SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ - જૈન યુગ -: ધર્મ શિક્ષણ : ( ૩ ) ધર્માં શિક્ષણના હેતુ શુદ્ધ કર્તવ્યભાવના જગાડવાના, લાગણીઓને કેળવવાને અને ચારિત્ર ઉન્નત બનાવવાના છે. વિદ્યાર્થિના વિચારા શુદ્ધ થાય, તેમાં સયમભાવના વધે, તે પરાપકારી, દયાળુ, ક્ષમાવાન્, વિવેકી અને બુદ્ધિશાળી અને તે માટે યોગ્ય ધર્મ શિક્ષક્રમ ગોઠવાવા જોઇએ. પ્રથમ તો સામાન્ય-સમાન્ય ધર્મનુ અને વિશેષ ધર્માંનું શિક્ષણ, એક પછી એક કે કષ્ટક અંશે સાથે સાથે કેવી આપવુ તે વિષે ઉહાપોહ્ર કરી યોજના ઘડાવી જોઇએ. સર્વ માન્ય ધર્મના શિક્ષણ્ સંબંધમાં— કાશી ખાતે મળેલી એશિયા શિક્ષણુ પરિષદે જે કંઇ દિશા સૂચન કર્યું છે. તેમાં નીચલા આ મુદ્દા સમાયેલા અને તે ખાસ વિચારવા જેવા છેઃ— છે. આ ઉપરાંત, પોતપોતાના ધર્મનું શિક્ષણુ માત્ર વિદ્યાર્થીને ધર્મના રીત રીવાજોના પરિચય થાય એ રીતે એટલે જેમ આપણે તિદ્રાસ શીખીએ છીએ તેમ હેવુ રીતે ોએ. અને સાથે વિશ્વમૈત્રીનુ ધ્યેય રાખીને બીજા ખીન્ન ધમાંના પરિચય પણ એ રીતેજ આપવા જોઇએ. ા ધ તક્ તિરસ્કાર અને પોતાના ધ તક્ વિશેષ આગ્રહ્ન એ બન્ને માળાં પડવા જોઇએ. અને વિદ્યાર્થીઓને ધર્મના વિષયમાં જે જે પ્રશ્નો કે તેના વિરોધ ન કરતાં શક્યતા પ્રમાણે સમાધાન કરવું જોઇએ. (૧) મહાન પુરૂષોનાં ચરિત્રો શિખવવાં. (૨) ખુલ્લું! મેદાનામાં રમવું પર્વતા ઉપર ચડવું, સામાજિક કાર્યો કરવા તરક લક્ષ દોરવું. (૩) જીવ શાસ્ત્રનું શિક્ષણુ. (૪) ગુરૂકુળ પદ્ધતિથી સાદી, સાત્ત્વિક અને શ્રમયુક્ત રહેણીમાં વિદ્યાર્થીઓને પલાટવા. (૫) સ ધર્મોમાં માલુમ પડતાં સામાન્ય તત્ત્વનું શિક્ષણ. (૬) ધર્માં શિક્ષણ માતૃભાષામાં આપવુ. (૭) સામુ· દાયિક પ્રાર્થના. (૮) અહિંસા, શૌચ, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય એ પાંચ મહાગુણાનું બીજારાપણુ કરી તે ખીજને વિકસાવવાં. આવાં તત્ત્વો ઉપર ધ્યાન આપી સામાન્ય ધર્મના શિક્ષણના ક્રમ ગાડવા, સાથે સાથે વિશેષ ધર્મના શિક્ષણુના ક્રમ થોચિત ગ્રંથી પાઠ્યપુસ્તક રચવામાં આવે તા, કવાં સુંદર અને સંગીન પરિણામો નીપજે વળી નીચલા વિચારો પણ લક્ષમાં લેવા યોગ્ય છેઃ સાચા ધર્માં શિક્ષણમાં મતાગ્રહને સ્થાનજ નથી. મત સહિષ્ણુતા કે દ્વેષ ધર્મના પાયા છે અને તે.ગુણુને ખીલવવા તરફ મુખ્ય લક્ષ આપવાનુ છે. બુદ્ધિ વિકાસમાં ઉડતી સ્વાભાવિક વૃત્તિને અકાળે મતાશ્રી દુખાવવામાં આવે તે, ધર્મ વડે થતું સત્ય જ્ઞાન અને પ્રાણી માત્રના કલ્યાણ માટે ઉદ્ભવતી હ્રદય ઉંડી લાગણીએ સ્ફુરી આવે નહીં. તેમજ સ્વસ્વરૂપનું ભાન મેળવી શકાય નહીં. પણ ઉન્નયું તેથી વિદ્યાર્થી સંકુચિત દૃષ્ટિવાળા અને હૃદયની ખરી લાગણી વિનાના બની, દાંભિક નિવડી, ધર્માંના ખરા રહસ્યના ઘાતક બનશે. કાર્ય કાનુના વિચાર, મન અને વર્તમાન યુગની પ્રવૃત્તિ સાથે બધ બેસતી રીતે ધર્મ શિક્ષણ નહી આપવામાં આવે તા ધમ વૃત્તિઓ શિથિલ થઇ જવાનો ભય રહે છે. તા. ૧-૩-૩૧ ન વળી, શિક્ષકાએ એટલું તેા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તેઓએ પોતાના અભિપ્રાયે શિષ્યાને ન દોરવા. તેમાં પેાતાની મેળે અભિપ્રાય ઉગવા દેતા. સારાસાર તાલ કરવાનું તેના પર છેાડી દેવું. શિક્ષકાએ શિષ્યવ॥ દોરી, તેમને પેાતાને ઉગી શકે એવા અભિપ્રાયાને થંભી ન દેવા. આ સંબંધમાં શ્રીયુત બેચરદાસ જ્વરાજ દેશીના છેલ્લા છાત્રસમેલન વખતે દર્શાવેલા વિચારો જાણવા જેવા છે:— “ ધર્મનું શિક્ષણું તો મનુષ્યને સ્વતંત્ર બનતાં શિખવ છે. એથી બુદ્ધિ અને અનુભવા વધતાંજ ચાલે છે. અને ખુશામતનું તે। એ વિધી હાય છે. ત્યારે ચાલુ શિક્ષણુ તે ઞપ્રદાયની ખુશામતને પાપનારૂં છે.” · વળી, આપણા વિદ્યાર્થીઓને પોતાની આજીવિકા પ્રાપ્ત કરતાં અને તે પણ પ્રામાણિકપણે પ્રાપ્ત કરતાં શિખવવું એ ધર્માં શિક્ષણનું મડાણુ ડાવું જોઇએ. આવું શિક્ષણુ અધર્મિક તા નજ લેખાવું જોઇએ. આવિકાનું સાધન અને તે પણ ન્યાયસંપન્ન-આ બધા વ્યવહાર-પરમાર્થનું મૂળ છે. આવિકા વિના વ્યવહાર નથી અને ન્યાય વિના પરમાર્થ નથી. વિદ્યાઔં ભવિષ્યમાં પોતાની આજીવકા પોતાની મેળે પ્રામાણિક પણે મેળવી શકે તેવી કેળવણી તેને મળવી જોઇએ. વ્યાપારી, ઔદ્યોગિક અને હુન્નર કળાને લગતી કેળવણીનાં સાધના આપણા સમાજમાં વધુ પ્રમાણમાં થવાં જોઇએ. અત્યારના કહેવાતા ધર્માં પુરૂષા કાવાદાવા કરે–ઉગ્ર સટાડીઆએ બને-અન્યાય અને અપ્રમાણિકતા દાખવે તેા તે ઉપથી સમજવાનું કે તેઓના તેવા ઉદ્દયમાન કર્યાં તેા હશેજ પરંતુ સાથે સાથે એમ પણ માની શકાય કે તેઓએ પ્રાપ્ત કરેલું ધર્મ શિક્ષણ્ અપૂર્ણ અને ખામીવાળુ હાવુ જોઇએ. આવા આવા અનુભવોને લાભ લઇ ધર્માં શિક્ષણને નવા ક્રમ રચવા જોઇએ. વળી, જૈન સમાજમાં અત્યારે ધર્મને નામે જે ઝગડા ચાલી રહ્યા છે તેનાં ખીજ આપણા શિક્ષણ ક્રમમાં ગુપ્તપણે રહેલાં હાવા જોઇએ. તેવાં ખીજ ોધી કાઢી, તેને સત્વરે ફેંકી દેવાની કુરજ, આપણા ધર્મોપદેશકા, ધાર્મિક શિક્ષકા અને ધર્મસંસ્થાઓના સંચાલકાની છે, આ ફરજ જો જલદી અદા કરવામાં નહિ આવે તે, કલેશાગ્નિ વધુ ને વધુ પ્રદીપ્ત થઈ દાવાનળ રૂપ ધારણ કરશે, અને મેાટા સહાર કરશે એ માટે સત્વર ચેતવાની જરૂર છે. ટુંકમાં, અખિલ ભારતમાં સર્વે ધર્મોનુ જે મહાસંગન અત્યારે થઇ રહ્યું છે તેને અનુરૂપ સમાન્ય ધર્મોનું એકીકણું કરી તેમજ સમસ્ત જૈન સમાજના જુદા જુદા ગચ્છેાનું સંગઠન સંગીન રીતે થઇ ઉપર્યુકત મહાસંગઠનને ટકા આપે તેવી રીતે નીતિના પાયા રચી ધર્મભાવના સતત જાગ્રત રહું અને તત્વજ્ઞાનની વૃદ્ધિ સાથે સદ્દન ધડાય અને પવિત્ર ક્રિયાઓ યથાવસરે ભાવપૂર્વક કરી શકાય તે માટે તેનું રહસ્ય જ્ઞાન મળે તેવી રીતે ધર્માશિક્ષક્રમ ગાવવા જોઇએ. ઉ. દા. મ.
SR No.536271
Book TitleJain Yug 1931
Original Sutra AuthorN/A
AuthorHarilal N Mankad
PublisherJain Shwetambar Conference
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy