SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર જાય છે. માટીની પકડ મુદ્રિકાઓ ઉં૫ર તેનું અને તે લોકધમની દેવી હોવાનું સૂચવતી જણાય છે. માતૃસ્વરૂપે ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત થયેલ છે. સપ્તમાતૃકાઓમાં બ્રહ્માણી. માહેશ્વરી, કૌમારી વૈષ્ણવી, વારાહી, અન્દી અને ચામુંડા ગણાય છે. જો કે મતભેદ તો બધે જ જોવા મળે છે. પુરાણે એમાં જુદી જુદી યાદી આપતાં જણાય છે, જે લેખકે સ્પષ્ટ કર્યું છે. ગુજરાતમાં પણ ભિન્ન ભિન્ન * સ્થળ પરથી માતૃકા પ્રતિમાઓ મળેલી છે. વિવિધ પુરાણ અને અન્યગ્રંથમાં એની માહિતી ઉપલબ્ધ છે, જે લેખકે સુલભ કરી આપેલ છે. ઉપરાંત આવશ્યક્તાનુસાર તેમનાં આયુધ અને ઉપકરણનાં કાષ્ઠક આપેલાં છે. સપ્તમાતૃકા ઉપરાંત નારસિંહી, વાયવી અને સ્વાહા જેવી અ૮૫ખ્યાત દેવીઓ અંગે પણ તેમાં ખ્યાલ આપવામાં આવ્યો છે. નવમા પ્રકરણમાં અન્ય દેવીઓ અંગે વિશેષ વર્ણન આપેલ છે. જેમાં ઢાંકની અદિતિ, કીબેરી. સૂણી, શીતળા, ગંગા-યમુના વિશેષ નોંધપાત્ર છે. ડે. સાવલિયાએ પિતાના બહુમૂલ્ય મહાનિબંધમાંથી આ ગ્રંથ તૈયાર કરી આપી દેવીઓની પ્રતિમાઓને શિપવિધાનની દષ્ટિએ સુલભ કરી આપેલ છે, જે પ્રશંસાપાત્ર કાર્ય છે. પુસ્તકની છપાઈ પણ સુંદર છે. જેમાં ૧૬ જેટલા પદોમાં ૪૭ જેટલી વિવિધ પ્રકારની મતિએ સુંદર રીતે છપાયેલી જોવા મળે છે. જે પુસ્તકના મૂલ્યને વધારી દે છે. પ્રતિમા વિધાનના અપચચિત વિષયને વિચિત કરી જનસલભ બનાવવા બદલ તેઓ અભિનંદનના અધિકારી બને છે. -જે. પી. અમીન અધ્યયન અને સંશોધન લેખસંગ્રહ) : લેખક-હૈં. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ.. પીએચ.ડી., નિવૃત્ત અધ્યક્ષ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, પ્રકાશક : હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, ૧૯૨. આઝાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૧૫, ૧૯૪૧, પૃ. ૪૨, કિંમત રૂ. ૨૦-૦૦ ગજરાતના ખ્યાતનામ ઇતિહાસકાર અને ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ ડૅ. હરિપ્રસાદ શાસ્ત્રીની કલમે લખાયેલ “અધયયન અને સંશોધન' નામે આ લેખસંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત થયો છે. એમાં ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંના કલસ્વરૂ૫ ૧૨ સંશાધન-લેખોનો સંચય કરવામાં આવ્યા છે. વિષયના વૈવિધ્યની દષ્ટિએ જોતાં આ ગ્રંથ દ્વારા લેખકની બહુમુખી વિદ્વત્તાને પરિચય થાય છે. આ લેખસંગ્રહમાંના પ્રથમ ત્રણ લેખે મહાભારતના ખિલ (પરિશિષ્ટ) ગણાતા હરિવંશ, રામાયણ અને પુરાના વિષયને સ્પર્શે છે. ગુજરાત ઇતિહાસ પરિષદના ૮ મા અધિવેશન પ્રસંગે શ્રી હરિહાસ ગેકાણી સુવર્ણચંદ્રકને પાત્ર ઠરેલ પ્રથમ લેખ “હરિવંશમાં દ્વારકા અને શ્રીકૃષ્ણ”માં બ્રિણ કલના શ્રીકષ્ણ વાસુદેવનું, એમનામાં રહેલી વિગણુની અને પરબ્રહ્મની અલૌકિક અને આશ્ચર્યમય શક્તિની દષ્ટિએ નિરૂપાયેલ સમસ્ત ચરિત સંક્ષેપમાં અત્યંત મધુર રીતે રજૂ કરાયું છે. દ્વારકાના yવકાલીન ઉલ્લેખ દર્શાવી રજ કરાયેલ દ્વારકાવર્ણન પક્ષ માહિતી અને કવિકલ્પનાને આધારે થયેલું છે. બીજા લેખ “રામાયણનું એક બીજું મૂક પાત્ર મા'માં રામાયણ-કથાનકમાંના સુગ્રીવની ગ્રંથસમીક્ષા ] [૪૭ For Private and Personal Use Only
SR No.535783
Book TitleSamipya 1992 Vol 09 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages95
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy