SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ શ્રી સુકત ભંડાર ફંડ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી ઉપદેશક માર્કત શ્રી સુકૃત ભંડાર ફંડની વસુલાત કરવામાં આવે છે તેઓ બધી જગ્યાએ એક વર્ષમાં પહોંચી શકતા નહીં હોવાથી દરેક ગામના આગેવાન જૈન બંધુઓ પોતાના ગામમાંથી શ્રી સુકૃત ભંડાર ફંડની રકમ વસુલ કરી મુંબઈ શ્રી જૈન શ્વેતાંબર ઠેરસ ઉપર મોકલાવી આપશે એમ આશા રાખવામાં આવે છે. હાલમાં જામનગરના શ્રી સંઘે રૂા. ૧૦૦) મોકલી આપ્યા છે. બીઆ: વરના સંઘે રૂ. ૧૨૨ મોક આપ્યા છે તેવી જ રીતે આ બન્ને સંધાનું અનુકરણ બીજા ગામના સંધ કરશે એવી આશા રાખીએ છીએ. મુંબઈમાંથી લગભગ રૂા. ૨૦૦ ઉપરાંત વસુલ થયા છે અને ઉધરાણું ચાલુ છે શ્રી સુકત ભંડાર ફડમાં દરેક સ્ત્રી પુરૂષોએ એક વર્ષમાં અછામાં ઓછા ચાર આના આપવાના છે. ચાર આના જેવી રકમથી કોઈને કશો ભાર પડવાનો નથી. ચાર આના જેવી રકમ વરસ દિવસે આપવી તે કાંઈ બીસાત નથી. દરેક માણસ પોતાની સૂકમાઈમાંથી અઠવાડીઆમાં ૧ પાઈ શ્રી સુકત ભંડાર ફુડ ખાતે જુદી કાઢે તે એક વર્ષે તે રકમ સવા ચાર આનાની થાય. આવી જુજ રકમ દરેક જૈન બંધુઓ પિતાના ઉમંગથી મોકલાવી આપે તો આપણી જેને શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી કેળવણુ ખાતામાં–પાઠશાળાઓમાં અપાતી મદદમાં વાંધો આવે નહીં. તેમજ આપણી મહાન સંસ્થા (કેન્ફરન્સ ) ને નીભાવવામાં કશી અડચણ આવે નહીં. કોન્ફરન્સના ઠરાવને માન આપવું એ સર્વે જૈન ભાઈઓની ફરજ છે. લી. સેવક, મોહનલાલ હેમચંદ્ર પાયધુની મુબઈ નં. ૩. ? એનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ફડ કમીટી. રેલ્ડ માસિકના મુંબઈના ગ્રાહકોને વિનતિ. ચાલુ અને ૧૮૧૫ની સાલનું લવાજમ વસુલ કરવા માટે ઓફીસના પટાવાળાને બીલ સાથે મોકલવામાં આવશે. તે બીલમાં પટાવાલાની સહી લઈને લવાજમ ચૂકવી આપવા તસ્દી લેશે. દરના ભાગ જેવા કે કેટ, વાલકેશ્વરના ગ્રાહકોને અંક વી. પી. ઠં મોકલવામાં આવશે તે તેમણે પણ વી. પી. સ્વીકારી લેવા મહેરબાની કરવી. આસી. સે. જાહેર ખબર. સર્વ બંધુઓને જાણ કરવામાં આવે છે કે મી. ત્રીભવન જાદવજી પહેલાં આપણું શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક તરીકે હતા. પણ ૫ ૬ વર્ષ થયાં તેઓને રજા આપવામાં આવેલી છે હાલમાં તેઓ “ દેશોન્નતિ પબ્લીક સ્પીકર ખાતું ” એવું નામ આપી કાઠીઆવાડમાં જ્યાં ત્યાં જીવદયાનાં ભાષણ કરી પૈસા વસુલ કરે છે. તે પૈસાન કયા ખાતામાં શું ઉપયે ગ થાય છે તે કોઈ પણ જાહેરમાં આવતું નથી. વળી “ દેશોન્નતિ પબ્લીક સ્પીકર ખાતું ” એ નામની કંઈ પણ સંસ્થા અમારા જા કુવામાં નથી. તેમ તે ખાતું કાઈ પણ ગૃહસ્થાએ સ્થાપેલ નથીઆ 3 નામ આપી ભેળા માણસો પાસેથી જીવદયાને નામે છાપેલી પહોંચ આપી તેઓ પૈસા કઢાવે છે. જીવદયાનું નામ સાંભળી સૌ કોઇ પેત પિતાને હાથ લંબાવે એ સ્વાભાવિક છે. માટે હવેથી કઇએ મી. ત્રીભોવન જાદવજીને કાંઈ પણ રકમ ન આપવા સૌને જણાવીએ છીએ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. . કલયાણચંદ શોભાગચંદ, રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. મુંબઈ પાયધુની નં. ૩ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. સૂચના–આ અંક પયુષણ પર્વમાં બહાર પાડવાને ચેકસ વિચાર હતે પણ કેટલીક અને તિવાચ અગવડતાએ મેડે બહાર પાડવામાં આવ્યાથી ચાર માસન-જુલાઈથી ઓક્ટોબર સુધી આ અંક બહાર પાડે છે,
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy