SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિના મિષે થતી આશાતના. છે, આ પણ એક પ્રકારની આશાતનાજ છે. અષ્ટ પ્રકારી પૂજા કરવાનો મુખ્ય કાળજ બીજો પ્રહર કહે છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૪. જિનબિંબની પખાળ કરવામાં ગત દિવસનું કેશર પુષ્પાદિક હોય તે દૂર કરવાનો પ્રથમ હેતુ છે. તેમાં પુપે કે જે સુવાસિત હોવાથી તેમાં અનેક ત્રસ જીવોની સ્થિતિ હોવાનો સંભવ છે તેને પ્રથમથી લઈને દૂર ન નાખતાં તેને જળની અંદરજ મૂકી દેવામાં આવે છે કે જેથી તેની અંદર રહેલા ત્રણજીવોનો વિનાશ થાય છે. પ્રથમ કે પછી કોઈપણ વખતે એક પણ કુલ ન્હવણના જળમાં પડવું જ ન જોઈએ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ૫. જિનબિંબ ઉપરના આગલા દિવસના કેશરને વાસી કેશર કહેવામાં આવે છે. તે દૂર કરવા માટે લુગડાંનાં ભીનાં પિતાથી કામ લેવાની જરૂર છે. તેને બદલે વાળા કુચીથી એવી રીતે પખાળ કરવામાં આવે છે કે જાણે સોની દાગીના ધો હોય. આમાં પણ સોનીની દાગીના ધોવાની વાળા કુંચી તો વાળની હોવાથી સુકોમળ હોય છે અને આ વાળાકુરશીઓ તો સુગંધી વાનાની હોવાથી અતિ કર્કશ હોય છે. તેમાં કોઈ પ્રકારનો હજુ સુધી સુધારે જ નથી. એવી વાળાકુંચીવડે પ્રભુના આખા શરીરને ઘસડવું એ એક પ્રકારની મહાન આશાતના છે. તેથી બનતા સુધી બીલકુલ વાળાચી ન વાપરવી. કદાપિ જિનબિંબના કેાઈ અંગમાં ખાડા પડેલા હોય અને કેશર ભરાઈ રહેતું હોય તે ત્યાંજ માત્ર પિચા હાથે વાળાકુંચીનો સહજ માત્ર ઉપયોગ કરવો જોઇએ. વાળા કુંચીને સતત્ ને સળંગ ઉપયોગ કરવાથી કેટલે ઘસારો જિનબિંબને લાગે છે તે તેમના શરીરના અમુક સ્થળ, પલાંઠી ઉપરના લેખો તેમજ ધાતુના બિંબના મુખ નાસિકાદિ અને સિદ્ધચકના અંગોપાંગાદિ જેવાથી પ્રત્યક્ષ જણાઈ આવે તેમ છે. વાળાકુંચી બીલકુલ વાપરવામાં ન આવે અને કદી ખુણે ખોચરે કોઈ જ ગ્યાએ કેશર ભરાઈ રહે તો તેથી એવી આશાતના નથી થતી કે જેવી આશાતના વાળાકુંચીવડે કરવામાં આવે છે. વળી કેશર કરતાં વધારે કાળજી તો પાણી ન ભરાઈ રહે તેને માટે રાખવાની છે કે જેથી લીલ ફેલ થવાનો ને મેલ બાઝી જવાનો સંભવ છે. ત્યાં તો બંગલુહણા કરતાં એટલી ઉતાવળ કરવામાં આવે છે કે ખુણાખોચરાની સંભાળ પણ લેવામાં આવતી નથી અને દ્રષ્ટિને ઉપયોગ પણ કરવામાં આવતો નથી. તેથી તેનો ઉપયોગ વધારે કરવો અને વાળાપીનો ઉપયોગ બહુજ અ૫–કવચિત જ કરે. જેઓ આ બાબતની ઉપેક્ષા કરે છે તેઓ ગોઠી લોકોથી થતી આશાતનાના ભાગીદાર છે એ વાત ભૂલી જવી નહીં. આ બાબતની વધારે ખાત્રી કરવી હોય તો એક વખત એવી વાળાકુંચીને પોતાના શરીર ઉપર આખે શરીરે ઉપયોગ કરાવી છે, જેથી આ For Private And Personal Use Only
SR No.533368
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy