SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધત્વમીમાંસા. ૧૬૧ આપણે ગૃહજીવન( Home life )ની કિંમત ઓછી રાખીએ છીએ. આપણુ પત્ની, દીકરીઓ, વહુઆરી અને બાળકે સાથે બેસી અનુભવની સ્વાર્થ અને પરમાર્થની વાત કરતાં જે આનંદ મળે અને જીવનમાં જે સંસ્કાર આવે તેની કિંમત કરતાં આપણે શીખવું જોઈએ. વૃદ્ધ માણસે જેમ બને તેમ ઓછી જઠરની મહેનતે પચે તેવો પિષ્ટિક આહાર લે. ચા લેવી હોય તો ઉકાળ્યા વિનાની અઅિધ દૂધવાળી લેવી. દૂધ ગાયનું વાપરવું. ફળાનો ઉપયોગ વધારે કરવો. લીલોતરી પણ સારા પ્રમાણમાં ખાવી જેથી ક્ષારો અને પ્રાણપૂરક તત્વો (vitamins) પૂરતાં મળી શકે. હાલમાં ચોખાં દૂધ ઘી મળતા નથી, તે બની શકે તો એકાદ સારી ગાય ઘર આંગણે રાખવી. તેમ ન બની શકે તે સારું ચોકખું દૂધ વેચાતું લઈ, તેમાંથી ઘરે માખણ અને છાશ આપણે જરૂર હોય તેટલા બનાવવા. તાજુ માખણ એક ઘણું ઉપગી વસ્તુ છે, સહેલાઈથી પચે છે, ઘરની છાશ પણ ઘણું ગુણકારી અને સ્વાદિષ્ટ બને છે. ખર્ચમાં વાંધો હોય તો બીજા બહારની મીઠાઈ વિગેરે લાવવાના ખર્ચ ઓછા કરવા, પણ દૂધ દહીં માખણ છાશ જેવી ઉપયોગી ચીજોમાં બચાવ ન કરવા. ધર્મ પાળવા માટે પણ તંદુરસ્ત શરીરની જરૂર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે રામાયં છુ ધર્મસાધનં ધર્મ કરવા માટે શરીર મુખ્ય સાધન છે. એટલે શરીરના સ્વાધ્ય તરફ દુર્લય આપવું ન જોઈએ. દાંત, ગળું, જીભને સ્વચ્છ કરવાને અને નિરોગી રાખવાને ત્રિફળા ચૂર્ણને ઉપગ ઘણે આવશ્યક છે. ઘણું વર્ષોથી ત્રિફળાને ઉપગ હું કરું છું, તેથી ઘણો લાભ થયો છે. હાલના કાળમાં દવાઓ, ઇંજેકશન લેવાનો એક મેનીયા(ઘેલછા ) થયેલ જોવામાં આવે છે. દરદીના આખા શરીરના બંધારણનો અભ્યાસ કર્યા વિના, તેની ભૂતકાળની રહેણીકરણ જાણ્યા વિના રોગ મટાડવા અનેક પ્રકારની દવાઓ અને ઈંજેકશન આપવામાં આવે છે. અલબત તેવા એકદમ ઊભા થયેલા રોગોજેવા કે ટાઈફેડમાં આવી દવાઓની જરૂર છે. પણ તે વિચારીને આપવી જોઈએ. એક રોગ જબરાઈથી મટાડતા શરીરને કાયમ માટે નબળું ન બનાવે તેવી આકરી દવાઓ લેતાં વિચાર કરવો જોઈએ. વૃદ્ધ માણસે તે વૃદ્ધ અનુભવી દાકટરની દવા લેવાનો વિચાર રાખવો જોઈએ. માણસના શરીર ઉપર નવા નવા પ્રોગ, નવી નવી પેટેટ દવાઓ વાપરવા પહેલાં વિચાર કરે તેવા અનુભવી દાકટરની સલાહ લેવી જોઈએ. મારો અનુભવ તે એ છે કે-જેમ બને તેમ ઓછી દવાઓ લેવી, આકરી દવાઓ ન લેવી. આ દવા એક રોગ મટાડે છે, બીજા રોગને સ્થાન આપે છે. આપણી દેશી દવાઓ અભ્રક ભસ્મ જેવી ઘણી ઉપયોગી ' 'મને જણાય છે. આવી દવાનું સેવન લાંબે વખત કરવાથી શરીરને તાઝગી આવે છે, For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy