SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવી રીતે પતિ પ્રિય હોય છે તથા જેવી રીતે પતિના પ્રયોજનો માટે સ્ત્રી પ્રિય હોય છે. એવી રીતે આત્માના પ્રયોજન માટે આત્મા પ્રિય હોય છે. એટલા માટે પ્રત્યેક વસ્તુમાં આત્માને જોવા પ્રાવધાન છે. ભિન્નતા જોવાવાળા હાનિ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય જાતિઓ તેને સમાપ્ત કરી છે જે તેમને આત્માથી ભિન્ન દેખાય છે.૩૭ તેના મૂળમાં ધારણા બદલે પ્રતિત થાય છે કે જીવાત્માઓ તેના પરમ સર્વોચ્ચ આત્માની વિભૂતિઓ છે જેને પૃથક સમજી શકતા નથી. આત્મા પુરુષના રૂપમાં : આત્મા પરમાત્માની દ્વિતીય સત્તાની જેમ પુરુષના બે રૂપમાં જોવા મળે છે. એક પરમ પુરુષના રૂપમાં પુરુષ છે અને બીજો શારીરિક પુરુષના રૂપમાં. બંનેમાં કોઈ ભેદ નથી.૩૯ શાકલ્યએ પુરષવિષયક અનેક પ્રશ્ન યાજ્ઞવક્યને કર્યા હતા. પુરુષનો પુનઃજન્મ થાય છે, પરંતુ મરવા પર તેને કોણ ઉત્પન્ન કરે છે. આ પ્રશ્નનું સમાધાન છે. યાજ્ઞવક્યના આવો ગૂઢ પ્રશ્ન સાંભળીને કોઈ બ્રાહ્મણ જવાબ આપી શક્યા નહી.૪૦ એવા પ્રશ્નોમાં વૃદ્ધિવૃત્તિઓની અંદર વિજ્ઞાનમય જ્યોતિ સ્વરૂપ કહે છે. આ જ આત્મા લોક-પરલોકમાં સંચાર કરે છે. સ્વકીય બુદ્ધિવૃત્તિના અનુસાર આ ચિંતન કરે છે. પ્રાણોની વૃત્તિઓના કારણે ચેષ્ટા કરે છે. સ્વપ્ન થઈ આ લોક એટલે મૃત્યુન રૂપોનું અતિક્રમણ કરે છે. જન્મ લેતાં જ પુરુષ દેહેન્દ્રિય રૂપ પાપને પ્રાપ્ત કરી લે છે, પરંતુ મરતી વખતે શરીર રૂપ પાપોને મુક્ત કરી લે છે. આત્માની પ્રશ્ન અવસ્થાઓ : આત્મા જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં સદાચરણ કરે છે. ઉપર્યુક્ત પુરુષના બે જ્ઞાન ક્રમશ: ઐકિક એટલે પારલૌકિક છે. સ્વપ્ન સ્થાન સંધિ સ્થળ છે. આ સ્વપ્નાવસ્થામાં જ આત્મા લોક અને પરલોક બંનેને જુએ છે. આ આત્મા સ્વપ્નાવસ્થામાં સ્થળ દેહને નિશ્ચષ્ટ કરીને વામનામાંથી દેહને રચીને નિદ્રાધીન થઈ જાય છે. પુરુષ સ્વયં જયોતિ સ્વરૂપ હોય છે. આ અવસ્થામાં તે સંરચના કરે છે. કદાચ રથ, ઘોડા તથા માર્ગન રહેતા તેથી જ તે તેની રચના કરી લે છે. આનંદ, મોહ, પ્રમોદ કશું પણ ના હોવા પર વાસનાનુસાર તેમની સૃષ્ટિ કરવામાં તે સમર્થ હોય છે. સ્વપ્ન દ્વારા શરીરને નિચેષ્ટ કરી સ્વયં નિદ્રાધીન થઈ જાય, તેજ અવસ્થામાં સમગ્ર પદાર્થોને પ્રકાશિત કરે છે. તે પુનઃજાગૃતિ અવસ્થામાં શુદ્ધ સ્વરૂપને લઈને આવી જાય છે. હિરણ્યમય પુરુષ એકાંકી નમન કરે છે." હિરણ્યમય પુરુષ વાસનાનુસાર ગમન કરે છે. સ્વપ્નાવસ્થામાં વિવિધ રૂપોને ગ્રહણ કરી. સ્ત્રીઓની સાથે આનંદ તથા પ્રમુક્તિ થાય તો ભય વગેરે અનુભવ પણ કરે છે. આ અવસ્થામાં તેને જગાડવો જોઈએ નહીં. તે દુષ્કિત્સય હોય છે. કોઈ કોઈ આ પણ માને છે કે સ્વપ્ન શ્યામ તેના જાગ્રત દેશની અતિરિક્ત કશું છે જ નહીં, કારણ કે જે કાંઈ જાગૃતાવસ્થામાં દેખાય છે, તે જ નિદ્રાવસ્થામાં દેખાય છે. ૪૭ આવા જ ક્રમમાં સુષુપ્તિના ભોગોમાં આત્માને અસંગ માને છે. સુષુપ્તિ આત્માનું વિશ્વાસસ્થળ છે. ઉદાહરણના રૂપમાં કહ્યું છે કે જેવી રીતે શ્યન અથવા સુપર્ણ બધી બાજુથી ઊડીને થાકી જાય ત્યારે પાંખો ફેલાવીને પોતાના માળાની બાજુ ઊડી જાય છે. તેથી પુરુષ બે સ્થાનથી બાજુ દોડે છે. જ્યાં સૂઈ જવા પર ન તો ઈચ્છા કરે છે અને ન તો સ્વપ્ન જુએ છે. ૪૯ મહામસ્યના ઉદાહરણ દ્વારા જ જાગૃતિ અને સ્વપ્નના અવસ્થાન્તર ક્રમને સ્પષ્ટ કર્યો છે. કહ્યું છે કે જેવી રીતે મોટી માછલી નદીના પૂર્વ અને ઉપર તળે પર ક્રમશઃ સંચરણ કરે છે. ત્યાર પછી આ પુરુષ સ્વપ્નાવસ્થા તથા જાગ્રત સ્વપ્નોમાં સદાચરણ કરે છે. દેહના કુશ થવા પર જ આ આત્મપુરુષ દેહથી બૃહદારણ્યક ઉપનિષદ્ધ આત્માનું સ્થાન iii For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy