SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. rી ના ધર્મ પ્રકાશ [ કાલિંક ગારે દર્શન કરવા શી રીતે ? આ સાંભળી પૂજારી જરા વિચારમાં પડી ગયો. ડોશીમાને શાંત કરવાનો રસ્તો શોધી કાઢવાનો રહ્યો. તેણે તરત જ દેડી જઈ જે થાળીમાં આંગીને સામાને ઉતાર્યો હતો તે થાળી ડોશીમા આગળ ધરી. તેણે ડોશીમાને કહ્યું – માજી આ રહી આંગી, કરો દર્શન.' ડોશીમા તો આજે જ બની ગયા. તેમને આંગીના જ દર્શન કરવાના હતા અને થાળીમાં આંગી નહી તો બીજું શું હતું? તેઓને વિચાર થયો કે હું શું આ કટારીઓ અને બાદલાનું જ દર્શન કરવા આવું છું? પ્રભુની મૂર્તિના મારે દર્શન કરવાના હતા કે એ બાદલાના? મેં તે બહારની વસ્તુનું જ મહત્વ આંકયું. અંતરંગ તે મારાથી દૂર જ રહ્યું. મારે તે પ્રભુના દર્શન કરવાના છે. આંગીના હું દર્શન કરું છું એમ માનવામાં મેં મોટી ભૂલ કરેલી છે. એવો વિચાર તેમને ફરી આગે. અને એમ ને એમ તેઓ પાછા ફરી ઘર ભેગા થઈ ગયા. પણ ઉપરના પ્રસંગે તેમની આગળ મેટે કેયડે ઊભો કર્યો. તેમના મનને જરાએ શાંતિ રહી નહી. તેમણે એ ગુંચવણના ખુલાસા માટે એક સ્થિતપ્રજ્ઞ અને અનુભવી સદ્દગુરુ પાસે ખુલાસો મેળવવાનું નકકી કર્યું. દૈવયોગે સંત મહાત્માનો ગોગ પણું મળી આવ્યો. તેમની પાસે ડોશીમાએ પિતાની મુંઝવણ કહી બતાવી. ડોશીમાની જિજ્ઞાસુ વૃત્તિ ઓળખી ગુરુએ ખુલાસો કર્યો, ડોશીમા, દરેક ભવ્ય જીવને પ્રભુના સાક્ષાત દર્શન થવાની જરૂર છે. અને એક વાર જે પ્રભુદર્શન શાસ્ત્રની રીતે થઈ જાય તો કામ જ થઈ જાય, પણ એવું દર્શન તે કોઈ વિરલને જ સાંપડે છે. બાકી બીજાઓ તે પિતાની ચર્મચક્ષને જ વશ રહી દર્શન થયાનો સંતોષ માને છે. એક વાર પ્રભુદર્શનનો લહાવો મળી જા. તે પછી આ સંસારમાં ભટકવાનું તેને માટે એવું જ થઈ જાય. સત્ય દર્શન એટલું દુર્લભ છે કે, ભલલાલા સાધુએ પણ તે મેળવી શકતા નથી. તેવા દર્શન મેળવવા માટે ઘણી મોટી પૂર્વ તૈયારીઓ કરવી પડે છે. અને તેની તૈયારી કરવા પહેલા તરવારની ધાર ઉપર નાચવા કરતાં પણ વધુ કઠણ દિવ્યમાંથી પસાર થવું પડે છે. મનોભૂમિકા ધીમે ધીમે કેળની શુદ્ધ કરવી પડે છે. વિકારો તેમાં અખંડ વિ નાખ્યા જ કરે છે. તેને વખતસર ઓળખી, તેથી દૂર રહી, મય બની રાખવું પડે છે. એની તો અનંત કસોટીઓ ઉપર કરાયા પછી જ પ્રભુદર્શનની અપેક્ષા રાખી શકાય. એમ તે લાલલાલ યોગી અને તપસ્વીઓને કોઈ કોઈ વખત પ્રભુદર્શનની ઝાંખી થઈ જાય છે, પણ તે ખરેખરી ક્ષણજીવી જ હોય છે. સાચું પ્રભુદર્શન થયા પછી તે અખંડ જ રહી પુલથી પર એવા અંતરાત્માને સતત સાક્ષાત્કાર થયા જ કરે છે. અને એ સાક્ષાત્કાર એટલે જ મુકિત મળવાની છેલ્લી સ્થિતિ ! આ તે બેયની વાત થઈ. પણ સામાન્ય માનવે તે હમેશ ચર્મચક્ષુનો જ ઉોગ કરે, તેમને માટે દિવ્ય નયન તે ઘણું આવા જ છે, પણ ચર્મ ચક્ષઓને એવી ટેવ પાડ્યા વિના દિવ્યનમન કમાંથી મળે? શાસકારોએ બાલવે ઉપર પગ ઉપકાર કરવાના પવિત્ર હેતુથી જ ધૂળ ચક્ષુને ગમ્ય અને સામાન્ય મનુષ્યને સાબ એની રચના કરેલી છે. શાસ્ત્રકારો તે દયાના સાગર For Private And Personal Use Only
SR No.533763
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy