SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંદર્ભને સમજાવતાં, (વિસર્ણવત્ત) પદનો અર્થ મૃણાલખંડ એવો આપે છે. તે પછી, પૃ. ૧૨૧ ઉપર મૃણાલનો અર્થ શ્વેતતંતુ કર્યો છે. (જે બિસતંતુથી અલગ જણાતો નથી) અને પૃ. ૧૨૪ ઉપર વળી પાછા મૃણાલ અને બિસને અલગ ગણાવતાં કહ્યું છે – મૃણાલ એટલે કમળના ડાંડા અને બિસ એટલે ડાંડામાંથી નીકળતા રેશમ જેવા ઝીણા તાંતણા. આ સઘળા નિર્દેશો ઉપરથી એમ જણાય છે કે, લેખકશ્રી તો સ્પષ્ટરૂપે મૃણાલ અને બિસને અલગ જ માને છે, પરંતુ જે તે સંદર્ભગત સમજૂતીમાં જે તે અર્થવિશેષને દર્શાવે છે, જેથી વિસંવાદિતા ઊપસતી જણાય છે. વસ્તુતઃ ભાનુજીએ આપેલ અર્થ ખોટો નથી. પાદટીપમાં નિર્દિષ્ટ મૃણાલસૂત્ર એટલે જ બિસતંતુ અને તેથી મૃણાલ અને બિસને પોય માનવામાં આવે તો તેમાં અનૌચિત્ય ન લેખાવું જોઈએ. પણ ચોક્કસ અર્થનો જ આગ્રહ રાખીએ તો - મૃણાલ એટલે તંતુસહિતનું કમળમૂલ એમ માનવું જોઈએ. આ જ પ્રકારની વિસંવાદિતા ને અસ્પષ્ટતા અન્યત્ર પણ જોવા મળે છે. જેમ કે – પૃ. ૨૫૫ ઉપર નત નામે વનસ્પતિ અંગે જે વિગતો આપવામાં આવી છે, તેમાં આ પ્રમાણે વાંચવા મળે છે – નતન્દ્ર-નર્ત શ્વે તિ, તે વા ” (ભા.દી.) નલ એટલે ગંધ જે આપે છે તે. નામ ખરેખર સાર્થક છે. એના પર્યાયો ગમવું, શરમ્, નવનવું, સેવ્ય, મૃUITY, નાયમ્ વગેરે છે. ભાનુજી દીક્ષિતે શિવરામૂલી શ” રૂતિ તી’ એવો પરિચય આપેલો છે. આજે પણ “ખશ” નામથી જ આ વાળો ઓળખાય છે, પરંતુ ૩શીરથી નઃ ભિન્ન ચીજ છે. વીરભણોનાવાળા એવો અર્થ કરવો ઉચિત છે. અહીં નત શબ્દની સમજૂતીરૂપે – નલ એટલે ગંધ જે આપે છે તે – એમ જે કહ્યું છે, તેમાં સ્પષ્ટતા ઓછી જણાય છે, ખરેખર તો નલ એટલે કે ગંધ (અને ગંધ) જે આપે છે, તે છે નલદ એમ કહેવું જોઈએ. બીજું, નટુ ના જે પર્યાયો નિર્દેશાયા છે, તેમાંના ૩ણીનો અસ્વીકાર અને રવી તરીકે તેની પ્રસિદ્ધિનો સ્વીકાર લેખકશ્રી કરે છે તેમાં – ‘વીરભણોનાવાળા એવો અર્થ કરવો ઉચિત છે એટલા શબ્દો કંઈક અંશે અસ્પષ્ટ રહે છે. વીરભણોનાવાળા-ને સ્થાને વીરણવાળો – એવો શબ્દ હોઈ શકે ? કેમ કે, ખશ એટલે કે સુગંધીવાળો, અને તેને માટે વીરણવાળો નામ પણ પ્રયોજાય છે પૃ. ૨૫૬ ઉપર લેખકશ્રીએ નર્તના એક અન્ય અર્થ “જટામાંસી'ની નોંધ લઈ, તેને બદલે ભાનુજીએ આપેલ “ખસ' અર્થ સ્વીકાર્ય લખ્યો છે. * ભાનુજીના વનસ્પતિવિષયક જ્ઞાન પ્રત્યે ખાસ શ્રદ્ધા ન ધરાવતા લેખક અહીં ભાનુજીના મંતવ્યને સ્વીકારે છે પણ ખરા ને વિરોધ પણ કરે છે. નન એટલે શીર નહીં અને નતઃ એટલે વશ આ બે બાબતો માનતા લેખકશ્રી શીર અને રવાને અલગ લેખતા જણાય છે, પણ શીર દ્વારા તેમને શું અભિપ્રેત છે, તે અત્રે તેઓ જણાવતા નથી. પરંતુ, આ પહેલાં પૃ. ૭૧ ઉપર શીર નામે વનસ્પતિ અંગે નિરૂપણ કરતાં, તેમણે ૩ર એટલે ખસનો વાળો એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. આમ, એટલે ખસ એટલે કે સુગંધીવાળો તથા, શીર એટલે ખસનો વાળો – એ પ્રમાણે સ્પષ્ટ સ્વીકાર કરવા છતાં, નિદ્ર અને ૩રને પર્યાય ન માનવા પાછળનું કારણ અથવા તો નન અને વશીરને પર્યાય ગ્રંથસમીક્ષા 151 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy