SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૭૧ સંખ્યા. પુનઃ કુમારપાલ વિનિર્મિત શ્રી તિહુયણુપાલ ( ત્રિભુવનપાલ ) વિહારમાં એ કાદશી ચતુર્દશીએ અત્તરી પુજાએ સ્વજ્ઞાતિ સાધર્મિક પાણી નિત્ય સત્તરભેદી પૂજા સ્વનિર્માપિત શ્રી વાસુપૂજ્ય પ્રાસાદે કરતા. એકાથી ભુવનચંદ્રસૂરિ મંત્રી પ્રત્યે ઉપદેશ કહે છે – जीयं जल बिंदू सम्मं संपति तरंग लोलाओ । सुमेण यसम्मं चपिमं जं जाणजं करीजासु ॥ એવો ઉપદેશ ગુરૂમુખેથી સાંભળી મંત્રી વસ્તુપાલે વિ. સં. ૧૨૮૦ માં શ્રી અર્બુદ ગિરિ ઉપર પ્રાસાદારંભ થાય. પુનઃ વિ. સં. ૧૨૮૨ માં પ્રાસાદે કલશ ધ્વજદંડ ચડા વ્યો. શ્રી નેમિશ્વર સ્થાપ્યા. ત્યાં શ્રી ભુવનચંદ્ર સૂરિએ સ્વ શિષ્ય શ્રી જગચંદ્રને તથા પંડિત દેવેંદ્રને સૂરિપદે કીધા. તેજ પ્રાસાદમાં બને ભ્રાતની સ્ત્રીઓએ નવનવ લક્ષ દિવ્ય વાપરીને સ્વસ્વ નામના બે આળીઆ નિપજાવી-કરાવી નામ રાખ્યું. તે જ વર્ષમાં શ્રી ગીરનાર પર મંત્રી વસ્તુપાલે ઉદ્ધાર કર્યો. એટલે શ્રી આબુ, સિદ્ધાચલ, ગિરિનાર એ ત્રણ તીથે અઢી લક્ષ મનુષ્યએ શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, શ્રી દેવેંદ્ર પ્રમુખ શ્વેતાંબર અગ્યાર આચાર્ય પુનઃ એકવીસ દિગબંર આચાર્યયુકત–સાથે યાત્રા કરી સકલ સંધ સહિત મંત્રી સ્તુપાલ પાટણમાં આવ્યા. કેટલાક દિવસે ગુરૂશ્રી ભુવનચંદ્રસુરિ સ્વર્ગ ગયા, ત્યારે મંત્રીએ ઘણું આગ્રહથી શ્રી દેવભદ્ર, અને જગચંદ્ર અને શ્રી દેવેંદ્ર એ ને વિનતિ કરી પાટણમાં ચોમાસું રાખ્યા. ચોમાસું ઉતરતાં મંત્રીની આજ્ઞા લઈ ત્રણેએ વિહાર કર્યો. ભેલડી નગરમાં શ્રી પાર્શ્વ દર્શને આવ્યા. એવામાં ત્યાં હિદુઆણી દેશથી શ્રી સોમપ્રભસૂરિ પણ વિહાર કરતાં ભીલડી નગરમાં સહર્ષ પાર્થ દર્શને આવ્યા, ત્યારે શ્રી દેવભદ્ર, અને શ્રી જગચંદ્ર અને શ્રી દેવેંદ્ર, ત્રણે શ્રી સેમપ્રભસૂરિને વાંદણાથી વાંધા. ત્યારે શ્રી સોમપ્રભસૂરિએ ખરતર. સ્તવપક્ષ, આગિયાકાપક્ષ, બે વંદણિક, ઉપકેશ, જીરાપલી, નાણુવાલ, નિબજીય, ઇત્યાદિ આચાર્યની સાક્ષીએ વિક્રમ સં. ૧૨૮૩ વર્ષમાં શ્રી સોમપ્રભસૂરિ, શ્રી મણિરત્નસૂરિએ જાવજીવ આંબિલ તપના ધારક પુનઃ સમતા આદિ શ્રણમાં આગળ જણ સ્વગો લઈ શ્રી જગચંદ્રસૂરિને પિતાની પાટે સ્થાપ્યા. શ્રી વિજાપુર નગરે શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, અને શ્રી દેવેદ્ર એ ત્રણેએ ચેમાસું કર્યું અને શ્રી સોમપ્રભસૂરિ અને શ્રી મણિરત્નસૂરિ વડાલી નગરમાં ચોમાસું રહ્યા. એટલે પુનઃ મંત્રી વસ્તુપાલ બીજીવાર સંધપતિ થયા. શ્રી સોમપ્રભ મુરિ શ્રી મણિરત્નસૂરિ અને શ્રી જગશ્ચંદ્રસૂરિ, શ્રી દેવેંદ્રસૂરિ સહિત શ્રી સિદ્ધાચલ યાત્રાએ જતાં ભાગમાં શ્રી વઢવાણ નગરમાં સંધ ઉતર્યો. ત્યાં શ્રીમાળી જ્ઞાતિ શી રને દક્ષિણાવર્તી શંખના મહિમાવડે સાત દિન તાંઈ (સુધી) નાનાવિધ સુખાશિધકાને ભોજન તથા સહવત્ર આભૂષણ પહેરામણું સકલ સંધને દીધી. ત્યાંથી મંત્રી મોરવી પ્રમુખ નગરે સ્વનાતિસાધર્મિક પ્રતિ નગરે નગરે ગામે ગામ પકવાન આભૂષણ વસ્ત્રથી સંતોષતા ગયા, શ્રી સિદ્ધાચલ શ્રી ગિરનારની યાત્રા કરી દેવકી પાટણમાં સંધ આવ્યો ત્યાં મંત્રીએ નૂતન
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy