે, જે બદી ઘર કરી છે ગઈ છે તેનું મૂળ વિચારીએ તે લાગે કે દેષ દષ્ટિ અને પારકી પંચાત તે બે મુખ્ય ! કારણ છે. ખરેખર “દેષ દૃષ્ટિ” અને “દષ્ટિ દોષે જગતમાં જે ઉપદ્રવ મચાવ્યો છે, જે ; ઉકાપાત આંતક ફેલાવ્યું છે તેનું વર્ણન થાય તેમ નથી. તેમાં પાછી “પારકી પંચાતની 8 વૃત્તિ ભળે પછી બાકી શું રહે ? તેમાંથી કેણુ બાકાત હશે તે સવાલ છે. દરેક જણ પોતાના દેષને માટે સાગર જેવા “ગંભીર છે પણ પારકા દેશની ગંભી| રતા માટે “ગરીબ” છે અને “ક્ષુદ્રતા” મા “શ્રીમંત” છે. પોતે જ જાણે સર્વશ” 4 “સર્વગુણ સંપન્ન” અને બીજા એટલે દેષના ભંડાર આ વૃત્તિ નાશ ન પામે ત્યાં સુધી આ સાચી વિવેક દષ્ટિ પણ પેદા થવી મુશ્કેલ છે. પોતાના ભોગે પણ પારકી પલેજણ માથા ઉપર લેવાથી શું પરિણામ આવે છે તે ! અનુભવવા છતાં, પ્રત્યક્ષ નજરે જેવા છતાં તેનાથી દૂર રહેવાનું મન થતું નથી. તે ! | સાચી હિતદષ્ટિ નથી. પર નિંદાની ટેવે જગતમાં એવો દાટ વાળ્યું છે કે તેમાં પડેલા સારાસારને વિવેક પણ સાવ નેવે મૂકી દે છે અને તેમાં જ આનંદ માનનારાઓ પોતાની જીભને અને કલમને તલવાર કરતાં પણ ભયંકરમાં ભયંકર કારમુ શસ્ત્ર બનાવે છે. તેમાં પાછી • મોટાઈ” અનુભવનારા ખુદ તે બરબાદીને પંથે જાય છે પણ અનેકની આબાદીને બર. 2 ૧ બાદમાં પલટી નાખે છે પારકાની આગને બુઝવવા પાણી બનવાને બદલે પેટ્રેલનું , કામ કરે છે. ઈર્ષા, માન-પાનાદિથી પીડાતા ધમ દેશકે આવા બની જાય છે ત્યારે તેઓ પણ ! | નિંદક સમાજના સભ્ય જેવા બની જાય છે. તેવા શુદ્ર અને અગંભીર આત્માઓ પોતાના ? સારા સ્થાનનો પોતાની પુણ્યાઈને, આવડતનો ઉપયોગ સ્વ-પર અનેકના નાશ માટે કરે ? છે તેમાં પિતાને શણગાર માને છે. “શાસન પ્રેમ !” માને છે. બીજાના દેશોની નિંદા અને ખોટી પંચાતમાં પડવાથી પોતાનું તો સઘળું ગુમાવે 5 1 છે પણ મનને ય મલિન બનાવે છે, અનેક સાથે વૈર ભાવને વધારે છે અને તે રીતે સંસારનું સર્જન કરે છે. માટે હે મુમુક્ષુ ! તારા પટુ પ્રજ્ઞાને વિવેક પ્રકાશ પામી, સંસારનું જ સર્જન | કરનાર આ બે કારમા દેથી વિરામ પામી, મેક્ષ માર્ગે જ પ્રયાણ કરવા આત્મનિંદા 1 અને આત્મહિત ચિંતામાં ઉદ્યમી બની આત્માની અનંત-અક્ષય ગુણલક્ષીને પામ. }
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy