SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ મ ]. ધર્મનું ધ્યેય : જીવનની સર્વાગી શુદ્ધિ. '૧૮૭ અને ગદ્ય-પથનો ઉચિત વિવેક જળવાતો નથી, ઉચ્ચારમાં શુદ્ધિ અને સ્પષ્ટતા ઓછી જણાય છે, તેના અર્થો પર જોઈએ તેવું ધ્યાન અપાતું નથી, પ્રશ્ન અને ઉત્તર ભાગ્યે જ થાય છે, અને જે થાય છે તેમાં પણું જોઈએ તેવી સાત્તિવકતા હોતી નથી. આ ધાર્મિક ક્રિયાઓ અને અનુકાનોનું શિક્ષણ આપવામાં પણ એવી જ શોચનીય સ્થિતિ જોવામાં આવે છે. મોટા ભાગે રથુલ સ્વરૂપ ઉપર જ ધ્યાન અપાય છે, જ્યારે તેની પાછળ રહેલી ઉદાત્ત ભાવનાએ તરફ દુર્લક્ષ થાય છે. આ ખામીઓ સુધારીને શિક્ષક્રમમાં યોગ્ય પરિવર્તન કરવામાં આવે તે ધાર્મિક શિક્ષણનો મૂળ હેતુ-ધર્મભાવનાની વૃદ્ધિ-બર આવે અને સમાજના માનસમાં મોટું પરિવર્તન થાય. ' વ્યવહારિક શિક્ષણનું સ્વરૂપ વ્યવહારિક શિક્ષણની ઉપયોગિતા માટે બે મત છે જ નહિ, કારણ કે જીવનને સવળે વ્યવહાર તેના આધારે જ ચાલે છે; પરંતુ આ શિક્ષણ કેવી રીતે અથવા કયા પ્રકારનું આપવું, તે ગંભીર વિચારણા માગે છે. આ શિક્ષણનું વર્તમાન સ્વરૂપ એવું છે કે તેનાથી માયું મોટું થાય પણ હાથપગ દુર્બળ થાય અને હૃદય કઠિન બને. મતલબ કે આ શિક્ષણ લેનારની બુદ્ધિનો વિકાસ થાય છે, પણ તેને શારીરિક શ્રમનું કામ કરતાં શરમ આવે છે અને હૃદયમાં સ્વાર્થની ભાવના એટલી પ્રબળ બને છે કે તે સ્વાભાવિક કમળતા ગુમાવી બેસે છે. આમ બનવાનું કારણ એ છે કે-આ શિક્ષણમાં નીતિ, સદાચાર અને શારીરિક અમ પર જોઈએ તે ભાર મૂકાયેલ નથી. ઉચ્ચ પ્રકારની વ્યવહારિક કેળવણી પામેલાને આર્થિક સંકડામણ ને જ રહેલી જોઈએ, એ મારું નમ્ર મંતવ્ય છે, એટલે સમાજની આર્થિક સ્થિતિ સુધારવાનો મુખ્ય ઉપાય એ છે કે-દરેક બાળક બાલિકાને નીતિમય, સદાચારી અને પરિશ્રમશીલ વ્યાવહારિક શિક્ષણ આપવું.. શિક્ષણસંસ્થાઓને પગભર કરવાની જરૂર - શિક્ષણ સંસ્થાઓને પગભર કરવાની ખાસ જરૂર છે અને તે માટે પ્રાપ્ત થતાં પ્રસંગોએ ખર્ચમાં કરકસર કરીને તેમાંથી થયેલી બચત એ સંસ્થાઓને મોકલી આપવાની આવશ્યકતા છે, આ દિશામાં આપણે જેટલા ઉદાર થઈશું તેટલે સમાજને વિશેષ લાભ થશે.. શિક્ષણ સંસ્થાઓ પોતાની પરિસ્થિતિ સુધારવા માટે સહકાર અને સંગઠનના માર્ગે આગળ વધે તે ખાસ જરૂરનું છે. સામાજિક પરિસ્થિતિ. આપણી સામાજિક સ્થિતિનું ચિત્ર સામાન્ય રીતે ઠીક દેખાવા છતાં ગંભીર ચિંતા ' ઉપજાવે તેવું છે. લગ્નક્ષેત્ર, નાની નાની જ્ઞાતિઓ, ગોળ કે ‘એકડા પૂરતું મર્યાદિત છે, તેથી લછવનમાં જોઈએ તે સંવાદ જળવાતો નથી. આપણું સંસ્કારને હરત ન પહોંચે તે રીતે જે તે ક્ષેત્રને વિરતાર કરવામાં આવે તે સામાજિક સ્થિતિ સારા For Private And Personal Use Only
SR No.533815
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy