________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉધમ અને કર્મને સંવાદ,
૨૪૫
ભરવા પણ અસમર્થ બને છે. તથા દૈવવાદી જનો દૈવ, દૈવ પિકારતા યમકારના અતિથિજ બને છે. એક નીતિકાર પણ કહે છે:
उद्यमेन हि सिध्यन्ति, कार्याणि न मनोरथैः ।
न हि सुतस्य सिंहस्य, प्रविशन्ति मुखे मृगाः । ( ઉધમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે, મરથ માત્ર કરવાથી થતા નથી. કારણ કે નિદ્રામાં મસ્ત રહેલા સિંહના મુખમાં મૃગલાઓ આવીને કાંઈ પડતા નથી.) આ વચનથી પણ કાર્યસિદ્ધિ ઉદ્યમમાં રહેલી છે એમ સાબીત થાય છે અને વ્યવહારમાં પણ તેમજ દેખાય છે.
નેહચંદ્ર-મિત્રવર્ય! જે તમારા કહેવા પ્રમાણે દરેક કાર્યો અને સારાં નરસાં ફળો ઉદ્યમથીજ થતાં હોય તે જગતમાં એક સુખી-એક દુખી, એક ધનવાન એક નિર્ધન, એક રાજા-એક ભિક્ષુક, એક ગી-એક નિરોગી, આવી વિષમ સ્થિતિરૂપ દ્રષ્ટિગોચર થાય છે તેનું શું કારણ? શું સર્વે જ શુભ શુભતર લાભ મેળવવા ઉદ્યમ નથી કરતા? દરેકને ઉગ્ર બનવાની ધારણું શું નથી હોતી? તથા એક મનુષ્ય એક સમયે જે વ્યાપાર કર્યો હોય તેમાં તેને ચેકસ જણાતું હોય કે આ વ્યાપારમાં મારે ઓટ આવી પડશે તેવી નિશ્ચિત ધારણા છતાં તે વ્યાપારમાં શું તેને લાખો રૂપિયાને નફે પ્રાપ્ત નથી થતો ? થાય છે અને શોકને બદલે આનંદ ઉદભવે છે. તે જ મનુષ્ય જ્યારે બીજા વ્યાપારમાં લાભ ધારેલ હોય છે ત્યારે તેજ વ્યાપારમાં નુકશાન પણ થાય છે. શું બને સ્થાનમાં તેને ઉધમ એક સરખે નથી? છતાં ફળમાં ભિન્નતા થવાનું શું કારણ? માનવુંજ પડશે કે તેમાં ગુપ્ત રીતે કાર્યસાધક કેઈ રહેલ છે અને તેજ દેવ-કર્મ છે અને તેથી આ વિષમ સ્થિતિ બંધબેસતી થાય છે. નીતિકારનું જે વચન છે તે પણ કર્મને ઉડાવનારું નથી પણ અનેક તરંગો દેડાવી આનંદ માનનારા અને મનોરથમાળા શું થવામાંજ પિતાના અમૂલ્ય સમયને વ્યતીત કરી નાંખનારા શેખશલ્લ જેવા પ્રમાદી જનોને પ્રોત્સાહન આપી પુરુષાર્થ કરવા માટે ઉપદેશ આપનારું છે, અન્યથા તેજ નીતિકાર અન્યત્ર કહે છે –“ટિવિતા કે બ્રિાં હૈ ? (જાળસ્થળે લખેલું અન્યથા કરવા કેણ સમર્થ છે.) અર્થાત્ ભાગ્યમાં હોય તેમજ બને છે. “ગર મહિનો ચાવા, મન્તિ માતા-પિ” (અવશ્ય થનાર ભારે મહાન પુરૂને પણ થયા જ કરે છે.) જે હું કહું છું તે તમારા લેકને ભાવ ન હોય તો ઉપરોક્ત વચનને વિરોધ અને સંઘર્ષણ બનવાનો વખત આવશે.
ચિં ---સુદુર કર્યું તે અતિ સુંદર છે. તમે ધર્મશાસ્ત્રના શાસ્ત્રી
For Private And Personal Use Only