SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦ www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ. * આ સમય સેવાને છે. દરેક માણસે તેનાથી જે કાઇ પણ પ્રકારે અને તે પ્રકારે સેવા કરવા સદા તત્પર રહેવું તે તેની ફરજ છે. દરેક માણુસ જે ધારે તે થાડુ ઘણું પણ ભલું કરી શકે છે. આપણાથી જેટલું બને તેટલુ કરવુ તે આ સમયમાં જરૂરનુ' અને ઉપયોગી છે. સેન્ટ એગસ્ટાઇન સેવા · માટે લખતાં લખે છે કે:-“ દરેક જણે અન્યની કાંઇક તેા સેવા કરવીજ ોઇએ, યાને પેાતાના ભંડારમાંથી અન્યને કાંઇક આપવું જોઇએ. જો હુંમારી પાસે દ્રવ્ય હાય તાં તેમાંથી ભૂખ્યાને અન્ન અને નગ્નને વઓ આપજો, વળી એકાદ ધર્માલય ૫ધાવજો, અને તે પૈસાવડે બીજા પણ થાય તેટલાં સત્કાર્યો કરજો, જો હમારી પાસે ડહાપણુ હાય તે તેનાથી તમારા પાડોશીએના અને સંબંધીઓના માદક બનજો, અને તેમને સંસારયાત્રામાં ચાલવાના શ્રેષ્ઠ માર્ગ ખતાવો. જો હમારી પાસે ધર્મનું જ્ઞાન હાય તા તમે અન્ય માણસોને ધાર્મિક ઉત્સાહ આપજો, અવળે રસ્તે જનારને ચેાગ્ય રસ્તે લાવજો, અને છેક ભૂલાં પડેલાંને શોધી કાઢી રસ્તે ચઢાવો. જગતમાં એવાં અનેક કાર્યોં છે કે જે તદ્દન ગરીબ મનુષ્યા પણ કરી શકે છે. જો જરૂર જડ્ડાય તે પાંગળાનાં પગ બનજો. ધને દ્વારજો, હાથથી થઇ શકે તેટલી પણ અન્યને સહાય આપજો, રાગીનાં ઘરાની મુલાકાત લેજો, અને તેવાની જરૂરની વસ્તુઓ પૂરી પાડવા અન્યને પ્રેરજો.” વળી તેજ ખાખત ઉપર લખતાં ટા બ્રુસ લખે છે કે:- હમારા સર્વ મિત્રામાં, હમારા ગૃડામાં, હુમારા દરરાજના મ`ડળમાં દુ:ખી અને ગરીબ, તેમજ આનંદી અને પૈસાદાર સર્વ માં હુમારા જીવનને સુવાસ, ૨ગ, આનંદ અને ઉત્સાહ રેડો. અંધકારમાં રહી ગયેલા આત્માઓને તેજસ્વી અનાવો, કઠાર ને મૃદુ અનાવજો, કલેશપૂર્ણ ગૃડામાં શાંતિ વહેવડાવો, અને મનુ ધ્યેાના દાષા તથા મૂર્ખતાઓને સ્નેહનાં પુષ્પાથી ઢાંકી દેજો, બીજાને-સર્વને ચાહુજો, એટલે હમે સર્વમાં યુવાનીના આનદ રેશા; અને હ્યુમે પાતે પણ પુષ્કળ આનંદ લાગવી શકશે, કારણકે હમારા સ્નેહથી સુખી થયેલા સર્વ આત્માઓના સુખના સરવાળા હમારામાં આવીને વસશે; સુખ પ્રાપ્તિ માટે આજ શ્રેષ્ઠ ધર્મ છે.” ગરીબશ્રીમત સર્વથી આચરી શકાય તેવા સેવાના ઉત્તમ માર્ગ તરફ અમારા સર્વ બંધુઓનું અમે લક્ષ્ય ખેંચીએ છીએ. આ સેવાના સમય છે. જેનાથી જે કાંઇ અને તે જે કરશે તેને લાભજ છે. કરશે તે પામશે, બાકી હાથ ઘસતાં રહી જશે. મૃત્યુ વખતે જો કાઇ સ'ભારતાં આનદ આપે તેવી વસ્તુ હોય તેા તે પરસેવા જ છે. કુટુંબી અગર પુત્રાદિકને માટે દ્રવ્ય મૂકી જનારને તે સમયે યશ નથી મળવાના તે વાત ધ્યાનમાં રાખી જેવી રીતે અને તેવી રીતે તન, મન, ધનથી પરસેવામાં સાદ્યત રહેવા અમે સવ બંધુઓને વિનંતિ કરીએ છીએ. * : Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only *
SR No.533404
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy